ચંડીગઢ: અમૃતસરના ઐતિહાસિક જલિયાવાલા બાગમાં સ્થિત શહીદ કૂવાને લઈને કેન્દ્રીય (Jallianwala Bagh historic martyr well) સંસ્કૃતિ મંત્રાલય દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નિર્ણય અનુસાર જલિયાવાલા બાગ સ્થિત શહીદી (Jallianwala Bagh ) કુવામાં પૈસા નાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો (government has banned) છે. જો કે અગાઉ આ અંગે શહીદી કુવા પાસે બોર્ડ મુકવામાં આવ્યું હતું, તેમ છતાં પ્રવાસીઓ દ્વારા કુવામાં પૈસા નાખવામાં આવતા હતા. જલિયાવાલા બાગને જોવા માટે દુનિયાભરમાંથી લોકો અહીં આવે છે. પ્રવાસીઓ શહીદોના સન્માનમાં અહીં શહીદ સ્મારકમાં પૈસા મુકતા હતા, જેના પર હવે સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ભારતમાંથી નક્કી થશે સોનાના ભાવ, વધારા ઘટાડા પાછળ આ મુદ્દા જવાબદાર
શાહિદી કૂવામાંથી પૈસાઃ જલિયાવાલા બાગને કેન્દ્ર સરકારે રિનોવેશન માટે બંધ કરી દીધો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકારના આદેશ પર તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, 28 ઓગસ્ટથી જલિયાવાલા બાગના કૂવામાંથી લગભગ 8.5 લાખ રૂપિયા ઉપાડવામાં આવ્યા છે. જે જલિયાવાલા બાગ મેમોરિયલ ટ્રસ્ટના ખાતામાં જમા કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ભારતમાં બુલિયન બેન્ક શરૂ કરવા માટે કવાયત શરૂ, સામાન્ય માણસને થશે મોટો ફાયદો
કૂવાનો ઉપરનો ભાગ બંધ કરવાનો આદેશઃ શહીદી કૂવામાં પૈસા ન જાય તે માટે ચારણ પણ નાખવામાં આવ્યું હતું એ વાત સાચી, છતાં પ્રવાસીઓ કૂવામાં પૈસા ઠાલવી રહ્યા છે, જેના કારણે સરકારે ઉપરનો ભાગ બંધ કરી દીધો છે. શાહિદી કૂવો. કરવાનો આદેશ આપ્યો