ETV Bharat / bharat

ભારત આવતા યાત્રીઓ માટે પ્રક્રિયા હળવી બની

author img

By

Published : Aug 7, 2020, 10:18 PM IST

દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (DIAL)એ એર સુવિધા (Air Suvidha) પોર્ટલ લોન્ચ કર્યું છે. ભારત આવતા આંતરરાષ્ટ્રીય યાત્રીઓ માટે પ્રક્રિયા હળવી બની છે.

International arrival process made easy with contact-less solution for passengers coming to India
ભારત આવતા યાત્રીઓ માટે પ્રક્રિયા હળવી બની

નવી દિલ્હીઃ વંદે ભારત મિશન અંતર્ગત ભારતમાં લાવવામાં આવતા ભારતીયોની મદદ માટે, દિલ્હી એરપોર્ટ પર એક વિશેષ પોર્ટલ એર સુવિધા (Air Suvidha) તૈયાર કર્યું છે. આ પોર્ટલની સહાયથી યાત્રી ફક્ત કોઈ પણ મુશ્કેલી વિના સેલ્ફ ડિક્લેરેશ ફોર્મ ભરી શકશે અને ફરજિયાત ક્વોરેન્ટાઇન પ્રક્રિયામાંથી છૂટ માટે પણ અરજી કરી શકશે. એકવાર અરજી મંજૂર થઈ જાય પછી, આ પોર્ટલ દ્વારા મુસાફરોને માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે. મુસાફરોની સહાય માટે 8 ઓગસ્ટે એર સુવિધા પોર્ટલ શરૂ કરવામાં આવશે. જે પછી, વિદેશથી આવતા તમામ મુસાફરો આ એર સુવિધા પોર્ટલનો લાભ લઈ શકશે.

ડાયલ (DIAL)ના સીઈઓ વિદેહકુમાર જયપુરીઅરે જણાવ્યું હતું કે, ઓનલાઇન ફોર્મ નાગરિક ઉડ્ડયન મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, રાજસ્થાનને સબમિટ કરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, હરિયાણા, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ સહિત વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોના સહયોગથી તેનો વિકાસ કરવામાં આવ્યો છે. ઉડ્ડયન મંત્રાલયની સૂચના મુજબ 8 ઓગસ્ટ 2020થી વિદેશથી આવતા તમામ મુસાફરોને આ સુવિધા ઉપલબ્ધ થશે. તેમણે જણાવ્યું હતું કે, એર સુવિધા શરૂ થયા બાદ મુસાફરોને રાહત મળશે અને માનવ સંપર્ક પણ ઓછો થશે.

ફરજિયાત ક્વૉરેન્ટાઇન પ્રક્રિયામાંથી મુક્તિ માટે પાંચ કેટેગરી સૂચવવામાં આવી છે. પ્રથમ કેટેગરીમાં, સગર્ભા સ્ત્રીઓ સામેલ છે. ગંભીર બીમારીથી પીડિત દર્દીઓ બીજા વર્ગમાં છે. ત્રીજી કેટેગરીમાં 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સાથે આવતા માતા-પિતાનો સમાવેશ થાય છે. ચોથી કેટેગરી હેઠળ તાજેતરના આરટી-પીસીઆર પરીક્ષણમાં કોરોના નેગેટિવ આવ્યા હોય તે છે. અહીં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, કોવિડ -19 ટેસ્ટ 96 કલાકથી વધુ જૂનો ન હોવો જોઈએ. તે જ સમયે, તે મુસાફરોને પાંચમી શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા છે, જેમના ઘરમાં કોઈનું મોત નીપજ્યું છે. ટિકિટ બુક કરાવતી વખતે મુસાફરોએ એરલાઇન્સને પણ આ માહિતી આપવી પડશે.

દિલ્હી એરપોર્ટના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, 5 કેટેગરી હેઠળ છૂટ મેળવવા માંગતા મુસાફરોએ દિલ્હી એરપોર્ટ વેબસાઇટ www.newdelhiairport.in પર ઉપલબ્ધ ઇ-ફોર્મ ભરવાનું રહેશે. તેઓએ તેમની ફ્લાઇટના ઓછામાં ઓછા 72 કલાક પહેલા તેમના પાસપોર્ટની એક કોપિ સહિતના જરૂરી દસ્તાવેજો સાથે સબમિટ કરવાના રહેશે. જો કે, સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરનારા મુસાફરો માટે આવી કોઈ સમય મર્યાદા નથી. તેમણે જણાવ્યું હતું કે, એર સુવિધાની મદદથી, મુસાફરે ફરી એકવાર વિવિધ વિભાગોને સમાન માહિતી આપવાની રહેશે નહીં. એકવાર તમે પોર્ટલમાં માહિતી દાખલ કરો છો, તે આપમેળે તમામ વિભાગોમાં પહોંચશે.

DIAL અધિકારીના જણાવ્યા મુજબ, બધા અરજદારોને આગમન પહેલાં માહિતી સંબંધિત રાજ્ય સરકારને મોકલવામાં આવશે. તેવી જ રીતે, તમામ અરજીઓ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ એરપોર્ટ આરોગ્ય કચેરી (APHO)ને મોકલવામાં આવશે. વિશિષ્ટ આધાર પર સ્વીકારવા અથવા રદ કરવાની અરજીની એક નકલ યાત્રીઓને ઇમેઇલ કરવામાં આવશે.

નવી દિલ્હીઃ વંદે ભારત મિશન અંતર્ગત ભારતમાં લાવવામાં આવતા ભારતીયોની મદદ માટે, દિલ્હી એરપોર્ટ પર એક વિશેષ પોર્ટલ એર સુવિધા (Air Suvidha) તૈયાર કર્યું છે. આ પોર્ટલની સહાયથી યાત્રી ફક્ત કોઈ પણ મુશ્કેલી વિના સેલ્ફ ડિક્લેરેશ ફોર્મ ભરી શકશે અને ફરજિયાત ક્વોરેન્ટાઇન પ્રક્રિયામાંથી છૂટ માટે પણ અરજી કરી શકશે. એકવાર અરજી મંજૂર થઈ જાય પછી, આ પોર્ટલ દ્વારા મુસાફરોને માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે. મુસાફરોની સહાય માટે 8 ઓગસ્ટે એર સુવિધા પોર્ટલ શરૂ કરવામાં આવશે. જે પછી, વિદેશથી આવતા તમામ મુસાફરો આ એર સુવિધા પોર્ટલનો લાભ લઈ શકશે.

ડાયલ (DIAL)ના સીઈઓ વિદેહકુમાર જયપુરીઅરે જણાવ્યું હતું કે, ઓનલાઇન ફોર્મ નાગરિક ઉડ્ડયન મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, રાજસ્થાનને સબમિટ કરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, હરિયાણા, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ સહિત વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોના સહયોગથી તેનો વિકાસ કરવામાં આવ્યો છે. ઉડ્ડયન મંત્રાલયની સૂચના મુજબ 8 ઓગસ્ટ 2020થી વિદેશથી આવતા તમામ મુસાફરોને આ સુવિધા ઉપલબ્ધ થશે. તેમણે જણાવ્યું હતું કે, એર સુવિધા શરૂ થયા બાદ મુસાફરોને રાહત મળશે અને માનવ સંપર્ક પણ ઓછો થશે.

ફરજિયાત ક્વૉરેન્ટાઇન પ્રક્રિયામાંથી મુક્તિ માટે પાંચ કેટેગરી સૂચવવામાં આવી છે. પ્રથમ કેટેગરીમાં, સગર્ભા સ્ત્રીઓ સામેલ છે. ગંભીર બીમારીથી પીડિત દર્દીઓ બીજા વર્ગમાં છે. ત્રીજી કેટેગરીમાં 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સાથે આવતા માતા-પિતાનો સમાવેશ થાય છે. ચોથી કેટેગરી હેઠળ તાજેતરના આરટી-પીસીઆર પરીક્ષણમાં કોરોના નેગેટિવ આવ્યા હોય તે છે. અહીં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, કોવિડ -19 ટેસ્ટ 96 કલાકથી વધુ જૂનો ન હોવો જોઈએ. તે જ સમયે, તે મુસાફરોને પાંચમી શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા છે, જેમના ઘરમાં કોઈનું મોત નીપજ્યું છે. ટિકિટ બુક કરાવતી વખતે મુસાફરોએ એરલાઇન્સને પણ આ માહિતી આપવી પડશે.

દિલ્હી એરપોર્ટના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, 5 કેટેગરી હેઠળ છૂટ મેળવવા માંગતા મુસાફરોએ દિલ્હી એરપોર્ટ વેબસાઇટ www.newdelhiairport.in પર ઉપલબ્ધ ઇ-ફોર્મ ભરવાનું રહેશે. તેઓએ તેમની ફ્લાઇટના ઓછામાં ઓછા 72 કલાક પહેલા તેમના પાસપોર્ટની એક કોપિ સહિતના જરૂરી દસ્તાવેજો સાથે સબમિટ કરવાના રહેશે. જો કે, સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરનારા મુસાફરો માટે આવી કોઈ સમય મર્યાદા નથી. તેમણે જણાવ્યું હતું કે, એર સુવિધાની મદદથી, મુસાફરે ફરી એકવાર વિવિધ વિભાગોને સમાન માહિતી આપવાની રહેશે નહીં. એકવાર તમે પોર્ટલમાં માહિતી દાખલ કરો છો, તે આપમેળે તમામ વિભાગોમાં પહોંચશે.

DIAL અધિકારીના જણાવ્યા મુજબ, બધા અરજદારોને આગમન પહેલાં માહિતી સંબંધિત રાજ્ય સરકારને મોકલવામાં આવશે. તેવી જ રીતે, તમામ અરજીઓ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ એરપોર્ટ આરોગ્ય કચેરી (APHO)ને મોકલવામાં આવશે. વિશિષ્ટ આધાર પર સ્વીકારવા અથવા રદ કરવાની અરજીની એક નકલ યાત્રીઓને ઇમેઇલ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.