શહેરના દોંડાઈચા-સોનગીર રોડ પર એક અજાણી વ્યક્તિ વિચિત્ર હાલતમાં જોવા મળી હતી. તે પછી સ્થાનિકોએ આ ઘટના વિશે પોલીસને માહિતી આપી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહની તપાસ કરી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ વ્યક્તિ હીરાનો વેપારી હતો. જે એક ગુજરાતી છે. પોલીસે મૃતદેહના ફિંગર પ્રિન્ટ લઈ હત્યા અંગે તપાસ હાથ ધરી છે.
હાલ પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં આ ગુજરાતી વેપારીનું નામ મોતીલાલ ગોપાલ કાબરા બતાવવામાં આવી રહ્યું છે. મૃતદેહના પ્રાથમિક પુરાવા ફોરેન્સિકને મોકલવામાં આવ્યાં છે. આ પુરાવાના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં કહેવાઈ રહ્યું છે કે, વેપારીની રોકડ અને વહન માટે હત્યા કરવામાં આવી છે.