ETV Bharat / bharat

TOP NEWS @7 AM : વાંચો સવારે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

author img

By

Published : May 14, 2020, 7:45 AM IST

TOP NEWS @7 AM : વાંચો સવારે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...
TOP NEWS @7 AM : વાંચો સવારે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 364 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાઈરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 29 દર્દીનાં મોત થયા છે.

કોરના વાઈરસને કારણે ચાલી રહેલા લોકડાઉન દરમિયાન ગરીબો માટો રોજગારીનો સ્ત્રોત બંધ થઈ જતાં તેઓ માટે પરિવારનું ગુજરાન ચલાવવું ભારે પડ્યું છે. જેથી સરકાર દ્વારા તેમના માટે મનરેગા યોજના હેઠળ લાભ આપવામાં આવી રહ્યો છે.

ચોમાસુ સામાન્ય રીતે આશરે 16થી 20 મે ની આસપાસ આંદામાન-નિકોબાર આઇલેન્ડ પર પહોંચે છે. ગયા મહિને તેના આગમનની સંભવિત તારીખમાં સુધારો કરીને 22 મે કરવામાં આવી હતી. આઇએમડીએ જણાવ્યું હતું કે, ચોમાસુ બંગાળની ખાડીમાં આવેલા ચક્રવાતને કારણે સામાન્ય તારીખથી આશરે 6 દિવસ પહેલા 16 મેની આસપાસ આંદામાન-નિકોબાર આઇલેન્ડ પહોંચવાની સંભાવના છે.

સમગ્ર વિશ્વ કોરોના નામની મહામારીથી લડી રહ્યું છે, ત્યારે ગુજરાત પણ બાકી રહ્યું નથી. સમગ્ર દેશને ફરીથી ઉભો કરવા માટે ગતરોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. જેને રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની જનતાવતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ જાહેર કરેલા આર્થિક પેકેજથી ભારત દેશ મહાસત્તા બનશે તેવી પણ શુભેચ્છાઓ આપી હતી.

ગુજરાતના વડોદરાથી દોડતી ટ્રેનમાં ગોરખપુરની વૃદ્ધ મહિલાનું મોત થયું હતું. બાદમાં તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને તેનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું.

પીએમ કેર્સ ફંડે કોરોના સામેની લડત માટે 3100 કરોડ રૂપિયા જાહેર કર્યા છે. વડાપ્રધાન કાર્યાલયે આ માહિતી આપી હતી.

બુધવારે સાંજે રેલ્વે દ્વારા શરૂ કરવામાં આવેલી 15 શહેરોને જોડતી વિશેષ ટ્રેનો અને નજીકના ભવિષ્યમાં સૂચિત કરવામાં આવશે તેવી વિશેષ ટ્રેનો માટે 22 મેથી મર્યાદિત વેઇટિંગ લિસ્ટ જાહેર કરવાની મંજૂરી આપવામાં આવી છે.

દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા પરપ્રાંતિય શ્રમિકો, યાત્રાળુઓ, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને તેમના વતન રાજ્યમાં પરત ફરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશના પગલે રેલવે તંત્ર દ્વારા “શ્રમિક વિશેષ ટ્રેન” નામથી વિશેષ ટ્રેનો શરૂ કરીને આવા લોકોને આવનજાવન માટે વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


ઇન્દોરની MTH હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી હતી. તે દર્દીએ આત્મહત્યા કરી હતી. જેના કારણે ઘણા સવાલો પણ ઉભા થઈ રહ્યાં છે. હાલમાં પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

1984માં થયેલા શીખ રમખાણોના દોષી કોંગ્રેસ નેતા સજ્જન કુમારે સુપ્રિમ કોર્ટમાં કરેલી જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 364 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાઈરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 29 દર્દીનાં મોત થયા છે.

કોરના વાઈરસને કારણે ચાલી રહેલા લોકડાઉન દરમિયાન ગરીબો માટો રોજગારીનો સ્ત્રોત બંધ થઈ જતાં તેઓ માટે પરિવારનું ગુજરાન ચલાવવું ભારે પડ્યું છે. જેથી સરકાર દ્વારા તેમના માટે મનરેગા યોજના હેઠળ લાભ આપવામાં આવી રહ્યો છે.

ચોમાસુ સામાન્ય રીતે આશરે 16થી 20 મે ની આસપાસ આંદામાન-નિકોબાર આઇલેન્ડ પર પહોંચે છે. ગયા મહિને તેના આગમનની સંભવિત તારીખમાં સુધારો કરીને 22 મે કરવામાં આવી હતી. આઇએમડીએ જણાવ્યું હતું કે, ચોમાસુ બંગાળની ખાડીમાં આવેલા ચક્રવાતને કારણે સામાન્ય તારીખથી આશરે 6 દિવસ પહેલા 16 મેની આસપાસ આંદામાન-નિકોબાર આઇલેન્ડ પહોંચવાની સંભાવના છે.

સમગ્ર વિશ્વ કોરોના નામની મહામારીથી લડી રહ્યું છે, ત્યારે ગુજરાત પણ બાકી રહ્યું નથી. સમગ્ર દેશને ફરીથી ઉભો કરવા માટે ગતરોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. જેને રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની જનતાવતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ જાહેર કરેલા આર્થિક પેકેજથી ભારત દેશ મહાસત્તા બનશે તેવી પણ શુભેચ્છાઓ આપી હતી.

ગુજરાતના વડોદરાથી દોડતી ટ્રેનમાં ગોરખપુરની વૃદ્ધ મહિલાનું મોત થયું હતું. બાદમાં તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને તેનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું.

પીએમ કેર્સ ફંડે કોરોના સામેની લડત માટે 3100 કરોડ રૂપિયા જાહેર કર્યા છે. વડાપ્રધાન કાર્યાલયે આ માહિતી આપી હતી.

બુધવારે સાંજે રેલ્વે દ્વારા શરૂ કરવામાં આવેલી 15 શહેરોને જોડતી વિશેષ ટ્રેનો અને નજીકના ભવિષ્યમાં સૂચિત કરવામાં આવશે તેવી વિશેષ ટ્રેનો માટે 22 મેથી મર્યાદિત વેઇટિંગ લિસ્ટ જાહેર કરવાની મંજૂરી આપવામાં આવી છે.

દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા પરપ્રાંતિય શ્રમિકો, યાત્રાળુઓ, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને તેમના વતન રાજ્યમાં પરત ફરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશના પગલે રેલવે તંત્ર દ્વારા “શ્રમિક વિશેષ ટ્રેન” નામથી વિશેષ ટ્રેનો શરૂ કરીને આવા લોકોને આવનજાવન માટે વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


ઇન્દોરની MTH હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી હતી. તે દર્દીએ આત્મહત્યા કરી હતી. જેના કારણે ઘણા સવાલો પણ ઉભા થઈ રહ્યાં છે. હાલમાં પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

1984માં થયેલા શીખ રમખાણોના દોષી કોંગ્રેસ નેતા સજ્જન કુમારે સુપ્રિમ કોર્ટમાં કરેલી જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.