ETV Bharat / bharat

Delhi High Court: દિલ્હી હાઇકોર્ટે "કન્યાદાન" અને દીકરીની જવાબદારીનું પિતાને કરાવ્યું ભાન

author img

By

Published : Jan 9, 2022, 5:33 PM IST

દિલ્હી હાઇકોર્ટે કહ્યું કે (Delhi High Court) દીકરીની સંભાળ રાખવી એ દરેક પિતાનો ધર્મ ઉપરાંત તેનું દાયિત્વ છે. આ સાથે તેમનું શિક્ષણ અને લગ્નનો ખર્ચ તેની જ જવાબદારી અંતર્ગત આવે છે. આ સંદર્ભે કોર્ટેએ એક પિતાને તેની બે દીકરીઓના લગ્ન માટે 85 લાખ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ (Hindu Adoption and Maintenance Act) આપ્યો છે. વાંચો પૂરો અહેવાલ..

Delhi High Court: "કન્યાદાન" અને દિકરીની જવાબદારીનું ભાન કરાવ્યું દિલ્હી હાઇકોર્ટે
Delhi High Court: "કન્યાદાન" અને દિકરીની જવાબદારીનું ભાન કરાવ્યું દિલ્હી હાઇકોર્ટે

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) 'કન્યાદાન' એક કેસની સુનવણી કરતાં જણાવ્યું હતું કે, કોઈપણ હિંદુ પિતા માટે 'કન્યાદાન' એક પવિત્ર જવાબદારી છે અને તે આ જવાબદારીમાંથી મુક્ત થઈ શકે નહીં. જસ્ટિસ વિપિન સાંઘીની અધ્યક્ષતાવાળી બેન્ચએ પારિવારિક વિવાદની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી.

દિલ્હી હાઇકોર્ટે 85 લાખ રૂપિયા ચૂકવવાનો આપ્યો આદેશ

કોર્ટે દીકરીનો પક્ષ લેતા કહ્યું કે, કોઈ પણ પિતાને પોતાની અપરિણીત દીકરીઓની જવાબદારીમાંથી છટકીબારી મળશે નહીં. એક પિતાની જવાબદારીમાં દીકરીની જાળવણી અને સારસંભાળ ઉપરાંત તેમના શિક્ષણ અને લગ્નનો ખર્ચ પણ આવે છે. તેના અનુસંધાને કોર્ટે એક પિતાને તેની બે દીકરીઓના લગ્ન માટે 85 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.

જાણો સમગ્ર કેસ વિશે

તીસ હજારી કોર્ટની ફેમિલી કોર્ટે (Family Court act) એક મહિલાની છૂટાછેડાની અરજી સ્વીકારી હતી, પરંતુ મહિલા અને તેની બે પુખ્ત પુત્રીઓ માટે ભરણપોષણનો આદેશ આપવાનો ઇન્કાર કરી દેવાયો હતો. ફેમિલી કોર્ટના આદેશને મહિલાએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં મહિલાએ તેના પતિ પર ક્રૂરતાનો આરોપ લગાવીને છૂટાછેડાની માંગ કરી હતી.

સુનાવણીમાં મહિલાના પતિએ વળતર મામલે બચાવ હેતુ કરી દલીલ

સુનાવણી દરમિયાન મહિલાના પતિએ દલીલ કરી હતી કે, તેના તમામ બાળકો પુખ્ત છે. આ સ્થિતિમાં, તે હિંદુ મેરેજ એક્ટની (Hindu Marriage Act) કલમ 24, 25 અને 26 હેઠળ વળતર ચૂકવવા માટે બંધાયેલો નથી.

વળતર ફક્ત બેરોજગાર અને આશ્રિત પુત્રીઓને જ આપી શકાય: પુત્રીના પિતા

મહિલાના પતિએ કહ્યું કે, હિંદુ દત્તક અને ભરણપોષણ કાયદાની કલમ 20 હેઠળ એવી જોગવાઇ છે કે, વળતર ફક્ત બેરોજગાર અને આશ્રિત પુત્રીઓને જ આપી શકાય છે. જે પૈકી કોર્ટેે આ દલીલને ફગાવી દીધી અને કહ્યું હતું કે, હિંદુ દત્તક અને જાળવણી કાયદાની (Hindu Adoption and Maintenance Act) કલમ 20 ફક્ત તે જ બાળકો અથવા એવા વિકલાંગ માતા-પિતાને આપી શકાય છે જેઓ પોતાની જાળવણી કરવામાં અસમર્થ હોય.

કોર્ટે આપી માહિતી

કોર્ટે જણાવે છે કે, બંધારણમાં એવી કોઈ જોગવાઈનો ઉલ્લેખ નથી કે, જે લોકો પોતાની જાતે સારસંભાળ કરવામાં સક્ષમ નથી તેઓ કમાણી ન કરનારની શ્રેણીમાં આવે છે. એવું આવશ્યક નથી કે, દરેક કમાનાર વ્યકિત પોતાની જાતને સારી રીતે સાચવી શકતો હોય. કોર્ટે એવું જણાવ્યું કે,"જો અપરિણીત દીકરીઓ ક્યાંક નોકરી કરતી હોય તો તેનો એ મતલબ ન લઈ શકાય કે તેમણે તેમના લગ્નનો ખર્ચ પણ ઉઠાવવો જોઈએ અને લગ્નના ખર્ચની સરખામણી માતા-પિતાની સ્થિતિ સાથે કરવી જોઇએ.

આ પણ વાંચો:

દિલ્હી હાઇકોર્ટે દિલ્હી પોલીસને નોટિસ ફટકારી, 'આગામી સુનાવણીમાં વરિષ્ઠ અધિકારી હાજર રહે'

દિલ્હી હાઇકોર્ટે કહ્યું, કારમાં એકલી બેઠેલી વ્યક્તિએ માસ્ક પહેરવું ફરજિયાત

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) 'કન્યાદાન' એક કેસની સુનવણી કરતાં જણાવ્યું હતું કે, કોઈપણ હિંદુ પિતા માટે 'કન્યાદાન' એક પવિત્ર જવાબદારી છે અને તે આ જવાબદારીમાંથી મુક્ત થઈ શકે નહીં. જસ્ટિસ વિપિન સાંઘીની અધ્યક્ષતાવાળી બેન્ચએ પારિવારિક વિવાદની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી.

દિલ્હી હાઇકોર્ટે 85 લાખ રૂપિયા ચૂકવવાનો આપ્યો આદેશ

કોર્ટે દીકરીનો પક્ષ લેતા કહ્યું કે, કોઈ પણ પિતાને પોતાની અપરિણીત દીકરીઓની જવાબદારીમાંથી છટકીબારી મળશે નહીં. એક પિતાની જવાબદારીમાં દીકરીની જાળવણી અને સારસંભાળ ઉપરાંત તેમના શિક્ષણ અને લગ્નનો ખર્ચ પણ આવે છે. તેના અનુસંધાને કોર્ટે એક પિતાને તેની બે દીકરીઓના લગ્ન માટે 85 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.

જાણો સમગ્ર કેસ વિશે

તીસ હજારી કોર્ટની ફેમિલી કોર્ટે (Family Court act) એક મહિલાની છૂટાછેડાની અરજી સ્વીકારી હતી, પરંતુ મહિલા અને તેની બે પુખ્ત પુત્રીઓ માટે ભરણપોષણનો આદેશ આપવાનો ઇન્કાર કરી દેવાયો હતો. ફેમિલી કોર્ટના આદેશને મહિલાએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં મહિલાએ તેના પતિ પર ક્રૂરતાનો આરોપ લગાવીને છૂટાછેડાની માંગ કરી હતી.

સુનાવણીમાં મહિલાના પતિએ વળતર મામલે બચાવ હેતુ કરી દલીલ

સુનાવણી દરમિયાન મહિલાના પતિએ દલીલ કરી હતી કે, તેના તમામ બાળકો પુખ્ત છે. આ સ્થિતિમાં, તે હિંદુ મેરેજ એક્ટની (Hindu Marriage Act) કલમ 24, 25 અને 26 હેઠળ વળતર ચૂકવવા માટે બંધાયેલો નથી.

વળતર ફક્ત બેરોજગાર અને આશ્રિત પુત્રીઓને જ આપી શકાય: પુત્રીના પિતા

મહિલાના પતિએ કહ્યું કે, હિંદુ દત્તક અને ભરણપોષણ કાયદાની કલમ 20 હેઠળ એવી જોગવાઇ છે કે, વળતર ફક્ત બેરોજગાર અને આશ્રિત પુત્રીઓને જ આપી શકાય છે. જે પૈકી કોર્ટેે આ દલીલને ફગાવી દીધી અને કહ્યું હતું કે, હિંદુ દત્તક અને જાળવણી કાયદાની (Hindu Adoption and Maintenance Act) કલમ 20 ફક્ત તે જ બાળકો અથવા એવા વિકલાંગ માતા-પિતાને આપી શકાય છે જેઓ પોતાની જાળવણી કરવામાં અસમર્થ હોય.

કોર્ટે આપી માહિતી

કોર્ટે જણાવે છે કે, બંધારણમાં એવી કોઈ જોગવાઈનો ઉલ્લેખ નથી કે, જે લોકો પોતાની જાતે સારસંભાળ કરવામાં સક્ષમ નથી તેઓ કમાણી ન કરનારની શ્રેણીમાં આવે છે. એવું આવશ્યક નથી કે, દરેક કમાનાર વ્યકિત પોતાની જાતને સારી રીતે સાચવી શકતો હોય. કોર્ટે એવું જણાવ્યું કે,"જો અપરિણીત દીકરીઓ ક્યાંક નોકરી કરતી હોય તો તેનો એ મતલબ ન લઈ શકાય કે તેમણે તેમના લગ્નનો ખર્ચ પણ ઉઠાવવો જોઈએ અને લગ્નના ખર્ચની સરખામણી માતા-પિતાની સ્થિતિ સાથે કરવી જોઇએ.

આ પણ વાંચો:

દિલ્હી હાઇકોર્ટે દિલ્હી પોલીસને નોટિસ ફટકારી, 'આગામી સુનાવણીમાં વરિષ્ઠ અધિકારી હાજર રહે'

દિલ્હી હાઇકોર્ટે કહ્યું, કારમાં એકલી બેઠેલી વ્યક્તિએ માસ્ક પહેરવું ફરજિયાત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.