ETV Bharat / bharat

શું સ્વાસ્થ્ય બજેટ રોગચાળાના વર્ષમાં ભારતમાં નબળી પડી રહેલી જાહેર આરોગ્ય પ્રણાલિઓની પુનઃરચના કરી શકશે ?

author img

By

Published : Feb 3, 2021, 9:00 AM IST

કોવિડ 19 રોગચાળાએ રાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં બે સમસ્યાઓ ઉત્પન્ન કરી છે - આર્થિક મંદી જેના કારણે મહેસૂલી આવક ઉત્પન્ન થવામાં સમસ્યા થઈ છે અને આરોગ્ય અને સામાજિક સલામતી નેટ કાર્યક્રમો સહિત સામાજિક ક્ષેત્રમાં ઊંચા રોકાણની આવશ્યકતાની સમસ્યા પણ થઈ છે.

આરોગ્ય બજેટ
આરોગ્ય બજેટ

ન્યૂઝ ડેસ્કઃ કોવિડ 19 રોગચાળાએ રાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં બે સમસ્યાઓ ઉત્પન્ન કરી છે - આર્થિક મંદી જેના કારણે મહેસૂલી આવક ઉત્પન્ન થવામાં સમસ્યા થઈ છે અને આરોગ્ય અને સામાજિક સલામતી નેટ કાર્યક્રમો સહિત સામાજિક ક્ષેત્રમાં ઊંચા રોકાણની આવશ્યકતાની સમસ્યા પણ થઈ છે. બંને વચ્ચે સંતુલન બનાવવું એ એક મોટું કાર્ય છે, જેનું માર્ગદર્શન ઘણી વાર નાણાકીય સમજદાર ધોરણો દ્વારા થાય છે. જોકે, કેન્દ્રીય બજેટે મધ્યમ પથ લીધો છે. કૉવિડ 19થી આરોગ્ય પ્રણાલિઓમાં રહેલાં છિદ્રોને પૂરવા સ્વાસ્થ્ય ક્ષેત્રે વધુ સરકારી રોકાણની આવશ્યકતા ઊભી કરી છે. વિકસિત અથવા વિકાસશીલ રાજ્યને ધ્યાનમાં લીધા વગર, દરેકને રોગચાળાનો ફટકો આરોગ્ય પ્રણાલિની ખરાબ તૈયારીને લીધે વધુ અનુભવાયો.

વર્ષ 2021-22ના બજેટ અંદાજમાં, નાણા પ્રધાને આરોગ્ય અને પરિવાર કલ્યાણ, આરોગ્ય સંશોધન અને આયૂષ મંત્રાલયના વિભાગોને કુલ મળીને રૂ. 76,901 કરોડની જોગવાઈ કરી છે. ગયા વર્ષના બજેટ અંદાજ કરતાં તે 11 ટકા વધુ છે. છેલ્લાં ચાર વર્ષોમાં તે સૌથી વધુ વધારો છે. કુલ સરકારી ખર્ચમાં તેનો હિસ્સો મોટા ભાગે સમાન રહ્યો છે અને વર્ષ 2020-21ના બજેટ અંદાજ જેવો, 2.21 ટકા રહ્યો છે. આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગ માટે આંતર ફાળવણીમાં 71268 કરોડ, જેમાં છેલ્લા બજેટથી 9 ટકા મામૂલી વૃદ્ધિ છે અને આયૂષ મંત્રાલય માટે રૂ. 3980 કરોડ તેમજ આરોગ્ય સંશોધન વિભાગ માટે 2663 કરોડ અપાયા છે. આ વર્ષના બજેટમાં કુલ સરકારી ખર્ચમાં એકંદરે 2.21 ટકા જેટલા સ્વાસ્થ્યનો હિસ્સો સંભાળના સ્થળે મોટી રકમ ખર્ચનારા પરિવારોનો આર્થિક ભાર ઘટાડશે નહીં. ખિસ્સામાંથી કુલ ખર્ચ 63 ટકા જેટલો થાય છે જે માત્ર પાછળ ધકેલનાર જ નથી, પરંતુ લાખો લોકોને ગરીબી તરફ ધકેલી દે છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ, આયૂષ અને આરોગ્ય સંશોધન પર ખર્ચ

આરોગ્ય અને સુખાકારી અંતર્ગત જાહેર કરાયેલ પી.એમ. આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના એ એક પ્રશંસાજનક જાહેરાત છે, જે વૃદ્ધિ હાંસલ કરવાના અને આત્મનિર્ભર ભારતના છ આધારસ્તંભમાંથી એક છે. ગ્રામીણ અને શહેરી આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો, જાહેર આરોગ્ય પ્રયોગશાળાઓ સ્થાપવા, હવા અને દરિયાઈ બંદરો પર જાહેર આરોગ્ય એકમોના સંચાલન અને રોગોના નિયંત્રણ માટે રાષ્ટ્રીય કેન્દ્રને મજબુત બનાવવા સાથે છ વર્ષના સમયગાળા માટે, 64,180 કરોડની ફાળવણી પ્રાથમિક સંભાળને મજબૂત બનાવવા અને જાહેર આરોગ્ય પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવાના હેતુસર લીધેલાં પગલાંઓની હારમાળા છે. એક કઠોર વાસ્તવિકતા એ છે કે કોવિડ રોગચાળાએ આપણને બતાવ્યું છે કે જો આપણે મૂળભૂત આરોગ્યસંભાળ, સર્વેલન્સ સિસ્ટમ્સ અને જાહેર આરોગ્ય કાર્યો પર વધુ રોકાણો નહીં કરીએ તો નુકસાન મોટું થશે. આ સંદર્ભમાં, આ પગલાં સંક્રમિત રોગોના પુનર્જીવનના સંચાલન અને નિયંત્રણમાં મદદ કરવા માટે યોગ્ય દિશામાં છે. જોકે, સ્રોતની ફાળવણી પર્યાપ્ત ન પણ હોઈ શકે અને તે સંખ્યાબંધ પ્રોગ્રામોમાં પાંખી રીતે ફેલાયેલી છે. વધુમાં, કૉવિડ રસીકરણ કાર્યક્રમ માટે રૂ. 35,000 કરોડ ફાળવવામાં આવ્યા છે જે તર્કસંગત લાગે છે કારણ કે તે વસતિના નોંધપાત્ર હિસ્સાને રસી આપી શકે છે. જેટલી વહેલી તકે આપણે રસી આપીશું છીએ, તે અર્થતંત્ર માટે વધુ સારું રહેશે કારણકે વધુ ને વધુ લોકો ઉત્પાદક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા અને આર્થિક વિકાસમાં ફાળો આપવા મુક્ત થઈ શકશે.

તદુપરાંત, આ બજેટમાં આરોગ્ય - પોષણ, પીવાનું પાણી અને સ્વચ્છતા કાર્યક્રમોના સામાજિક નિર્ધારકોને નોંધપાત્ર રકમની ફાળવણી કરવામાં આવી છે જે આરોગ્ય અને સુખાકારીનો મોટો ભાગ છે. પીવાના પાણી અને સ્વચ્છતા માટે એકંદરે ફાળવણી ૨૦૨૦-૨૧ બજેટ અંદાજ દરમિયાન 21,518 કરોડ રૂપિયાથી 60,030 કરોડ નોંધપાત્ર રીતે થઈ છે અને આ અગાઉના બજેટના અંદાજ કરતાં લગભગ ત્રણ ગણા વધારે છે. આનાથી ઉલટું, ગયા વર્ષના બજેટના અંદાજની તુલનામાં પોષણ માટે ઓછી ફાળવણી કરવામાં આવી છે. આ વર્ષે બજેટ ફાળવણીના સ્તરને જોતાં, એનએફએચએસ પાંચમાંથી બહાર આવેલા પોષણ સૂચકાંકો તરફ ભારતની પ્રગતિને સંદર્ભિત કરવાની જરૂર છે. ખાસ કરીને, તે સમજવું રસપ્રદ છે કે ભારતના મોટાભાગના સમૃદ્ધ રાજ્યોમાં શું ખોટું થયું છે અને ઉંમર અને ચરબી માટે ઊંચાઈ -ઊંચાઈ માટે વજન ઓછું કરવું તે શા માટે ઘટી ગયું છે. આ બજેટમાં મિશન પોષણ 2.0ની જાહેરાત પોષણ ક્ષેત્રને મોટું પ્રોત્સાહન આપી શકે છે, જોકે, આ અંગે કોઈ ટિપ્પણી કરવી બહુ જલ્દી હશે.

તદુપરાંત, આરોગ્ય અને સુખાકારી પર ફાળવણીનું વિતરણ જે દરેકનું ધ્યાન આકર્ષિત કરે છે તે સૂચવે છે કે આરોગ્ય નાણાં પંચની ગ્રાન્ટ્સ ઉમેરીને આશરે 40 ટકા થાય છે અને પીવાના પાણી અને સ્વચ્છતાનો હિસ્સો 43 ટકા જેટલો મોટો છે. સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ફાળવણીમાં 137 ટકાનો વધારો જેને મોટો કૂદકો ગણવામાં આવે છે તે માત્ર સ્વાસ્થ્ય માટે નથી પરંતુ તે સ્વાસ્થ્યના સામાજિક નિર્ધારકોને આવરી લે છે.

સ્વાસ્થ્ય એ એક મહત્ત્વપૂર્ણ આધારસ્તંભ છે અને પ્રાથમિકતાઓ અયોગ્ય રીતે હોવી જોઈએ નહીં, કારણકે આરોગ્ય સંભાળના પડકારો ઘણા બધા છે. વર્ષ ૨૦૧૮માં, પીએમજેવાયની ઘોષણા આરોગ્યને રાજકીય ચર્ચાના કેન્દ્રમાં લાવી અને વર્ષ 2020માં સ્વાસ્થ્ય ફરી એક ખોટા કારણોસર ચર્ચામાં રહ્યું. વેગ અટકવો ન જોઈએ અને સરકારી નાણા સહાય વધારવી જોઈએ કે જેનાથી આર્થિક સર્વેક્ષણમાં જણાવ્યા મુજબ જીડીપીના 2.5-3 ટકા જાહેર ખર્ચનો લક્ષ્યાંક હાંસલ કરી શકાય. વિશ્વના ઘણા વિકાસશીલ અને વિકસિત દેશોની તુલનામાં આરોગ્ય માટે સરકારની ઓછી નાણા ફાળવણી તરીકે ભારતની કુખ્યાતિ હવે બદલવાની આવશ્યકતા છે કારણકે કારણ કે આ દેશની ક્ષીણ થઈ રહેલી જાહેર આરોગ્ય પ્રણાલિનું એક કારણ છે.

ડૉ. સરિત કુમાર રાઉતી

- તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હૅલ્થ, ભુવનેશ્વર (આઈઆઈપીએચબી)માં અધિક પ્રાધ્યાપક તરીકે કામ કરે છે.

આ લેખમાં વ્યક્ત કરેલા વિચારો અંગત છે અને જ્યાં લેખક કામ કરે છે તે સંગઠનના મતો તરીકે રજૂ થતા નથી.

sarit.kumar@phfi.org

ન્યૂઝ ડેસ્કઃ કોવિડ 19 રોગચાળાએ રાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં બે સમસ્યાઓ ઉત્પન્ન કરી છે - આર્થિક મંદી જેના કારણે મહેસૂલી આવક ઉત્પન્ન થવામાં સમસ્યા થઈ છે અને આરોગ્ય અને સામાજિક સલામતી નેટ કાર્યક્રમો સહિત સામાજિક ક્ષેત્રમાં ઊંચા રોકાણની આવશ્યકતાની સમસ્યા પણ થઈ છે. બંને વચ્ચે સંતુલન બનાવવું એ એક મોટું કાર્ય છે, જેનું માર્ગદર્શન ઘણી વાર નાણાકીય સમજદાર ધોરણો દ્વારા થાય છે. જોકે, કેન્દ્રીય બજેટે મધ્યમ પથ લીધો છે. કૉવિડ 19થી આરોગ્ય પ્રણાલિઓમાં રહેલાં છિદ્રોને પૂરવા સ્વાસ્થ્ય ક્ષેત્રે વધુ સરકારી રોકાણની આવશ્યકતા ઊભી કરી છે. વિકસિત અથવા વિકાસશીલ રાજ્યને ધ્યાનમાં લીધા વગર, દરેકને રોગચાળાનો ફટકો આરોગ્ય પ્રણાલિની ખરાબ તૈયારીને લીધે વધુ અનુભવાયો.

વર્ષ 2021-22ના બજેટ અંદાજમાં, નાણા પ્રધાને આરોગ્ય અને પરિવાર કલ્યાણ, આરોગ્ય સંશોધન અને આયૂષ મંત્રાલયના વિભાગોને કુલ મળીને રૂ. 76,901 કરોડની જોગવાઈ કરી છે. ગયા વર્ષના બજેટ અંદાજ કરતાં તે 11 ટકા વધુ છે. છેલ્લાં ચાર વર્ષોમાં તે સૌથી વધુ વધારો છે. કુલ સરકારી ખર્ચમાં તેનો હિસ્સો મોટા ભાગે સમાન રહ્યો છે અને વર્ષ 2020-21ના બજેટ અંદાજ જેવો, 2.21 ટકા રહ્યો છે. આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગ માટે આંતર ફાળવણીમાં 71268 કરોડ, જેમાં છેલ્લા બજેટથી 9 ટકા મામૂલી વૃદ્ધિ છે અને આયૂષ મંત્રાલય માટે રૂ. 3980 કરોડ તેમજ આરોગ્ય સંશોધન વિભાગ માટે 2663 કરોડ અપાયા છે. આ વર્ષના બજેટમાં કુલ સરકારી ખર્ચમાં એકંદરે 2.21 ટકા જેટલા સ્વાસ્થ્યનો હિસ્સો સંભાળના સ્થળે મોટી રકમ ખર્ચનારા પરિવારોનો આર્થિક ભાર ઘટાડશે નહીં. ખિસ્સામાંથી કુલ ખર્ચ 63 ટકા જેટલો થાય છે જે માત્ર પાછળ ધકેલનાર જ નથી, પરંતુ લાખો લોકોને ગરીબી તરફ ધકેલી દે છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ, આયૂષ અને આરોગ્ય સંશોધન પર ખર્ચ

આરોગ્ય અને સુખાકારી અંતર્ગત જાહેર કરાયેલ પી.એમ. આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના એ એક પ્રશંસાજનક જાહેરાત છે, જે વૃદ્ધિ હાંસલ કરવાના અને આત્મનિર્ભર ભારતના છ આધારસ્તંભમાંથી એક છે. ગ્રામીણ અને શહેરી આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો, જાહેર આરોગ્ય પ્રયોગશાળાઓ સ્થાપવા, હવા અને દરિયાઈ બંદરો પર જાહેર આરોગ્ય એકમોના સંચાલન અને રોગોના નિયંત્રણ માટે રાષ્ટ્રીય કેન્દ્રને મજબુત બનાવવા સાથે છ વર્ષના સમયગાળા માટે, 64,180 કરોડની ફાળવણી પ્રાથમિક સંભાળને મજબૂત બનાવવા અને જાહેર આરોગ્ય પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવાના હેતુસર લીધેલાં પગલાંઓની હારમાળા છે. એક કઠોર વાસ્તવિકતા એ છે કે કોવિડ રોગચાળાએ આપણને બતાવ્યું છે કે જો આપણે મૂળભૂત આરોગ્યસંભાળ, સર્વેલન્સ સિસ્ટમ્સ અને જાહેર આરોગ્ય કાર્યો પર વધુ રોકાણો નહીં કરીએ તો નુકસાન મોટું થશે. આ સંદર્ભમાં, આ પગલાં સંક્રમિત રોગોના પુનર્જીવનના સંચાલન અને નિયંત્રણમાં મદદ કરવા માટે યોગ્ય દિશામાં છે. જોકે, સ્રોતની ફાળવણી પર્યાપ્ત ન પણ હોઈ શકે અને તે સંખ્યાબંધ પ્રોગ્રામોમાં પાંખી રીતે ફેલાયેલી છે. વધુમાં, કૉવિડ રસીકરણ કાર્યક્રમ માટે રૂ. 35,000 કરોડ ફાળવવામાં આવ્યા છે જે તર્કસંગત લાગે છે કારણ કે તે વસતિના નોંધપાત્ર હિસ્સાને રસી આપી શકે છે. જેટલી વહેલી તકે આપણે રસી આપીશું છીએ, તે અર્થતંત્ર માટે વધુ સારું રહેશે કારણકે વધુ ને વધુ લોકો ઉત્પાદક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા અને આર્થિક વિકાસમાં ફાળો આપવા મુક્ત થઈ શકશે.

તદુપરાંત, આ બજેટમાં આરોગ્ય - પોષણ, પીવાનું પાણી અને સ્વચ્છતા કાર્યક્રમોના સામાજિક નિર્ધારકોને નોંધપાત્ર રકમની ફાળવણી કરવામાં આવી છે જે આરોગ્ય અને સુખાકારીનો મોટો ભાગ છે. પીવાના પાણી અને સ્વચ્છતા માટે એકંદરે ફાળવણી ૨૦૨૦-૨૧ બજેટ અંદાજ દરમિયાન 21,518 કરોડ રૂપિયાથી 60,030 કરોડ નોંધપાત્ર રીતે થઈ છે અને આ અગાઉના બજેટના અંદાજ કરતાં લગભગ ત્રણ ગણા વધારે છે. આનાથી ઉલટું, ગયા વર્ષના બજેટના અંદાજની તુલનામાં પોષણ માટે ઓછી ફાળવણી કરવામાં આવી છે. આ વર્ષે બજેટ ફાળવણીના સ્તરને જોતાં, એનએફએચએસ પાંચમાંથી બહાર આવેલા પોષણ સૂચકાંકો તરફ ભારતની પ્રગતિને સંદર્ભિત કરવાની જરૂર છે. ખાસ કરીને, તે સમજવું રસપ્રદ છે કે ભારતના મોટાભાગના સમૃદ્ધ રાજ્યોમાં શું ખોટું થયું છે અને ઉંમર અને ચરબી માટે ઊંચાઈ -ઊંચાઈ માટે વજન ઓછું કરવું તે શા માટે ઘટી ગયું છે. આ બજેટમાં મિશન પોષણ 2.0ની જાહેરાત પોષણ ક્ષેત્રને મોટું પ્રોત્સાહન આપી શકે છે, જોકે, આ અંગે કોઈ ટિપ્પણી કરવી બહુ જલ્દી હશે.

તદુપરાંત, આરોગ્ય અને સુખાકારી પર ફાળવણીનું વિતરણ જે દરેકનું ધ્યાન આકર્ષિત કરે છે તે સૂચવે છે કે આરોગ્ય નાણાં પંચની ગ્રાન્ટ્સ ઉમેરીને આશરે 40 ટકા થાય છે અને પીવાના પાણી અને સ્વચ્છતાનો હિસ્સો 43 ટકા જેટલો મોટો છે. સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ફાળવણીમાં 137 ટકાનો વધારો જેને મોટો કૂદકો ગણવામાં આવે છે તે માત્ર સ્વાસ્થ્ય માટે નથી પરંતુ તે સ્વાસ્થ્યના સામાજિક નિર્ધારકોને આવરી લે છે.

સ્વાસ્થ્ય એ એક મહત્ત્વપૂર્ણ આધારસ્તંભ છે અને પ્રાથમિકતાઓ અયોગ્ય રીતે હોવી જોઈએ નહીં, કારણકે આરોગ્ય સંભાળના પડકારો ઘણા બધા છે. વર્ષ ૨૦૧૮માં, પીએમજેવાયની ઘોષણા આરોગ્યને રાજકીય ચર્ચાના કેન્દ્રમાં લાવી અને વર્ષ 2020માં સ્વાસ્થ્ય ફરી એક ખોટા કારણોસર ચર્ચામાં રહ્યું. વેગ અટકવો ન જોઈએ અને સરકારી નાણા સહાય વધારવી જોઈએ કે જેનાથી આર્થિક સર્વેક્ષણમાં જણાવ્યા મુજબ જીડીપીના 2.5-3 ટકા જાહેર ખર્ચનો લક્ષ્યાંક હાંસલ કરી શકાય. વિશ્વના ઘણા વિકાસશીલ અને વિકસિત દેશોની તુલનામાં આરોગ્ય માટે સરકારની ઓછી નાણા ફાળવણી તરીકે ભારતની કુખ્યાતિ હવે બદલવાની આવશ્યકતા છે કારણકે કારણ કે આ દેશની ક્ષીણ થઈ રહેલી જાહેર આરોગ્ય પ્રણાલિનું એક કારણ છે.

ડૉ. સરિત કુમાર રાઉતી

- તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હૅલ્થ, ભુવનેશ્વર (આઈઆઈપીએચબી)માં અધિક પ્રાધ્યાપક તરીકે કામ કરે છે.

આ લેખમાં વ્યક્ત કરેલા વિચારો અંગત છે અને જ્યાં લેખક કામ કરે છે તે સંગઠનના મતો તરીકે રજૂ થતા નથી.

sarit.kumar@phfi.org

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.