ETV Bharat / bharat

હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રસિંહ હૂડા કોરોના પોઝિટિવ - bhupender singh hudda

હરિયાણા રાજ્યમાં 7,717 નવા કોવિડ દર્દીઓ મળી આવ્યા છે. પૂર્વ CM ભૂપેન્દ્રસિંહ હૂડા પણ કોરોનાગ્રસ્ત છે. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા વધીને 38,558 થઈ છે, જ્યારે રિકવરી દર ધટીને 88.01 ટકા પર આવી ગયો છે.

ભૂપેન્દ્રસિંહ હૂડા
ભૂપેન્દ્રસિંહ હૂડા
author img

By

Published : Apr 18, 2021, 3:36 PM IST

  • શનિવારે ભૂપેન્દ્ર હૂડાએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો
  • ભૂપેન્દ્રસિંહ હૂડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
  • હરિયાણામાં વધુ 7,717 લોકો અસરગ્રસ્ત થયા

ચંડીગઢ(હરિયાણા): રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ દરમિયાન રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહ હૂડા અને તેમની પત્ની આશા હૂડાનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શનિવારે રાજ્યમાં વધુ 7,717 લોકો અસરગ્રસ્ત થયા હતા, જ્યારે 32 લોકોનાં મોત નીપજ્યાં હતાં. પાણીપત અને ફરીદાબાદમાં પ્રત્યેક 5 દર્દીઓ, હિસાર, કરનાલ અને રોહતકમાં 3, જીંદ, પલવાલ, પંચકુલા, અંબાલા અને ગુરુગ્રામમાં 2 અને ફતેહાબાદ, યમુનાનગર અને કુરુક્ષેત્રમાં એક-એક દર્દીઓનાં મોત થયાં છે.

આ પણ વાંચો:કર્ણાટકના CM યેદિયુરપ્પાએ મુખ્યપ્રધાન યોગીના સાજા થવાની કરી કામના

2,68,624 દર્દીઓની તપાસ કરવામાં આવી

દર 10 લાખ લોકો માટે 2,68,624 દર્દીઓની તપાસ કરવામાં આવી રહી છે. શનિવારે વધુ 55,660 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 31,56,740 લોકોને રસી આપવામાં આવી છે.

  • શનિવારે ભૂપેન્દ્ર હૂડાએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો
  • ભૂપેન્દ્રસિંહ હૂડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
  • હરિયાણામાં વધુ 7,717 લોકો અસરગ્રસ્ત થયા

ચંડીગઢ(હરિયાણા): રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ દરમિયાન રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહ હૂડા અને તેમની પત્ની આશા હૂડાનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શનિવારે રાજ્યમાં વધુ 7,717 લોકો અસરગ્રસ્ત થયા હતા, જ્યારે 32 લોકોનાં મોત નીપજ્યાં હતાં. પાણીપત અને ફરીદાબાદમાં પ્રત્યેક 5 દર્દીઓ, હિસાર, કરનાલ અને રોહતકમાં 3, જીંદ, પલવાલ, પંચકુલા, અંબાલા અને ગુરુગ્રામમાં 2 અને ફતેહાબાદ, યમુનાનગર અને કુરુક્ષેત્રમાં એક-એક દર્દીઓનાં મોત થયાં છે.

આ પણ વાંચો:કર્ણાટકના CM યેદિયુરપ્પાએ મુખ્યપ્રધાન યોગીના સાજા થવાની કરી કામના

2,68,624 દર્દીઓની તપાસ કરવામાં આવી

દર 10 લાખ લોકો માટે 2,68,624 દર્દીઓની તપાસ કરવામાં આવી રહી છે. શનિવારે વધુ 55,660 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 31,56,740 લોકોને રસી આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.