બાડમેર(રાજસ્થાન): ગેમરારામ મેઘવાલ 28 મહિના બાદ આજે વતન પરત જવાના છે. ગેમરારામને પાકિસ્તાનથી વાઘા બોર્ડર મારફતે ભારતને સોંપવામાં આવશે. ગેમરારામ ભૂલથી બેરિકેડ ઓળંગીને સરહદ પાર કરી ગયો હતો. 24 જાન્યુઆરી 2021થી તે પાકિસ્તાનની હૈદરાબાદ જેલમાં બંધ હતો. તે દરમિયાન ગેમરારામના પિતાનું પણ અવસાન થયું હતું. કેન્દ્રીયપ્રધાન કૈલાશ ચૌધરી, પૂર્વ સાંસદ કર્નલ માનવેન્દ્ર સિંહ સહિત ઘણા લોકોના પ્રતિનિધિઓએ ગેમારામના વતન પરત ફરવા અંગે પત્રો લખ્યા હતા.
આ પણ વાંચો: Chhattisgarh BJP Leader Murder: નકસલવાદીઓએ ભાજપના નેતાની હત્યા કરી હોવાનું બેનર દ્વારા સ્વીકાર્યું
ભૂલથી આંતરરાષ્ટ્રીય સરહદ પાર: કેન્દ્રીય પ્રધાન કૈલાશ ચૌધરીએ માહિતી આપી હતી કે પાકિસ્તાન બોર્ડર પર ગયેલા ગેમરારામની મુક્તિ અને સુરક્ષિત વાપસીની પુષ્ટિ થઈ ગઈ છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના અધિકારીઓ તેને વાઘા બોર્ડર પર ભારતીય અધિકારીઓને સોંપશે. કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાન અને બાડમેર જેસલમેરના સાંસદ કૈલાશ ચૌધરીએ જણાવ્યું કે ગેમારારામ લગભગ 2 વર્ષ પહેલા ભૂલથી આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને પાકિસ્તાન ગયા હતા. જેને ભારત-પાકિસ્તાન વાઘા બોર્ડર પર ભારતીય સત્તાવાળાઓને સોંપવામાં આવશે. કૈલાશ ચૌધરીએ પોતાના સંસદીય ક્ષેત્ર બાડમેરના લોકોને ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. કૈલાશ ચૌધરીએ કહ્યું કે ચોક્કસપણે આ આપણા તમામ સંસદીય ક્ષેત્ર બાડમેર જેસલમેરના લોકો માટે એક સારા સમાચાર છે.
આ પણ વાંચો: Rahul Gandhi: કોંગ્રેસ કર્યો આરોપ, રાહુલ ગાંધીના પ્લેનને વારાણસીમાં ઉતરવાની મંજૂરી આપવામાં આવી નથી
ભારતીય સૈન્ય અધિકારીઓને સોંપાશે: ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા ગેમરારામના પાકિસ્તાન જવાનો મુદ્દો દેશભરમાં હેડલાઇન્સ બન્યો હતો. આ પછી ગેમરારામની મુક્તિ અને સુરક્ષિત ભારત પરત ફરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા. આ કેસમાં વિદેશપ્રધાન એસ. જયશંકર અને પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસ સાથે સતત વાતચીત ચાલુ રાખવામાં આવી હતી. કેન્દ્રીયપ્રધાન ચૌધરીએ કહ્યું કે ગેમરારામની નાની ઉંમર અને તેમના પરિવારની નબળી આર્થિક સ્થિતિને કારણે તેમનું ભારત પરત આવવું અત્યંત જરૂરી હતું. આજે ગેમરારામ મેઘવાલને પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા ભારત-પાકિસ્તાન અટારી બોર્ડર પર ભારતીય સૈન્ય અધિકારીઓને સોંપવામાં આવશે. કૈલાશ ચૌધરીએ આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશપ્રધાન એસ જયશંકરનો આભાર માન્યો છે.