ETV Bharat / bharat

સબરીમાલા મંદિર વિવાદ: સુપ્રીમ કોર્ટે 7 જજોની બેંચને સોંપ્યો કેસ

author img

By

Published : Nov 14, 2019, 3:55 AM IST

Updated : Nov 14, 2019, 10:56 AM IST

નવી દિલ્હી : કેરળના સબરીમાલા મંદિરના વિવાદને લઈને સુપ્રીમ કોર્ટ આજે નિર્ણય કર્યો કે, આ કેસ હવે 7 જ્જોની બેંચને સોપવામાં આવશે. સબરીમાલા મંદિરમાં 10 થી 50 વર્ષની ઉંમરની મહિલાઓને પ્રવેશ મામલમાં સુપ્રીમ કોર્ટ આ નિર્ણય આપ્યો છે. ચીફ જસ્સિસ રંજન ગોગોઈની અધ્યક્ષા વાળી 5 જ્જોની બેંચે આ કેસને 3:2થી 7 જ્જોને બેંચને સોપ્યો છે.

etv bharat

28 સપ્ટેમ્બર, 2018ના રોજ સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરને લઈને બહુમતથી ચુકાદો આપ્યો હતો. આ ચુકાદામાં આદેશ કરવામાં આવ્યો હતો કે બધી જ સ્ત્રીઓને મંદિરમાં પ્રવેશ મળે.

સુપ્રીમ કોર્ટ દ્વારા 2018માં સબરીમાલા મંદિરમાં માસિક ધર્મની ઉંમરની મહિલાઓને પ્રવેશની પરવાનગી આપી હતી. પરંતુ કોર્ટે આ નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. હવે આ અંગે પુનર્વિચાર કર્યા બાદ સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપવા જઈ રહી છે.આ વિવાદ અંદાજે છેલ્લા 30 વર્ષોથી ચાલી રહ્યો છે. મતભેદ એ વાત પર છે કે, માસિક ધર્મની સ્ત્રીઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશવાની પરવાનગી આપવી જોઈએ કે નહીં.

શું છે મંદિરને લઈ માન્યતા

મંદિરને લઈ એવી માન્યતા છે કે, મંદિરમાં વિરાજમાન ભગવાન અયપ્પા નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. તેમણે આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું.

અયપ્પા રજસ્વલા( માસિક સ્રાવ ) મહિલાઓથી દૂર રહેવા માંગતા હતા

સબરીમાલા મંદિર કેરળના પતનમથિટ્ટા જિલ્લામાં આવેલું છે. માનવામાં આવે છે કે, ભગવાન અયપ્પા રજસ્વલા મહિલાઓથી દૂર રહેવા માંગતા જેના કારણે તેઓ જંગલમાં ગયા હતા.


61 કિલોમીટરની પદયાત્રા કરે છે. તીર્થયાત્રી

આ મંદિરના દર્શન માટે તીર્થયાત્રી અંદાજે 61 કિલોમીટરની પદયાત્રા કરે છે. સાથે 41 દિવસનું કથિન વ્રત બાદ તે મંદિરમાં દર્શન કરે છે.


કેરળ સરકારે 2006માં એક અરજી દાખલ કરી હતી

સબરીમાલા વિવાદ ત્યારે પ્રકાશમાં આવ્યો હતો જ્યારે કેરળ સરકાર દ્વારા 2006 માં હાઈકોર્ટના આદેશની વિરુદ્ધ જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, મહિલાઓ પર મંદિરના રિવાજો અને પરંપરા અનુસાર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા.


1991 કેરળ હાઈકોર્ટનો મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ

2006 મહિલાઓને મંદિરમાં પ્રવેશ કરવાનો દાવો

2008 પ્રતિબંધ પર સવાલ ઉઠાવનાર અરજીને LDFનું સમર્થન

2016 પ્રતિબંધ લગાવનારી અરજીનો SCમાં ચુકાદો

2016 SC કહ્યું, પરંપરા પ્રતિબંધને સાચી ન કહી શકાય

2016 મહિલાઓના પ્રવેશને LDFનું સમર્થન

2017 SCની સંવિધાન પીઠે મામલાની સુનાવણી કરી

2018 પ્રતિબંધને લઈ મંદિર પર કોર્ટે સવાલ ઉઠાવ્યા

2018 સુપ્રીમ કોર્ટ બહુમતથી મહિલાઓને પ્રવેશવાની પરવાનગી આપી

આ કેસમાં સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ એક નવો વળાંક આવ્યો. 2018માં કોર્ટે મહિલાઓ પરનો પ્રતિબંધ દુર કર્યો હતો. અને તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશવાની પરવાનગી આપી હતી. શીર્ષ કોર્ટે કહ્યું હતું કે, જાતિના આધારે મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો ગેરબંધારણીય છે.

અનેક સંસ્થાઓએ વિરોધ કર્યો હતો

ત્યારબાદ કોર્ટના નિર્ણય સામે અનેક રાજકીય સંગઠનો દ્વારા વિરોધ અને આંદોલન કરવામાં આવ્યું હતું. આ સાથે કેરળના પંડાલમ શાહી પરિવારે નારાજગી વ્યક્ત કરી હતી. પરંતુ આ મંદિરની દેખરેખ કરનાર ત્રાવણકોર દેવાસ્વોમ બોર્ડ, કોર્ટના નિર્ણયનું પાલન કરવા સંમતિ આપી હતી.


માલા અરાયાએ દાવો કર્યો

તેમણે દાવો કર્યો હતો કે, મંદિરમાં ભગવાન અયપ્પાની તે જગ્યા પરની હાજરી તેમના દાવાને સત્ય બતાવે છે. આ સમુદાયનું માનવું છે કે, મહિલાઓના પ્રવેશ અંગેના સુપ્રીમ કોર્ટના નિર્ણયથી તેઓને તેમના માલિકી હકો વિશે વાત કરવાની તક મળશે.આદિવાસી સમુદાય, માલા અરયાએ આરોપ લગાવ્યો કે, મંદિરની પરંપરાઓને બ્રાહ્મણવાદી બનાવવામાં આવી છે.


16 નવેમ્બરના રોજ મંદિરના કપાટ ખોલવામાં આવશે


આ વર્ષ 16 નવેમ્બરે ત્રણ મહિના સુધી ચાલનારી વાર્ષિક તીર્થયાત્રા માટે મંદિરમાં કપાટ ખોલવામાં આવશે. આ દરમિયાન જોવાનું રહેશે કે, અદાલતના પુનર્વિચાર અરજી પર આપેલા નિર્ણયથી , આ ઐતિહાસિક યાત્રાધામને કેવી અસર પડે છે.

28 સપ્ટેમ્બર, 2018ના રોજ સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરને લઈને બહુમતથી ચુકાદો આપ્યો હતો. આ ચુકાદામાં આદેશ કરવામાં આવ્યો હતો કે બધી જ સ્ત્રીઓને મંદિરમાં પ્રવેશ મળે.

સુપ્રીમ કોર્ટ દ્વારા 2018માં સબરીમાલા મંદિરમાં માસિક ધર્મની ઉંમરની મહિલાઓને પ્રવેશની પરવાનગી આપી હતી. પરંતુ કોર્ટે આ નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. હવે આ અંગે પુનર્વિચાર કર્યા બાદ સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપવા જઈ રહી છે.આ વિવાદ અંદાજે છેલ્લા 30 વર્ષોથી ચાલી રહ્યો છે. મતભેદ એ વાત પર છે કે, માસિક ધર્મની સ્ત્રીઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશવાની પરવાનગી આપવી જોઈએ કે નહીં.

શું છે મંદિરને લઈ માન્યતા

મંદિરને લઈ એવી માન્યતા છે કે, મંદિરમાં વિરાજમાન ભગવાન અયપ્પા નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. તેમણે આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું.

અયપ્પા રજસ્વલા( માસિક સ્રાવ ) મહિલાઓથી દૂર રહેવા માંગતા હતા

સબરીમાલા મંદિર કેરળના પતનમથિટ્ટા જિલ્લામાં આવેલું છે. માનવામાં આવે છે કે, ભગવાન અયપ્પા રજસ્વલા મહિલાઓથી દૂર રહેવા માંગતા જેના કારણે તેઓ જંગલમાં ગયા હતા.


61 કિલોમીટરની પદયાત્રા કરે છે. તીર્થયાત્રી

આ મંદિરના દર્શન માટે તીર્થયાત્રી અંદાજે 61 કિલોમીટરની પદયાત્રા કરે છે. સાથે 41 દિવસનું કથિન વ્રત બાદ તે મંદિરમાં દર્શન કરે છે.


કેરળ સરકારે 2006માં એક અરજી દાખલ કરી હતી

સબરીમાલા વિવાદ ત્યારે પ્રકાશમાં આવ્યો હતો જ્યારે કેરળ સરકાર દ્વારા 2006 માં હાઈકોર્ટના આદેશની વિરુદ્ધ જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, મહિલાઓ પર મંદિરના રિવાજો અને પરંપરા અનુસાર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા.


1991 કેરળ હાઈકોર્ટનો મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ

2006 મહિલાઓને મંદિરમાં પ્રવેશ કરવાનો દાવો

2008 પ્રતિબંધ પર સવાલ ઉઠાવનાર અરજીને LDFનું સમર્થન

2016 પ્રતિબંધ લગાવનારી અરજીનો SCમાં ચુકાદો

2016 SC કહ્યું, પરંપરા પ્રતિબંધને સાચી ન કહી શકાય

2016 મહિલાઓના પ્રવેશને LDFનું સમર્થન

2017 SCની સંવિધાન પીઠે મામલાની સુનાવણી કરી

2018 પ્રતિબંધને લઈ મંદિર પર કોર્ટે સવાલ ઉઠાવ્યા

2018 સુપ્રીમ કોર્ટ બહુમતથી મહિલાઓને પ્રવેશવાની પરવાનગી આપી

આ કેસમાં સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ એક નવો વળાંક આવ્યો. 2018માં કોર્ટે મહિલાઓ પરનો પ્રતિબંધ દુર કર્યો હતો. અને તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશવાની પરવાનગી આપી હતી. શીર્ષ કોર્ટે કહ્યું હતું કે, જાતિના આધારે મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો ગેરબંધારણીય છે.

અનેક સંસ્થાઓએ વિરોધ કર્યો હતો

ત્યારબાદ કોર્ટના નિર્ણય સામે અનેક રાજકીય સંગઠનો દ્વારા વિરોધ અને આંદોલન કરવામાં આવ્યું હતું. આ સાથે કેરળના પંડાલમ શાહી પરિવારે નારાજગી વ્યક્ત કરી હતી. પરંતુ આ મંદિરની દેખરેખ કરનાર ત્રાવણકોર દેવાસ્વોમ બોર્ડ, કોર્ટના નિર્ણયનું પાલન કરવા સંમતિ આપી હતી.


માલા અરાયાએ દાવો કર્યો

તેમણે દાવો કર્યો હતો કે, મંદિરમાં ભગવાન અયપ્પાની તે જગ્યા પરની હાજરી તેમના દાવાને સત્ય બતાવે છે. આ સમુદાયનું માનવું છે કે, મહિલાઓના પ્રવેશ અંગેના સુપ્રીમ કોર્ટના નિર્ણયથી તેઓને તેમના માલિકી હકો વિશે વાત કરવાની તક મળશે.આદિવાસી સમુદાય, માલા અરયાએ આરોપ લગાવ્યો કે, મંદિરની પરંપરાઓને બ્રાહ્મણવાદી બનાવવામાં આવી છે.


16 નવેમ્બરના રોજ મંદિરના કપાટ ખોલવામાં આવશે


આ વર્ષ 16 નવેમ્બરે ત્રણ મહિના સુધી ચાલનારી વાર્ષિક તીર્થયાત્રા માટે મંદિરમાં કપાટ ખોલવામાં આવશે. આ દરમિયાન જોવાનું રહેશે કે, અદાલતના પુનર્વિચાર અરજી પર આપેલા નિર્ણયથી , આ ઐતિહાસિક યાત્રાધામને કેવી અસર પડે છે.

Intro:Body:Conclusion:
Last Updated : Nov 14, 2019, 10:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.