ETV Bharat / bharat

કેરળ ગોલ્ડ સ્મગલિંગ કેસઃ આરોપી સ્વપ્ના સુરેશને NIA કોર્ટમાં રજૂ કરાશે

author img

By

Published : Jul 12, 2020, 12:35 PM IST

કેરળ સોના તસ્કરી મામલે મુખ્ય આરોપી સ્વપ્ના સુરેશ અને સંદીપ નાયરને રવિવારે કોચ્ચિની NIA કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ પહેલા શનિવારે NIA (રાષ્ટ્રીય તપાસ એજન્સી)એ બેંગ્લુરૂમાં બંનેની ધરપકડ કરી હતી.

Kerala gold smuggling case
Kerala gold smuggling case

બેંગ્લુરૂઃ કેરળના તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક રાજદ્વારીને બેગ સાથે 14.82 કરોડ રુપિયા મુલ્યના 30 કિલોગ્રામ સોનુ જપ્ત કરવાનો મામલો જોર પકડી રહ્યો છે. સંદિગ્ધ તસ્કરીના આ મામલે તપાસ એનઆઇએને સોંપવામાં આવી છે. તપાસની પ્રક્રિયા દરમિયાન આ મામલે મુખ્ય આરોપી સ્વપ્ના સુરેશ અને સંદીપ નાયરને રવિવારે કોચ્ચિની વિશેષ કોર્ટમાં રજૂ કરાશે.

આ પહેલા શનિવારે એનઆઇએના આધિકારીક સૂત્રોએ સોના તસ્કરી મામલે જણાવ્યું કે, બંને મુખ્ય આરોપી સ્વપ્ના સુરેશ અને સંદીપ નાયરની બેંગ્લુરૂથી ધરપકડ કરવામાં આવી છે. આ મામલે તિરુવનંતપુરમથી સ્વપ્ના, સરિથ અને સંદીપ નાયર અને એર્ણાકુલમના ફાજિલ ફરીદનું નામ ચોરી મામલે આરોપીઓના રુપમાં છે. આ પહેલા શુક્રવારે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ કેરળમાં એક રાજદ્વારી બેગમાં 14.82 કરોડ રુપિયાની કિંમતના 30 કિલોગ્રામ સોનાની ચોરીમાં કથિત સમાવેશને લઇને એક મહત્વની મહિલા સંદિગ્ધ સહિત ચાર લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો.

કેન્દ્રએ રાષ્ટ્રીય સુરક્ષા પર ગંભીરતાને ધ્યાને રાખીને ગુરૂવારે એનઆઇએએ આ મામલે તપાસની પરવાનગી આપી હતી. આ મામલે સરિથ, સ્વપ્ના પ્રભા સુરેશ અને સંદીપ નાયર તથા એર્નાકુલમના ફજિલ ફારિદનું નામ છે અને તેના સંબંધે પાંચ જુલાઇએ ત્રિવેન્દ્રમ આંતરરાષ્ટ્રીય હવાઇ એરપોર્ટ પર કોચ્ચિના સીમાશુલ્ક આયુક્ત કાર્યાલય દ્વારા 14.82 કરોડ રુપિયાની કિંમતના 30 કિલોગ્રામ સોનુ જપ્ત કરવામાં આવ્યું હતું.

સીમાશુલ્ક વિભાગે કહ્યું કે, એક તસ્કર ગિરોહ દ્વારા સંયુક્ત અરબ અમીરાતના વાણીજ્ય દૂતાવાસમાં એક વ્યક્તિના નામનો દુરુપયોગ કરવાનો સંદેહ છે, જેથી રાજદ્વારી છૂટ પ્રાપ્ત છે.

બેંગ્લુરૂઃ કેરળના તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક રાજદ્વારીને બેગ સાથે 14.82 કરોડ રુપિયા મુલ્યના 30 કિલોગ્રામ સોનુ જપ્ત કરવાનો મામલો જોર પકડી રહ્યો છે. સંદિગ્ધ તસ્કરીના આ મામલે તપાસ એનઆઇએને સોંપવામાં આવી છે. તપાસની પ્રક્રિયા દરમિયાન આ મામલે મુખ્ય આરોપી સ્વપ્ના સુરેશ અને સંદીપ નાયરને રવિવારે કોચ્ચિની વિશેષ કોર્ટમાં રજૂ કરાશે.

આ પહેલા શનિવારે એનઆઇએના આધિકારીક સૂત્રોએ સોના તસ્કરી મામલે જણાવ્યું કે, બંને મુખ્ય આરોપી સ્વપ્ના સુરેશ અને સંદીપ નાયરની બેંગ્લુરૂથી ધરપકડ કરવામાં આવી છે. આ મામલે તિરુવનંતપુરમથી સ્વપ્ના, સરિથ અને સંદીપ નાયર અને એર્ણાકુલમના ફાજિલ ફરીદનું નામ ચોરી મામલે આરોપીઓના રુપમાં છે. આ પહેલા શુક્રવારે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ કેરળમાં એક રાજદ્વારી બેગમાં 14.82 કરોડ રુપિયાની કિંમતના 30 કિલોગ્રામ સોનાની ચોરીમાં કથિત સમાવેશને લઇને એક મહત્વની મહિલા સંદિગ્ધ સહિત ચાર લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો.

કેન્દ્રએ રાષ્ટ્રીય સુરક્ષા પર ગંભીરતાને ધ્યાને રાખીને ગુરૂવારે એનઆઇએએ આ મામલે તપાસની પરવાનગી આપી હતી. આ મામલે સરિથ, સ્વપ્ના પ્રભા સુરેશ અને સંદીપ નાયર તથા એર્નાકુલમના ફજિલ ફારિદનું નામ છે અને તેના સંબંધે પાંચ જુલાઇએ ત્રિવેન્દ્રમ આંતરરાષ્ટ્રીય હવાઇ એરપોર્ટ પર કોચ્ચિના સીમાશુલ્ક આયુક્ત કાર્યાલય દ્વારા 14.82 કરોડ રુપિયાની કિંમતના 30 કિલોગ્રામ સોનુ જપ્ત કરવામાં આવ્યું હતું.

સીમાશુલ્ક વિભાગે કહ્યું કે, એક તસ્કર ગિરોહ દ્વારા સંયુક્ત અરબ અમીરાતના વાણીજ્ય દૂતાવાસમાં એક વ્યક્તિના નામનો દુરુપયોગ કરવાનો સંદેહ છે, જેથી રાજદ્વારી છૂટ પ્રાપ્ત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.