ETV Bharat / bharat

આજે બંધ થશે ગંગોત્રી ધામના કપાટ, જાણો કેટલા શ્રદ્ઘાળુઓએ કર્યા છે દર્શન

author img

By

Published : Nov 15, 2020, 12:33 PM IST

આજે (રવિવાર) ગંગોત્રી ધામના કપાટ વિધિ-વિધાનની સાથે બપોરે 12.15 મિનીટે શિયાળાને લઇ બંધ કરવામાં આવશે. જે બાદ માં ગંગાની ડોલી આર્મી બેન્ડ અને ઢોલની સાથે પોતાના શીતકાલિન પ્રવાસ મુખબા માટે રવાના થશે.

આજે બંધ થશે ગંગોત્રી ધામના કપાટ
આજે બંધ થશે ગંગોત્રી ધામના કપાટ
  • આજે બંધ થશે ગંગોત્રી ધામના કપાટ
  • ગંગોત્રી અને યમુનોત્રી ધામમાં શ્રદ્ધાળુઓની સંખ્યા
  • કોરોનાની અસર ચારધામ યાત્રા પર

દેહરાદૂનઃ વિશ્વ પ્રસિદ્ધ ગંગોત્રી ધામના કપાટ શીતકાલ માટે અન્નકૂટ પર્વના અવસરે આજે વિધિ-વિધાન સાથે બંધ કરવામાં આવશે. જે બાદ માં ગંગાના દર્શન આગામી 6 મહીના સુધી મુખબામાં (મુખીમઠ) કરી શકાશે. જેની તૈયારીઓ પુરી કરવામાં આવી છે. જો કે, આ વખતે કોરોનાની અસર ચારધામ યાત્રા પર પણ પડી છે. ગંગોત્રી ધામની વાત કરીએ તો અત્યાર સુધી 43,041 અને યમુનોત્રી ધામમાં 14,089 શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યા છે.

માં ગંગાની ડોલી આર્મી બેન્ડ અને ઢોલ-નગારા સાથે મુખબા માટે રવાના થશે

ગંગોત્રી ધામના કપાટ છ મહિના માટે આજ 30 ગતે કાર્તિક શુક્લ પક્ષમાં અન્નકૂટ પર્વ પર બપોરે 12.15 મિનીટે વિશેષ પૂજા-અર્ચનાના બાદ બંધ કરવામાં આવશે. જે બાદ માં ગંગાની ડોલી આર્મી બેન્ડ અને ઢોલ-નગારા સાથે પોતાના શીતકાલિન પ્રવાસ મુખબા માટે રવાના થશે.

ગંગોત્રી ધામના પુરોહિત અને શ્રદ્ધાળુ માં ગંગાની ડોલીને પગપાળા ખંભા પર લઇને મુખબા ગામથી 3 કિમી પહેલા માર્કેણ્ડેય મંદિર પહોંચશે. જ્યાં માં ગંગાની ડોલી રાત્રી વિશ્રામ કરશે. અહીં શ્રદ્ધાળુ રાત્રે ભજન-કીર્તનનું આયોજન કરે છે. 16 નવેમ્બરે માં ગંગાની ડોલી મુખબા પોતાના શીતકાલિન ગાદી પર બિરાજમાન થશે.

16 નવેમ્બરે બંધ થશે યમુનોત્રી ધામના કપાટ

યમુનોત્રી ધામના કપાટ 16 નવેમ્બરે બંધ થશે. જે બાદ માં યમુનાના દર્શન શ્રદ્ધાળુ શીતકાળમાં રખસાલીમાં (ખુશીમઠ) કરી શકશે. જો કે, કોરોના સંક્રમણની અસર ચારધામ યાત્રા પર પણ પડી છે. અનલૉક પ્રક્રિયા હેઠળ છૂટ મળ્યા બાદ શ્રદ્ધાળુઓએ ગંગોત્રી અને યમુનોત્રીન ધામાન દર્શન કર્યા હતા. બંને ધામોની વાત કરીએ તો અત્યાર સુધીમાં 57,130 શ્રદ્ધાળુ દર્શન કરી ચૂક્યા છે.

  • આજે બંધ થશે ગંગોત્રી ધામના કપાટ
  • ગંગોત્રી અને યમુનોત્રી ધામમાં શ્રદ્ધાળુઓની સંખ્યા
  • કોરોનાની અસર ચારધામ યાત્રા પર

દેહરાદૂનઃ વિશ્વ પ્રસિદ્ધ ગંગોત્રી ધામના કપાટ શીતકાલ માટે અન્નકૂટ પર્વના અવસરે આજે વિધિ-વિધાન સાથે બંધ કરવામાં આવશે. જે બાદ માં ગંગાના દર્શન આગામી 6 મહીના સુધી મુખબામાં (મુખીમઠ) કરી શકાશે. જેની તૈયારીઓ પુરી કરવામાં આવી છે. જો કે, આ વખતે કોરોનાની અસર ચારધામ યાત્રા પર પણ પડી છે. ગંગોત્રી ધામની વાત કરીએ તો અત્યાર સુધી 43,041 અને યમુનોત્રી ધામમાં 14,089 શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યા છે.

માં ગંગાની ડોલી આર્મી બેન્ડ અને ઢોલ-નગારા સાથે મુખબા માટે રવાના થશે

ગંગોત્રી ધામના કપાટ છ મહિના માટે આજ 30 ગતે કાર્તિક શુક્લ પક્ષમાં અન્નકૂટ પર્વ પર બપોરે 12.15 મિનીટે વિશેષ પૂજા-અર્ચનાના બાદ બંધ કરવામાં આવશે. જે બાદ માં ગંગાની ડોલી આર્મી બેન્ડ અને ઢોલ-નગારા સાથે પોતાના શીતકાલિન પ્રવાસ મુખબા માટે રવાના થશે.

ગંગોત્રી ધામના પુરોહિત અને શ્રદ્ધાળુ માં ગંગાની ડોલીને પગપાળા ખંભા પર લઇને મુખબા ગામથી 3 કિમી પહેલા માર્કેણ્ડેય મંદિર પહોંચશે. જ્યાં માં ગંગાની ડોલી રાત્રી વિશ્રામ કરશે. અહીં શ્રદ્ધાળુ રાત્રે ભજન-કીર્તનનું આયોજન કરે છે. 16 નવેમ્બરે માં ગંગાની ડોલી મુખબા પોતાના શીતકાલિન ગાદી પર બિરાજમાન થશે.

16 નવેમ્બરે બંધ થશે યમુનોત્રી ધામના કપાટ

યમુનોત્રી ધામના કપાટ 16 નવેમ્બરે બંધ થશે. જે બાદ માં યમુનાના દર્શન શ્રદ્ધાળુ શીતકાળમાં રખસાલીમાં (ખુશીમઠ) કરી શકશે. જો કે, કોરોના સંક્રમણની અસર ચારધામ યાત્રા પર પણ પડી છે. અનલૉક પ્રક્રિયા હેઠળ છૂટ મળ્યા બાદ શ્રદ્ધાળુઓએ ગંગોત્રી અને યમુનોત્રીન ધામાન દર્શન કર્યા હતા. બંને ધામોની વાત કરીએ તો અત્યાર સુધીમાં 57,130 શ્રદ્ધાળુ દર્શન કરી ચૂક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.