ETV Bharat / bharat

Biparjoy Cyclone:બિપરજોયના કારણે રેલવેએ 67 ટ્રેનો રદ કરી, જુઓ લીસ્ટ

author img

By

Published : Jun 13, 2023, 10:31 AM IST

Updated : Jun 13, 2023, 11:28 AM IST

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત 10 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. વાવાઝોડું હાલમાં મુંબઈના દરિયાકાંઠેથી 500 કિમી અને ગુજરાતના દરિયાકાંઠે 350 કિમી દૂર છે. બિપરજોય ચક્રવાતને ધ્યાનમાં રાખીને રેલવેએ 67 ટ્રેનો રદ કરવા નિર્ણય કર્યો છે. ઓડિશામાં જે ઘટના બની છે તેવું ફરિવાર ના થાય તે માટે રેલવે તંત્ર તરફથી તમામ પાસા પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

biporjoy-cyclone-railways-has-canceled-67-trains-due-to-biparjoy-storm
biporjoy-cyclone-railways-has-canceled-67-trains-due-to-biparjoy-storm

નવી દિલ્હી: અરબી સમુદ્રમાં બનેલા ચક્રવાતી તોફાન 'બિપરજોય'એ ભારતના દરિયાકાંઠાના વિસ્તારો પર તેની અસર બતાવવાનું શરૂ કર્યું છે. આના કારણે મહારાષ્ટ્રના મુંબઈ સહિત અનેક શહેરોમાં વરસાદ પડ્યો અને 55 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો શરૂ થઈ ગયા છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે પણ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે.વાવાઝોડાને કારણે ચાર દિવસ સુધી ભારે પવન ફૂંકાશે. જેમ જેમ વાવાઝોડું નજીક આવશે તેમ પવનની ગતિ વધશે. જેના કારણે વૃક્ષો ધરાશાયી થવાની અને પાવર અને ફોન લાઈનોને નુકસાન થવાની સંભાવના છે. રેલ્વેએ પણ બિપરજોય તોફાનને જોતા લગભગ 67 ટ્રેનો રદ કરી છે. જો તમે ટ્રેન દ્વારા ક્યાંક મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો માહિતી મેળવ્યા પછી જ સ્ટેશન પર જાઓ. અહીં અમે તમને રદ કરાયેલી ટ્રેનોની સંપૂર્ણ યાદી આપવા જઈ રહ્યા છીએ. ચાલો તમને જણાવીએ કે કઈ ટ્રેનો રદ કરવામાં આવી છે.

બિપરજોયના કારણે રેલવેએ 67 ટ્રેનો રદ કરી
બિપરજોયના કારણે રેલવેએ 67 ટ્રેનો રદ કરી

પાકિસ્તાનના દરિયાકાંઠે: મંગળવાર અને બુધવાર સુધીમાં પવનની ઝડપ 70 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની ધારણા છે. બુધવારથી પણ વરસાદનું જોર વધશે. ગુરુવારે બપોર સુધીમાં 'બિપરજોય' વાવાઝોડું ગુજરાતના જખૌ કાંઠા અને તેને અડીને આવેલા પાકિસ્તાનના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. આ દરમિયાન 135 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે, જે 150 કિમી/કલાક સુધી વધી શકે છે. તે જ દિવસે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. કચ્છમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. શાળા-કોલેજો ત્રણ દિવસ માટે બંધ છે. શુક્રવારે વાવાઝોડાની અસરને કારણે દક્ષિણ રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

કચ્છમાંથી પસાર થશેઃ 150 કિમીની ઝડપથી આગળ વધી રહેલું બિપરજોય કચ્છમાંથી પસાર થઈને રાજસ્થાન રાજ્યમાં એન્ટ્રી કરશે. જેના કારણે ભારેથી અતિભારે વરસાદ થવાની પૂરી શકયતાઓ છે. મંગળવારે પણ મળી રહેલા રીપોર્ટ અનુસાર 12 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેના કારણે સૌરાષ્ટ્રમાં ચોમાસું સક્રિય થયું હોય એવો માહોલ જોવા મળ્યો હતો. છ દિવસમાં વાવાઝોડાની તાકાતમાં વધારો થયો છે. ત્રણ ગણી તાકાતથી વાવઝોડું આગળ વધી રહ્યું છે. વારંવાર દિશા બદલી રહેલું વાવાઝોડું વિનાશક રૂપ લઈ શકે છે.

બિપરજોયના કારણે રેલવેએ 67 ટ્રેનો રદ કરી
બિપરજોયના કારણે રેલવેએ 67 ટ્રેનો રદ કરી

NDRF અને SDRF ટીમ તૈનાતઃ ગુજરાતના રાહત કમિશનર આલોક પાંડેએ અમદાવાદમાં પત્રકારોને જણાવ્યું હતું કે આ ચક્રવાતને કારણે કોઈ જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર સતત કામ કરી રહી છે. તેમણે કહ્યું કે ચક્રવાત પ્રભાવિત જિલ્લાઓમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની ડઝનેક ટીમો તૈનાત કરવામાં આવી છે અને લોકોના રહેવા, ભોજન અને દવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, દ્વારકા નજીકના દરિયાકાંઠે ઓઇલ માઇનિંગ જહાજ 'કી સિંગાપોર'માંથી 50 કર્મચારીઓને બહાર કાઢવા માટે કોસ્ટ ગાર્ડ (ICG) સાથે આર્મી, નેવી અને ભારતીય કોસ્ટ ગાર્ડને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે. IMDએ જણાવ્યું હતું કે ખૂબ જ તીવ્ર ચક્રવાતી વાવાઝોડું બિપરજોય ગુરુવારે ગુજરાતના કચ્છ જિલ્લાના જખાઉ બંદર નજીક લેન્ડફોલ કરે તેવી સંભાવના છે.

પીએમ મોદીનો આદેશઃ વડાપ્રધાને એ પણ નિર્દેશ આપ્યો કે પ્રાણીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ અને તેમણે એક કંટ્રોલ રૂમ સ્થાપિત કરવાનો આદેશ આપ્યો જે દિવસમાં 24 કલાક, અઠવાડિયાના સાતેય દિવસ ચાલે. અધિકારીઓએ જણાવ્યું કે કચ્છ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે અને તમામ શાળાઓ અને કોલેજો 15 જૂન સુધી બંધ કરી દેવામાં આવી છે. દરમિયાન, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ જેમ કે વલસાડ, ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં સોમવારે સવારે હળવો વરસાદ પડ્યો હતો.

  1. Biparjoy Cyclone: કચ્છના બંદરથી માત્ર 430 કિમી દૂર બિપરજોય, 7000 લોકોનું સ્થળાંતર
  2. Biparjoy Cyclone: પાટણ જિલ્લામાં સંભવિત ખતરા સામે વહીવટી તંત્ર એલર્ટ

નવી દિલ્હી: અરબી સમુદ્રમાં બનેલા ચક્રવાતી તોફાન 'બિપરજોય'એ ભારતના દરિયાકાંઠાના વિસ્તારો પર તેની અસર બતાવવાનું શરૂ કર્યું છે. આના કારણે મહારાષ્ટ્રના મુંબઈ સહિત અનેક શહેરોમાં વરસાદ પડ્યો અને 55 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો શરૂ થઈ ગયા છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે પણ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે.વાવાઝોડાને કારણે ચાર દિવસ સુધી ભારે પવન ફૂંકાશે. જેમ જેમ વાવાઝોડું નજીક આવશે તેમ પવનની ગતિ વધશે. જેના કારણે વૃક્ષો ધરાશાયી થવાની અને પાવર અને ફોન લાઈનોને નુકસાન થવાની સંભાવના છે. રેલ્વેએ પણ બિપરજોય તોફાનને જોતા લગભગ 67 ટ્રેનો રદ કરી છે. જો તમે ટ્રેન દ્વારા ક્યાંક મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો માહિતી મેળવ્યા પછી જ સ્ટેશન પર જાઓ. અહીં અમે તમને રદ કરાયેલી ટ્રેનોની સંપૂર્ણ યાદી આપવા જઈ રહ્યા છીએ. ચાલો તમને જણાવીએ કે કઈ ટ્રેનો રદ કરવામાં આવી છે.

બિપરજોયના કારણે રેલવેએ 67 ટ્રેનો રદ કરી
બિપરજોયના કારણે રેલવેએ 67 ટ્રેનો રદ કરી

પાકિસ્તાનના દરિયાકાંઠે: મંગળવાર અને બુધવાર સુધીમાં પવનની ઝડપ 70 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની ધારણા છે. બુધવારથી પણ વરસાદનું જોર વધશે. ગુરુવારે બપોર સુધીમાં 'બિપરજોય' વાવાઝોડું ગુજરાતના જખૌ કાંઠા અને તેને અડીને આવેલા પાકિસ્તાનના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. આ દરમિયાન 135 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે, જે 150 કિમી/કલાક સુધી વધી શકે છે. તે જ દિવસે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. કચ્છમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. શાળા-કોલેજો ત્રણ દિવસ માટે બંધ છે. શુક્રવારે વાવાઝોડાની અસરને કારણે દક્ષિણ રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

કચ્છમાંથી પસાર થશેઃ 150 કિમીની ઝડપથી આગળ વધી રહેલું બિપરજોય કચ્છમાંથી પસાર થઈને રાજસ્થાન રાજ્યમાં એન્ટ્રી કરશે. જેના કારણે ભારેથી અતિભારે વરસાદ થવાની પૂરી શકયતાઓ છે. મંગળવારે પણ મળી રહેલા રીપોર્ટ અનુસાર 12 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેના કારણે સૌરાષ્ટ્રમાં ચોમાસું સક્રિય થયું હોય એવો માહોલ જોવા મળ્યો હતો. છ દિવસમાં વાવાઝોડાની તાકાતમાં વધારો થયો છે. ત્રણ ગણી તાકાતથી વાવઝોડું આગળ વધી રહ્યું છે. વારંવાર દિશા બદલી રહેલું વાવાઝોડું વિનાશક રૂપ લઈ શકે છે.

બિપરજોયના કારણે રેલવેએ 67 ટ્રેનો રદ કરી
બિપરજોયના કારણે રેલવેએ 67 ટ્રેનો રદ કરી

NDRF અને SDRF ટીમ તૈનાતઃ ગુજરાતના રાહત કમિશનર આલોક પાંડેએ અમદાવાદમાં પત્રકારોને જણાવ્યું હતું કે આ ચક્રવાતને કારણે કોઈ જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર સતત કામ કરી રહી છે. તેમણે કહ્યું કે ચક્રવાત પ્રભાવિત જિલ્લાઓમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની ડઝનેક ટીમો તૈનાત કરવામાં આવી છે અને લોકોના રહેવા, ભોજન અને દવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, દ્વારકા નજીકના દરિયાકાંઠે ઓઇલ માઇનિંગ જહાજ 'કી સિંગાપોર'માંથી 50 કર્મચારીઓને બહાર કાઢવા માટે કોસ્ટ ગાર્ડ (ICG) સાથે આર્મી, નેવી અને ભારતીય કોસ્ટ ગાર્ડને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે. IMDએ જણાવ્યું હતું કે ખૂબ જ તીવ્ર ચક્રવાતી વાવાઝોડું બિપરજોય ગુરુવારે ગુજરાતના કચ્છ જિલ્લાના જખાઉ બંદર નજીક લેન્ડફોલ કરે તેવી સંભાવના છે.

પીએમ મોદીનો આદેશઃ વડાપ્રધાને એ પણ નિર્દેશ આપ્યો કે પ્રાણીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ અને તેમણે એક કંટ્રોલ રૂમ સ્થાપિત કરવાનો આદેશ આપ્યો જે દિવસમાં 24 કલાક, અઠવાડિયાના સાતેય દિવસ ચાલે. અધિકારીઓએ જણાવ્યું કે કચ્છ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે અને તમામ શાળાઓ અને કોલેજો 15 જૂન સુધી બંધ કરી દેવામાં આવી છે. દરમિયાન, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ જેમ કે વલસાડ, ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં સોમવારે સવારે હળવો વરસાદ પડ્યો હતો.

  1. Biparjoy Cyclone: કચ્છના બંદરથી માત્ર 430 કિમી દૂર બિપરજોય, 7000 લોકોનું સ્થળાંતર
  2. Biparjoy Cyclone: પાટણ જિલ્લામાં સંભવિત ખતરા સામે વહીવટી તંત્ર એલર્ટ
Last Updated : Jun 13, 2023, 11:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.