ETV Bharat / bharat

વંદે ભારત મિશનઃ બહરીનથી 177 અને સાઉદીથી 152 ભારતીય સ્વદેશ પરત ફર્યા

author img

By

Published : May 9, 2020, 1:11 PM IST

કોરોના વાઇરસ મહામારીને લીધે લોકડાઉનની વચ્ચે વિદેશમાં હજારોની સંખ્યામાં ભારતીય ફસાયેલા છે. જે પોતાના દેશ પરત ફરવા ઇચ્છે છે. ગુરુવારથી જ વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે કામ શરૂ કરવામાં આવ્યું છે.

Etv Bharat, Gujarati News, Covid 19, Vande Bharat Mission day 3
Vande Bharat Mission day 3

નવી દિલ્હીઃ દુનિયાભરમાં ફેલાયેલા કોરોના મહામારી અને લોકડાઉનની વચ્ચે વિદેશમાં હજારોની સંખ્યામાં ભારતીય ફસાયેલા છે. જે પોતાના દેશ પરત ફરવા ઇચ્છે છે. ગુરુવારથી જ વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે કામ શરૂ કરવામાં આવ્યું છે.

બહરીનથી 177 ભારતીય કોચિન એરપોર્ટ પહોંચ્યા

બહરીનથી એક વિશેષ વિમાન 177 ભારતીય નાગરિકોને રાત્રે 11.30 કલાકે લઇને કોચીન એરપોર્ટ પહોંચ્યું હતું. બહરીનથી આવેલી પહેલી ફ્લાઇટમાં કર્ણાટક અને તમિલનાડુના ચાર-ચાર યાત્રીઓ સવાર હતા, જ્યારે અન્ય યાત્રીઓ કેરળના બીજા જિલ્લાથી છે.

બહરીનથી આવેલા યાત્રીઓની જ્યાં કોવિડ-19 સંક્રમણની તપાસ કરવામાં આવી નથી, તેથી આ એરપોર્ટ પર તેનું સ્વાસ્થય પરીક્ષણ કરવામાં આવશે.

મુસાફરો આવતાની સાથે જ તેઓની પ્રથમ થર્મલ સ્કેનર્સ દ્વારા તપાસ કરવામાં આવી. આ પછી, તેમને હેલ્થ સપોર્ટ ડેસ્ક પર મોકલવામાં આવ્યો. અહીં તેમને જાણ કરવામાં આવી હતી કે, તે કેવી રીતે થોડા સમય માટે પોતાના અલગ અલગ નિયમોનું પાલન કરશે.

પ્રોટોકોલ મુજબ, લક્ષણોવાળા લોકોને તુરંત જ એક અલગ વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા અને પ્રારંભિક ઉપચારિકતાઓ પછી, તેમને નજીકની રાજ્યની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

152 યાત્રીઓને લઇને વિમાન ભારત પહોંચ્યું

કોરોના વાઇરસના પ્રકોપ વચ્ચે સાઉદી અરબના રિયાદથી 152 યાત્રીઓને લઇને વિમાન કેરળના કરિપુર એરપોર્ટ પર પહોંચ્યું છે.

આ દેશોથી શનિવારે પરત આવશે ભારતીય નાગરિકો

વંદે ભારત મિશન અંતર્ગત ફ્લાઇટ ભારતીયોને બપોરે ત્રણ કલાકે દિલ્હી પહોંચાડશે. બીજી ફ્લાઇટ સાંજે 6.30 કલાકે કુવૈતથી હૈદરાબાદ જવા ભારતીયોને ઉપડશે. ત્રીજી ફ્લાઇટ રાત્રે 8.30 કલાકે મસ્કતથી કોચિન પહોંચશે, જ્યારે શારઝાનથી ભારતીય સાથેની ફ્લાઇટ રાત્રે 8.50 કલાકે લખનૌ પહોંચશે.

નવી દિલ્હીઃ દુનિયાભરમાં ફેલાયેલા કોરોના મહામારી અને લોકડાઉનની વચ્ચે વિદેશમાં હજારોની સંખ્યામાં ભારતીય ફસાયેલા છે. જે પોતાના દેશ પરત ફરવા ઇચ્છે છે. ગુરુવારથી જ વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે કામ શરૂ કરવામાં આવ્યું છે.

બહરીનથી 177 ભારતીય કોચિન એરપોર્ટ પહોંચ્યા

બહરીનથી એક વિશેષ વિમાન 177 ભારતીય નાગરિકોને રાત્રે 11.30 કલાકે લઇને કોચીન એરપોર્ટ પહોંચ્યું હતું. બહરીનથી આવેલી પહેલી ફ્લાઇટમાં કર્ણાટક અને તમિલનાડુના ચાર-ચાર યાત્રીઓ સવાર હતા, જ્યારે અન્ય યાત્રીઓ કેરળના બીજા જિલ્લાથી છે.

બહરીનથી આવેલા યાત્રીઓની જ્યાં કોવિડ-19 સંક્રમણની તપાસ કરવામાં આવી નથી, તેથી આ એરપોર્ટ પર તેનું સ્વાસ્થય પરીક્ષણ કરવામાં આવશે.

મુસાફરો આવતાની સાથે જ તેઓની પ્રથમ થર્મલ સ્કેનર્સ દ્વારા તપાસ કરવામાં આવી. આ પછી, તેમને હેલ્થ સપોર્ટ ડેસ્ક પર મોકલવામાં આવ્યો. અહીં તેમને જાણ કરવામાં આવી હતી કે, તે કેવી રીતે થોડા સમય માટે પોતાના અલગ અલગ નિયમોનું પાલન કરશે.

પ્રોટોકોલ મુજબ, લક્ષણોવાળા લોકોને તુરંત જ એક અલગ વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા અને પ્રારંભિક ઉપચારિકતાઓ પછી, તેમને નજીકની રાજ્યની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

152 યાત્રીઓને લઇને વિમાન ભારત પહોંચ્યું

કોરોના વાઇરસના પ્રકોપ વચ્ચે સાઉદી અરબના રિયાદથી 152 યાત્રીઓને લઇને વિમાન કેરળના કરિપુર એરપોર્ટ પર પહોંચ્યું છે.

આ દેશોથી શનિવારે પરત આવશે ભારતીય નાગરિકો

વંદે ભારત મિશન અંતર્ગત ફ્લાઇટ ભારતીયોને બપોરે ત્રણ કલાકે દિલ્હી પહોંચાડશે. બીજી ફ્લાઇટ સાંજે 6.30 કલાકે કુવૈતથી હૈદરાબાદ જવા ભારતીયોને ઉપડશે. ત્રીજી ફ્લાઇટ રાત્રે 8.30 કલાકે મસ્કતથી કોચિન પહોંચશે, જ્યારે શારઝાનથી ભારતીય સાથેની ફ્લાઇટ રાત્રે 8.50 કલાકે લખનૌ પહોંચશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.