આ ફાર્મહાઉસ શાદનગર બ્લૉકના પપીરેડ્ડીગુડામાં આવેલું છે. મૃતદેહ ફાર્મહાઉસના એક બંધ રુમમાં પડેલો હતો. જમીન જોવા ગયેલા લોકોએ મૃતદેહ જોતા તેઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો. કેશમપેટ પોલીસે આ મામલે ગુનો નોંધી મૃતદેહની ઓળખ કરવાની પ્રક્રિયા શરુ કરી હતી. પીએમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું કારણ બહાર આવશે.
નાગાર્જુન અને તેમના પરિવારના સભ્યોએ કહ્યુ હતું કે, તેઓએ થોડા સમય પહેલાં જ ફાર્મહાઉસની મુલાકાત કરી હતી અને વૃક્ષારોપણ કર્યુ હતું. ફાર્મહાઉસમાં ઓર્ગેનિક ખેતી કરવાનું વિચારી રહ્યા છે. આ માટે કેટલાક વિશેષજ્ઞોને મોકલ્યા હતાં. તેઓએ 40 એકર જમીન એક વર્ષ પહેલા ખરીદી હતી.