ETV Bharat / bharat

અમરનાથ યાત્રાઃ એક દિવસમાં 500થી વધુ તીર્થયાત્રિકોને મંજૂરી નહીં

author img

By

Published : Jul 9, 2020, 10:38 AM IST

કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીના કારણે ચાલુ વર્ષે અમરનાથ યાત્રામાં દરરોજના વધુમાં વધુ 500 તીર્થયાત્રિકોને પવિત્ર ગુફામાં દર્શન માટે જવા દેવામાં આવશે.

Amarnath Yatra
અમરનાથ યાત્રા

નવી દિલ્હીઃ અમરનાથ યાત્રામાં ચાલુ વર્ષે કોરોના વાઇરસ મહામારીને કારણે દરરોજના વધુમાં વધુ 500 તીર્થયાત્રિકોને જ પવિત્ર ગુફાના દર્શન કરી શકશે. આ અંગે અધિકારીઓએ બુધવારે જાણકારી આપી છે.

જમ્મુ-કાશ્મીરમાં સ્થિત અમરનાથ ગુફા મંદિર અને વૈષ્ણોદેવી મંદિરમાં શ્રદ્ધાળુઓને દર્શનની અનુમતીના મામલે એક ઉચ્ચસ્તરીય બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન જી. કિશન રેડ્ડી, વડાપ્રધાન કાર્યાલયના રાજ્યપ્રધાન જીતેન્દ્ર સિંહ અને ગૃહપ્રધાન તથા જમ્મુ-કાશ્મીર પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

જો કે, અમરનાથ યાત્રા 21 જુલાઈથી શરૂ થવાની છે. આ બેઠક બાદ એક અધિકારીએ કહ્યું કે, 'ચાલુ વર્ષે અમરનાથ યાત્રામાં કોવિડ-19ને કારણે એક દિવસમાં 500થી વધુ લોકોને મંજૂરી આપવામાં આવશે નહીં. '

જમ્મુ-કાશ્મીરમાં 9 હજાર લોકોના કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને લગભગ 145 લોકો સંક્રમિત મળી આવ્યા છે. અધિકારીએ કહ્યું કે, 31 જુલાઈ સુધી વૈષ્ણોદેવી મંદિરમાં જવા પર રોક લગાવવામાં આવી છે.

નવી દિલ્હીઃ અમરનાથ યાત્રામાં ચાલુ વર્ષે કોરોના વાઇરસ મહામારીને કારણે દરરોજના વધુમાં વધુ 500 તીર્થયાત્રિકોને જ પવિત્ર ગુફાના દર્શન કરી શકશે. આ અંગે અધિકારીઓએ બુધવારે જાણકારી આપી છે.

જમ્મુ-કાશ્મીરમાં સ્થિત અમરનાથ ગુફા મંદિર અને વૈષ્ણોદેવી મંદિરમાં શ્રદ્ધાળુઓને દર્શનની અનુમતીના મામલે એક ઉચ્ચસ્તરીય બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન જી. કિશન રેડ્ડી, વડાપ્રધાન કાર્યાલયના રાજ્યપ્રધાન જીતેન્દ્ર સિંહ અને ગૃહપ્રધાન તથા જમ્મુ-કાશ્મીર પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

જો કે, અમરનાથ યાત્રા 21 જુલાઈથી શરૂ થવાની છે. આ બેઠક બાદ એક અધિકારીએ કહ્યું કે, 'ચાલુ વર્ષે અમરનાથ યાત્રામાં કોવિડ-19ને કારણે એક દિવસમાં 500થી વધુ લોકોને મંજૂરી આપવામાં આવશે નહીં. '

જમ્મુ-કાશ્મીરમાં 9 હજાર લોકોના કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને લગભગ 145 લોકો સંક્રમિત મળી આવ્યા છે. અધિકારીએ કહ્યું કે, 31 જુલાઈ સુધી વૈષ્ણોદેવી મંદિરમાં જવા પર રોક લગાવવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.