ETV Bharat / bharat

COVD-19ને કારણે બાળકો અને યુવાનોમાં OCD વકરી શકે છે

author img

By

Published : Nov 17, 2020, 7:48 AM IST

ઝનૂની તથા અનિયંત્રિત વિચારો ધરાવતાં ઘણાં બાળકો અને યુવાનોને તેમના ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર (ઓસીડી), ચિંતા અને હતાશાનાં લક્ષણો કોરોનાના સમય દરમિયાન વધુ તીવ્ર થવાનો અનુભવ થયો હોવાનું સંશોધકોએ જણાવ્યું હતું.

COVD-19can trigger OCD
COVD-19can trigger OCD

ન્યુઝ ડેસ્ક: OCD એ એક માનસિક બિમારી છે અને તેના કારણે વારંવાર બિનજરૂરી વિચારો કે ઉત્તેજના થાય છે અથવા તો કોઇક ક્રિયા વારંવાર કરવાની ઉત્કટ ઇચ્છા થાય છે. કેટલાક લોકો ઉત્તેજના અને અનિવાર્યતા, બંનેનો અનુભવ કરે છે.

જર્નલ બીએમસી સાઇકિઆટ્રીમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં એમ પણ દર્શાવવામાં આવ્યું હતું કે, મનોવૈજ્ઞાનિક ડિસઓર્ડર વિકસી રહ્યો હોય, તેવા લોકોની આ બિમારી સાથે કોરોનાને સાંકળી શકાય છે.

"કોરોના મહામારીના સંદર્ભમાં આ ડિસઓર્ડરનો અભ્યાસ કરવો રસપ્રદ છે, કારણ કે, OCD એ વૈવિધ્યપૂર્ણ ક્લિનિકલ અભિવ્યક્તિઓ ધરાવતો ડિસઓર્ડર છે," તેમ ડેનમાર્કની આર્હસ યુનિવર્સિટી ખાતે કાર્યરત તથા અભ્યાસનાં લેખિકા જુડિથ નિસ્સેને જણાવ્યું હતું.

"આથી, આવી નોંધપાત્ર કટોકટી ડિસોર્ડરના આવર્તન, વિકાસ તથા અભિવ્યક્તિને કેવી રીતે પ્રભાવિત કરે છે, તેની ચકાસણી કરવી મહત્વની બની રહે છે," તેમ તેમણે ઉમેર્યું હતું.

અભ્યાસ માટે સંશોધકોએ સાત વર્ષથી એકવીસ વર્ષની વયનાં બાળકો અને યુવાનોનાં બે જૂથોને પ્રશ્નાવલિ મોકલી હતી.

એક જૂથને સેન્ટર ફોર ચાઇલ્ડ એન્ડ એડોલસન્ટ સાઇકિયાટ્રી ખાતેના સ્પેશ્યલાઇઝ્ડ ઓસીડી સેક્શનમાં OCD હોવાનું નિદાન થયું હતું અને તે તમામ લોકો હોસ્પિટલ ખાતે થેરપિસ્ટના સંપર્કમાં હતા. અન્ય જૂથની ડેનિશ ઓસીડી એસોસિએશન મારફત ઓળખ કરવામાં આવી હતી.

આ પૈકીનાં મોટાભાગનાં બાળકો તથા યુવાનોનું વર્ષો અગાઉ નિદાન થયું હતું. કુલ ૧૦૨ બાળકોએ પ્રશ્નાવલિના જવાબો આપ્યા હતા.

"તેમનો અનુભવ એવો હતો કે, તેમનાં ઓસીડી, ચિંતા અને હતાશાનાં લક્ષણો કોરોનાની કટોકટી દરમિયાન વધુ વણસ્યા હતાં. ઓસીડી એસોસિએશન થકી ઓળખ કરવામાં આવેલા જૂથમાં આ સ્થિતિ વધુ સ્પષ્ટ હતી," તેમ લેખકોએ નોંધ્યું હતું.

પ્રથમ જૂથના લગભગ અડધો-અડધ બાળકો અને યુવાનોએ જણાવ્યું હતું કે, તેમનાં લક્ષણો વકર્યા હતા, જ્યારે તેમાંના ત્રીજા ભાગના લોકોએ જવાબ આપ્યો હતો કે, તેમની ચિંતામાં અને હતાશાનાં લક્ષઓમાં વધારો થયો હતો.

અને તેમાંથી આશરે પાંચમા ભાગના લોકોને બંને પ્રકારનાં લક્ષણો વણસ્યા હોવાનો અનુભવ થયો હતો.

જ્યારે બીજા જૂથમાં 73 ટકા લોકોએ જણાવ્યું હતું કે, તેમની સ્થિતિ વધુ ખરાબ થઇ હતી, અડધા કરતાં વધુ લોકોએ તેમના ઉચાટ, ચિંતામાં વધારો થયો હોવાનું જણાવ્યું હતું. જ્યારે ૪૩ ટકા લોકોએ જવાબ આપ્યો હતો કે, તેમનામાં હતાશાનાં લક્ષણોમાં વધારો થયો હતો.

અભ્યાસની નોંધ અનુસાર, ખાસ કરીને ઘણી નાની વયથી ઓસીડીનો ભોગ બનનારાં બાળકોમાં સ્થિતિ વણસી હોવાનું સ્પષ્ટપણે નોંધાયું હતું.

ન્યુઝ ડેસ્ક: OCD એ એક માનસિક બિમારી છે અને તેના કારણે વારંવાર બિનજરૂરી વિચારો કે ઉત્તેજના થાય છે અથવા તો કોઇક ક્રિયા વારંવાર કરવાની ઉત્કટ ઇચ્છા થાય છે. કેટલાક લોકો ઉત્તેજના અને અનિવાર્યતા, બંનેનો અનુભવ કરે છે.

જર્નલ બીએમસી સાઇકિઆટ્રીમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં એમ પણ દર્શાવવામાં આવ્યું હતું કે, મનોવૈજ્ઞાનિક ડિસઓર્ડર વિકસી રહ્યો હોય, તેવા લોકોની આ બિમારી સાથે કોરોનાને સાંકળી શકાય છે.

"કોરોના મહામારીના સંદર્ભમાં આ ડિસઓર્ડરનો અભ્યાસ કરવો રસપ્રદ છે, કારણ કે, OCD એ વૈવિધ્યપૂર્ણ ક્લિનિકલ અભિવ્યક્તિઓ ધરાવતો ડિસઓર્ડર છે," તેમ ડેનમાર્કની આર્હસ યુનિવર્સિટી ખાતે કાર્યરત તથા અભ્યાસનાં લેખિકા જુડિથ નિસ્સેને જણાવ્યું હતું.

"આથી, આવી નોંધપાત્ર કટોકટી ડિસોર્ડરના આવર્તન, વિકાસ તથા અભિવ્યક્તિને કેવી રીતે પ્રભાવિત કરે છે, તેની ચકાસણી કરવી મહત્વની બની રહે છે," તેમ તેમણે ઉમેર્યું હતું.

અભ્યાસ માટે સંશોધકોએ સાત વર્ષથી એકવીસ વર્ષની વયનાં બાળકો અને યુવાનોનાં બે જૂથોને પ્રશ્નાવલિ મોકલી હતી.

એક જૂથને સેન્ટર ફોર ચાઇલ્ડ એન્ડ એડોલસન્ટ સાઇકિયાટ્રી ખાતેના સ્પેશ્યલાઇઝ્ડ ઓસીડી સેક્શનમાં OCD હોવાનું નિદાન થયું હતું અને તે તમામ લોકો હોસ્પિટલ ખાતે થેરપિસ્ટના સંપર્કમાં હતા. અન્ય જૂથની ડેનિશ ઓસીડી એસોસિએશન મારફત ઓળખ કરવામાં આવી હતી.

આ પૈકીનાં મોટાભાગનાં બાળકો તથા યુવાનોનું વર્ષો અગાઉ નિદાન થયું હતું. કુલ ૧૦૨ બાળકોએ પ્રશ્નાવલિના જવાબો આપ્યા હતા.

"તેમનો અનુભવ એવો હતો કે, તેમનાં ઓસીડી, ચિંતા અને હતાશાનાં લક્ષણો કોરોનાની કટોકટી દરમિયાન વધુ વણસ્યા હતાં. ઓસીડી એસોસિએશન થકી ઓળખ કરવામાં આવેલા જૂથમાં આ સ્થિતિ વધુ સ્પષ્ટ હતી," તેમ લેખકોએ નોંધ્યું હતું.

પ્રથમ જૂથના લગભગ અડધો-અડધ બાળકો અને યુવાનોએ જણાવ્યું હતું કે, તેમનાં લક્ષણો વકર્યા હતા, જ્યારે તેમાંના ત્રીજા ભાગના લોકોએ જવાબ આપ્યો હતો કે, તેમની ચિંતામાં અને હતાશાનાં લક્ષઓમાં વધારો થયો હતો.

અને તેમાંથી આશરે પાંચમા ભાગના લોકોને બંને પ્રકારનાં લક્ષણો વણસ્યા હોવાનો અનુભવ થયો હતો.

જ્યારે બીજા જૂથમાં 73 ટકા લોકોએ જણાવ્યું હતું કે, તેમની સ્થિતિ વધુ ખરાબ થઇ હતી, અડધા કરતાં વધુ લોકોએ તેમના ઉચાટ, ચિંતામાં વધારો થયો હોવાનું જણાવ્યું હતું. જ્યારે ૪૩ ટકા લોકોએ જવાબ આપ્યો હતો કે, તેમનામાં હતાશાનાં લક્ષણોમાં વધારો થયો હતો.

અભ્યાસની નોંધ અનુસાર, ખાસ કરીને ઘણી નાની વયથી ઓસીડીનો ભોગ બનનારાં બાળકોમાં સ્થિતિ વણસી હોવાનું સ્પષ્ટપણે નોંધાયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.