ETV Bharat / bharat

Jyotiraditya Scindia: નાગરિક ઉડ્ડયન પ્રધાને પહેલીવાર ગો ફર્સ્ટની કટોકટી પર કરી આ વાત

author img

By

Published : May 19, 2023, 9:21 AM IST

Updated : May 19, 2023, 9:37 AM IST

ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ મુશ્કેલીના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. દેશમાં સસ્તી હવાઈ સેવા પૂરી પાડતી કંપની ગો ફર્સ્ટ ક્રાઈસિસે તાજેતરમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ને પોતાને નાદાર જાહેર કરવા અરજી કરી હતી.26 મે સુધી તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. જેને લઇને નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ પહેલીવાર ગો ફર્સ્ટ કટોકટી પર વાત કરી છે.

ગો ફર્સ્ટ કટોકટી: નાગરિક ઉડ્ડયન પ્રધાન  જ્યોતિરાદિત્ય સિંધિયાએ પહેલીવાર ગો ફર્સ્ટ કટોકટી પર વાત કરી, આ કહ્યું
ગો ફર્સ્ટ કટોકટી: નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ પહેલીવાર ગો ફર્સ્ટ કટોકટી પર વાત કરી, આ કહ્યું

નવી દિલ્હીઃ દેશમાં એક બાજું એર ટ્રાફિક વધી રહ્યો છે. બીજી તરફ એરલાઈન્સ સર્વિસ આપતી કંપનીઓની ખોટ કરોડો રૂપિયાની માથે જઈ રહી છે. વિદેશી કંપનીઓ હાલ કોઈ રોકાણના મૂડમાં ન હોય એવું લાગી રહ્યું છે. સતત અને સખત ખોટમાં ખખડતી ગો ફર્સ્ટની સ્થિતિ જોઈને હવે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાનો મત વ્યક્ત કર્યો છે.

દેશમાં સસ્તી હવાઈ સેવા પૂરી પાડતી એરલાઈનની નાદારી પ્રક્રિયા સ્થાનિક ઉડ્ડયન ક્ષેત્ર માટે સારી બાબત નથી. ગો ફર્સ્ટની ક્રાઈસિસ દેશના ઉડ્ડયન ક્ષેત્ર માટે યોગ્ય બાબત નથી. ભલે દરેક એરલાઈન્સ નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ આવે છે, પરંતુ દરેક કંપનીએ પોતાના નાણાંનું સંચાલન વધુ સારી રીતે કરવું પડશે. જ્યાં સુધી એરલાઇન્સની મદદનો સવાલ છે, નાગરિક ઉડ્ડયન મંત્રાલય મૂળભૂત મુદ્દા પર કંપનીઓને તમામ શક્ય મદદ આપવા માટે તૈયાર છે.---જ્યોતિરાદિત્ય સિંધિયા

ચૂકાદો બાકી રહ્યો: ગો ફર્સ્ટના ડેનને ધ્યાનમાં રાખીને NCLTએ 10 મેના રોજ નાદારી પ્રક્રિયાને મંજૂરી આપી હતી. આ પછી, અભિલાષ લાલને કંપનીના ઇન્ટરિમ રિઝોલ્યુશન પ્રોફેશનલ (IRP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ પછી, કરાર સમાપ્ત કરીને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) ના નિર્ણયને પડકારતી સાથી કંપનીઓએ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ને તેના 45 એરક્રાફ્ટની સૂચિ પાછી ખેંચવાની માંગ કરી. નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ આ મામલે 22 મેના રોજ પોતાનો ચુકાદો આપશે.

તમામ ફ્લાઇટ્સ રદ: ગોફર્સ્ટે ઓપરેશનલ સમસ્યાઓના કારણે 26 મે સુધીની તમામ ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. જો કે, કંપનીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તે ટૂંક સમયમાં ફ્લાઇટ સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં સક્ષમ હશે. ઈકોનોમિક ટાઈમ્સમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, એરલાઈન્સ 27 મેથી તેની ફ્લાઈટ સેવાઓ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. આ માટે કંપની આજથી પાઈલટોને ટ્રેનિંગ પણ શરૂ કરવા જઈ રહી છે, પરંતુ તમને જણાવી દઈએ કે, હજુ સુધી GoFirstએ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. નોંધનીય છે કે 3 મેના રોજ, એરલાઈને તેની તમામ ફ્લાઇટ સેવાઓ રદ કરીને પોતાને નાદાર જાહેર કરવા માટે NCLTમાં અરજી દાખલ કરી હતી. આ પછી DGCAએ એરલાઈન્સના બુકિંગ પર પણ પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો હતો.

New Parliament Building: વડાપ્રધાન મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે

Karnataka CLP Meet: સિદ્ધારમૈયા વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા, શિવકુમારે પ્રસ્તાવ મૂક્યો

Karnataka News: 92 વર્ષીય ધારાસભ્ય શમનુરે શેટ્ટરને પ્રધાન બનાવવાની કરી માંગ

નવી દિલ્હીઃ દેશમાં એક બાજું એર ટ્રાફિક વધી રહ્યો છે. બીજી તરફ એરલાઈન્સ સર્વિસ આપતી કંપનીઓની ખોટ કરોડો રૂપિયાની માથે જઈ રહી છે. વિદેશી કંપનીઓ હાલ કોઈ રોકાણના મૂડમાં ન હોય એવું લાગી રહ્યું છે. સતત અને સખત ખોટમાં ખખડતી ગો ફર્સ્ટની સ્થિતિ જોઈને હવે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાનો મત વ્યક્ત કર્યો છે.

દેશમાં સસ્તી હવાઈ સેવા પૂરી પાડતી એરલાઈનની નાદારી પ્રક્રિયા સ્થાનિક ઉડ્ડયન ક્ષેત્ર માટે સારી બાબત નથી. ગો ફર્સ્ટની ક્રાઈસિસ દેશના ઉડ્ડયન ક્ષેત્ર માટે યોગ્ય બાબત નથી. ભલે દરેક એરલાઈન્સ નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ આવે છે, પરંતુ દરેક કંપનીએ પોતાના નાણાંનું સંચાલન વધુ સારી રીતે કરવું પડશે. જ્યાં સુધી એરલાઇન્સની મદદનો સવાલ છે, નાગરિક ઉડ્ડયન મંત્રાલય મૂળભૂત મુદ્દા પર કંપનીઓને તમામ શક્ય મદદ આપવા માટે તૈયાર છે.---જ્યોતિરાદિત્ય સિંધિયા

ચૂકાદો બાકી રહ્યો: ગો ફર્સ્ટના ડેનને ધ્યાનમાં રાખીને NCLTએ 10 મેના રોજ નાદારી પ્રક્રિયાને મંજૂરી આપી હતી. આ પછી, અભિલાષ લાલને કંપનીના ઇન્ટરિમ રિઝોલ્યુશન પ્રોફેશનલ (IRP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ પછી, કરાર સમાપ્ત કરીને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) ના નિર્ણયને પડકારતી સાથી કંપનીઓએ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ને તેના 45 એરક્રાફ્ટની સૂચિ પાછી ખેંચવાની માંગ કરી. નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ આ મામલે 22 મેના રોજ પોતાનો ચુકાદો આપશે.

તમામ ફ્લાઇટ્સ રદ: ગોફર્સ્ટે ઓપરેશનલ સમસ્યાઓના કારણે 26 મે સુધીની તમામ ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. જો કે, કંપનીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તે ટૂંક સમયમાં ફ્લાઇટ સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં સક્ષમ હશે. ઈકોનોમિક ટાઈમ્સમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, એરલાઈન્સ 27 મેથી તેની ફ્લાઈટ સેવાઓ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. આ માટે કંપની આજથી પાઈલટોને ટ્રેનિંગ પણ શરૂ કરવા જઈ રહી છે, પરંતુ તમને જણાવી દઈએ કે, હજુ સુધી GoFirstએ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. નોંધનીય છે કે 3 મેના રોજ, એરલાઈને તેની તમામ ફ્લાઇટ સેવાઓ રદ કરીને પોતાને નાદાર જાહેર કરવા માટે NCLTમાં અરજી દાખલ કરી હતી. આ પછી DGCAએ એરલાઈન્સના બુકિંગ પર પણ પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો હતો.

New Parliament Building: વડાપ્રધાન મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે

Karnataka CLP Meet: સિદ્ધારમૈયા વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા, શિવકુમારે પ્રસ્તાવ મૂક્યો

Karnataka News: 92 વર્ષીય ધારાસભ્ય શમનુરે શેટ્ટરને પ્રધાન બનાવવાની કરી માંગ

Last Updated : May 19, 2023, 9:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.