ETV Bharat / bharat

વિશેષ ટ્રેન સાથે 700 જવાનો ફરજ બજાવવા પહોંચ્યા જમ્મુ કાશ્મીર

જમ્મુ કાશ્મીરમાં સૈનિકોની જરૂર હોવાથી અભ્યાસ પુર્ણ થયા બાદ રાહ જોઈ રહેલા 700 જવાનોને વિશેષ ટ્રેન મારફતે જમ્મુ લાવવમાં આવ્યાં છે. જવાનોની આ વિશેષ ટ્રેન 17 એપ્રિલે બેંગ્થીલુરુથી નિકળી હતી.

author img

By

Published : Apr 20, 2020, 11:44 PM IST

Etv Bharat
jammu kashmir

જમ્મુ કાશ્મીરઃ સોમવારે સેનાના લગભગ 700 જવાનો વિશેષ રેલગાડીમાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં પોત પોતાની જગ્યાઓ પર ફરજ બજાવવા માટે જમ્મુ પહોંચ્યાં છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે દક્ષિણ ભારતમાં વ્યવસાયિક અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ જવાનોને બેંગ્થીલુરુથી અહીં લાવવામાં આવ્યા છે. સંરક્ષણ પ્રવક્તાએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ લાઇનની અસ્તિત્વમાં પ્રવર્તતી સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સૈનિકોની સંખ્યા વધારવી જરુરી હતુ.

પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે, સૈનિકો લઇને વિશેષ ટ્રેન 17 એપ્રિલના રોજ બેંગ્લોરથી રવાના થઈ હતી. તેમણે કહ્યું કે સૈનિકો બેંગલોર, બેલાગવી અને સિકંદરાબાદથી વ્યાવસાયિક તાલીમ પૂર્ણ કર્યા પછી તેમના સૈન્યમાં જોડાવાની રાહ જોઈ રહ્યાં હતા.

આ ઉપરાંત તેમણે એ પણ કહ્યું કે યાત્રા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું હતું. તમામ જવાનો હાલ સુરક્ષિત છે.

જમ્મુ કાશ્મીરઃ સોમવારે સેનાના લગભગ 700 જવાનો વિશેષ રેલગાડીમાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં પોત પોતાની જગ્યાઓ પર ફરજ બજાવવા માટે જમ્મુ પહોંચ્યાં છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે દક્ષિણ ભારતમાં વ્યવસાયિક અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ જવાનોને બેંગ્થીલુરુથી અહીં લાવવામાં આવ્યા છે. સંરક્ષણ પ્રવક્તાએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ લાઇનની અસ્તિત્વમાં પ્રવર્તતી સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સૈનિકોની સંખ્યા વધારવી જરુરી હતુ.

પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે, સૈનિકો લઇને વિશેષ ટ્રેન 17 એપ્રિલના રોજ બેંગ્લોરથી રવાના થઈ હતી. તેમણે કહ્યું કે સૈનિકો બેંગલોર, બેલાગવી અને સિકંદરાબાદથી વ્યાવસાયિક તાલીમ પૂર્ણ કર્યા પછી તેમના સૈન્યમાં જોડાવાની રાહ જોઈ રહ્યાં હતા.

આ ઉપરાંત તેમણે એ પણ કહ્યું કે યાત્રા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું હતું. તમામ જવાનો હાલ સુરક્ષિત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.