ETV Bharat / bharat

Ram Mandir Pran Pratistha: રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના આંમત્રણની રાહ જોતા કેજરીવાલ !

દેશમાં શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનો ધમધમાટ જોરશોરથી ચાલી રહ્યો છે. રાજકીય પક્ષોથી લઈને લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે દેશના અનેક નેતાઓને આમંત્રણ મળ્યું છે. ત્યારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ હજુ પણ ઔપચારિક આમંત્રણ મળવાની રાહ જોઈ રહ્યા છે.

author img

By PTI

Published : Jan 11, 2024, 2:37 PM IST

cm kejariwal
cm kejariwal

નવી દિલ્હી: અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા માટે કરોડો લોકો આમંત્રણ મળવાની રાહ જોઈ રહ્યા છે. જોકે, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને આ કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું ત્યારે તેઓએ આ આમંત્રણનો અસ્વીકાર કરતા કાર્યક્રમમાં જવાનો ઈન્કાર કરી દીધો. પરંતુ આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને હજુ સુધી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે ઔપચારિક રીતે આમંત્રણ મળ્યું નથી. તેઓ હજુ પણ તેની રાહ જોઈ રહ્યા છે.

નથી મળ્યું ઔપચારિક આમંત્રણઃ AAPના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર કેજરીવાલને થોડા દિવસો પહેલા એક પત્ર મળ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે તેમની તારીખ બ્લોક કરે. વિગતો સાથે ઔપચારિક આમંત્રણ પછીથી મોકલવામાં આવશે, પરંતુ તેમને હજુ સુધી કોઈ ઔપચારિક આમંત્રણ મળ્યું નથી. જોકે, તે આ કાર્યક્રમમાં ભાગ લેશે કે નહીં તે અંગે પાર્ટીએ હજુ સુધી કોઈ સ્પષ્ટ વલણ જાહેર કર્યું નથી. કેજરીવાલ ગુરુવારે બે દિવસની મુલાકાતે ગોવા જઈ રહ્યા છે. આ મુલાકાત લોકસભા ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને છે.

ધાર્મિક પ્રવૃતિ સાથે જોડાયેલા કેજરીવાલઃ આંદોલનમાંથી ઉભી થયેલી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પહેલેથી ધાર્મિક પ્રવૃતિ સાથે જોડાયેલા છે. પાર્ટી બનાવવાની શરૂઆત હોય કે ચૂંટણી લડવાની કે જીતવાની તક હોય, કેજરીવાલ હંમેશા ભગવાનના આશીર્વાદ લેવા મંદિરોમાં જઈને આશીર્વાદ લેવાનું ચુકતા નથી. દિલ્હીમાં આયોજિત રામલીલામાં પણ કેજરીવાલ ભાગ લેતા રહ્યા છે.

ભગવાન રામને ગણાવ્યા હતા આદર્શઃ ગયા વર્ષે ઓક્ટોબરમાં આયોજિત રામલીલાના અંતિમ દિવસે જ્યારે તેઓ રામલીલામાં ગયા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે ભગવાન રામ અમારા આદર્શ છે. તેમના જીવન અને રામરાજની તેમની કલ્પનામાંથી ઘણું શીખવા જેવું છે. કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે તેમની સરકાર એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે કે કોઈ ભૂખ્યું ન સૂવે અને દરેકને દિલ્હીમાં સારું શિક્ષણ, આરોગ્ય સેવાઓ અને વીજળી તેમજ પાણી મળે.

  1. Ram Mandir: રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં આડવાણી આવશે, VHPએ કર્યો દાવો
  2. Congress : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવાનો ઇનકાર કરતી કોંગ્રેસ, કહ્યું...

નવી દિલ્હી: અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા માટે કરોડો લોકો આમંત્રણ મળવાની રાહ જોઈ રહ્યા છે. જોકે, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને આ કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું ત્યારે તેઓએ આ આમંત્રણનો અસ્વીકાર કરતા કાર્યક્રમમાં જવાનો ઈન્કાર કરી દીધો. પરંતુ આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને હજુ સુધી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે ઔપચારિક રીતે આમંત્રણ મળ્યું નથી. તેઓ હજુ પણ તેની રાહ જોઈ રહ્યા છે.

નથી મળ્યું ઔપચારિક આમંત્રણઃ AAPના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર કેજરીવાલને થોડા દિવસો પહેલા એક પત્ર મળ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે તેમની તારીખ બ્લોક કરે. વિગતો સાથે ઔપચારિક આમંત્રણ પછીથી મોકલવામાં આવશે, પરંતુ તેમને હજુ સુધી કોઈ ઔપચારિક આમંત્રણ મળ્યું નથી. જોકે, તે આ કાર્યક્રમમાં ભાગ લેશે કે નહીં તે અંગે પાર્ટીએ હજુ સુધી કોઈ સ્પષ્ટ વલણ જાહેર કર્યું નથી. કેજરીવાલ ગુરુવારે બે દિવસની મુલાકાતે ગોવા જઈ રહ્યા છે. આ મુલાકાત લોકસભા ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને છે.

ધાર્મિક પ્રવૃતિ સાથે જોડાયેલા કેજરીવાલઃ આંદોલનમાંથી ઉભી થયેલી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પહેલેથી ધાર્મિક પ્રવૃતિ સાથે જોડાયેલા છે. પાર્ટી બનાવવાની શરૂઆત હોય કે ચૂંટણી લડવાની કે જીતવાની તક હોય, કેજરીવાલ હંમેશા ભગવાનના આશીર્વાદ લેવા મંદિરોમાં જઈને આશીર્વાદ લેવાનું ચુકતા નથી. દિલ્હીમાં આયોજિત રામલીલામાં પણ કેજરીવાલ ભાગ લેતા રહ્યા છે.

ભગવાન રામને ગણાવ્યા હતા આદર્શઃ ગયા વર્ષે ઓક્ટોબરમાં આયોજિત રામલીલાના અંતિમ દિવસે જ્યારે તેઓ રામલીલામાં ગયા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે ભગવાન રામ અમારા આદર્શ છે. તેમના જીવન અને રામરાજની તેમની કલ્પનામાંથી ઘણું શીખવા જેવું છે. કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે તેમની સરકાર એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે કે કોઈ ભૂખ્યું ન સૂવે અને દરેકને દિલ્હીમાં સારું શિક્ષણ, આરોગ્ય સેવાઓ અને વીજળી તેમજ પાણી મળે.

  1. Ram Mandir: રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં આડવાણી આવશે, VHPએ કર્યો દાવો
  2. Congress : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવાનો ઇનકાર કરતી કોંગ્રેસ, કહ્યું...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.