ETV Bharat / bharat

વિકાસ દુબે એન્કાઉન્ટર કેસ: કે.એલ.ગુપ્તાને તપાસ સમિતિમાંથી હટાવવાની માગ

author img

By

Published : Jul 24, 2020, 3:07 PM IST

સુપ્રીમ કોર્ટે વિકાસ દુબે એન્કાઉન્ટર કેસમાં ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચનાને મંજૂરી આપી હતી. વિકાસ દુબે એન્કાઉન્ટર માટે બનાવવામાં આવેલી ન્યાયિક તપાસ સમિતિ સમક્ષ સામે હવે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં માગ કરવામાં આવી રહી છે કે પૂર્વ ડીજીપી કેએલ ગુપ્તાને બદલે ઉત્તર પ્રદેશના અન્ય પૂર્વ ડીજીપીને સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવે.

વિકાસ દુબે એન્કાઉન્ટર કેસ
વિકાસ દુબે એન્કાઉન્ટર કેસ

નવી દિલ્હી: વિકાસ દુબે એન્કાઉન્ટર કેસમાં CBI તપાસની માગ કરી રહેલા એડવોકેટ અનૂપ પ્રકાશ અવસ્થીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી ન્યાયિક તપાસ અને તપાસ સમિતિમાંથી પૂર્વ ડીજીપી કે.એલ ગુપ્તાને હટાવવા માગ કરી છે. તેમનું કહેવું છે કે, ડીજીપી રહેલા કે.એલ. ગુપ્તા પાસેથી ન્યાયીક તપાસની અપેક્ષા નથી અને તેમનું વલણ હવે પક્ષપાતી છે.

22 જુલાઈએ સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ બી.એસ. ચૌહાણની અધ્યક્ષતાવાળી બેન્ચે તપાસ માટે યુપી સરકારના સૂચનોને મંજૂરી આપી હતી. સમિતિમાં પૂર્વ ડીજીપી કે.એલ ગુપ્તાને પણ શામેલ કરવામાં આવ્યા હતા.

એડવોકેટ અનૂપ પ્રકાશ અવસ્થીએ ગુપ્તાને તપાસ સમિતિમાંથી હટાવવા અને સમિતિમાં આઇ.સી દ્વિવેદી, જાવેદ અહેમદ, પ્રકાશસિંઘ અને અન્ય ભૂતપૂર્વ ડીજીપીને સમિતિમાં રાખવા માટે સૂચન કર્યું છે.

નવી દિલ્હી: વિકાસ દુબે એન્કાઉન્ટર કેસમાં CBI તપાસની માગ કરી રહેલા એડવોકેટ અનૂપ પ્રકાશ અવસ્થીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી ન્યાયિક તપાસ અને તપાસ સમિતિમાંથી પૂર્વ ડીજીપી કે.એલ ગુપ્તાને હટાવવા માગ કરી છે. તેમનું કહેવું છે કે, ડીજીપી રહેલા કે.એલ. ગુપ્તા પાસેથી ન્યાયીક તપાસની અપેક્ષા નથી અને તેમનું વલણ હવે પક્ષપાતી છે.

22 જુલાઈએ સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ બી.એસ. ચૌહાણની અધ્યક્ષતાવાળી બેન્ચે તપાસ માટે યુપી સરકારના સૂચનોને મંજૂરી આપી હતી. સમિતિમાં પૂર્વ ડીજીપી કે.એલ ગુપ્તાને પણ શામેલ કરવામાં આવ્યા હતા.

એડવોકેટ અનૂપ પ્રકાશ અવસ્થીએ ગુપ્તાને તપાસ સમિતિમાંથી હટાવવા અને સમિતિમાં આઇ.સી દ્વિવેદી, જાવેદ અહેમદ, પ્રકાશસિંઘ અને અન્ય ભૂતપૂર્વ ડીજીપીને સમિતિમાં રાખવા માટે સૂચન કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.