ETV Bharat / bharat

કોંગ્રેસ નેતાઓેની હિંસાગ્રસ્ત વિસ્તારોમાં મુલાકાત, રાહુલે કહ્યું- 'હિંસાથી ભારત માતાને કોઈ ફાયદો નથી થયો'

author img

By

Published : Mar 5, 2020, 10:00 AM IST

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ બુધવારે દિલ્હીના હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પહોંચ્યું હતું. આ પ્રતિનિધિમંડળમાં રાહુલ ગાંધી સિવાય પાર્ટીના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલ, મુકુલ વાસનિક, મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલા, સાંસદ કે. સુરેશ અને ગૌરવ ગોગોઈ સહિત અન્ય લોકો પણ સામેલ થયા હતા.

rahul
કોંગ્રેસ

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ બુધવારે દિલ્હીના હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પહોંચ્યું હતું. એક ટૂરિસ્ટ બસમાં સવાર થઇને રાહુલ અને અન્ય સાંસદોએ દિલ્હીના પૂર્વોત્તર હિંસાગ્રસ્ત વિસ્તારોમાં જઇને પીડિતો સાથે મુલાકાત કરી હતી. દિલ્હીના બૃજપુરીમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, સ્કૂલ દિલ્હીનું ભવિષ્ય છે, પરંતુ ધૃણા અને હિંસાએ તેને નષ્ટ કરી દીધું છે. આ હિંસાથી ભારત માતાને કોઈ ફાયદો નથી થયો.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અપીલ કરતા કહ્યું કે, બધાએ સાથે મળીને પ્રેમથી દિલ્હીમાં કામ કરવું પડશે અને ભારતને આગળ વધારવું પડશે. દિલ્હી હિંસાથી ભારતની છબીને ઠેંસ પહોંચી છે. ભાઈચારા અને એકતાની આપણી શક્તિને સળગાવવામાં આવી છે. જેથી હિન્દુસ્તાન અને ભારત માતાને નુકસાન થયું છે.

આ પ્રતિનિધિમંડળમાં રાહુલ ગાંધી સિવાય કેસી વેણુગોપાલ, મુકુલ વાસનિક, કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા, સાંસદ કે. સુરેશ અને ગૌરવ ગોગોઈ સહિત અન્ય લોકો પણ સામેલ થયા હતા. રાહુલ ગાંધીના પ્રતિનિધિમંડળ સિવાય કોંગ્રેસ સાંસદોનું વધુ એક અન્ય પ્રતિનિધિમંડળ પણ હિસાં પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા પહોંચ્યું હતું. જેમાં અબ્દુલ ખાલિક, ગુરજીત ઓજલા, બેન્ની બેનન, હિબી ઈડેન અને અન્ય સાંસદો પણ સામેલ હતા.

ઉલ્લેખનીય છે કે, લોકસભા અને રાજ્યસભામાં દિલ્હી હિંસા મુદ્દે વિપક્ષ ચર્ચા કરવાની માગ કરી રહ્યું છે. નોંધનીય છે કે, ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ત્રણ દિવસ હિંસા થઇ હતી. જેમાં IB અધિકારી અંકિત શર્મા અને પોલીસ હેડ કોન્સટેબલ રતનલાલ સહિત 48 લોકોના મોત થયા હતાં. જ્યારે 200થી વધારે લોકો ઘાયલ થયાં હતાં.

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ બુધવારે દિલ્હીના હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પહોંચ્યું હતું. એક ટૂરિસ્ટ બસમાં સવાર થઇને રાહુલ અને અન્ય સાંસદોએ દિલ્હીના પૂર્વોત્તર હિંસાગ્રસ્ત વિસ્તારોમાં જઇને પીડિતો સાથે મુલાકાત કરી હતી. દિલ્હીના બૃજપુરીમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, સ્કૂલ દિલ્હીનું ભવિષ્ય છે, પરંતુ ધૃણા અને હિંસાએ તેને નષ્ટ કરી દીધું છે. આ હિંસાથી ભારત માતાને કોઈ ફાયદો નથી થયો.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અપીલ કરતા કહ્યું કે, બધાએ સાથે મળીને પ્રેમથી દિલ્હીમાં કામ કરવું પડશે અને ભારતને આગળ વધારવું પડશે. દિલ્હી હિંસાથી ભારતની છબીને ઠેંસ પહોંચી છે. ભાઈચારા અને એકતાની આપણી શક્તિને સળગાવવામાં આવી છે. જેથી હિન્દુસ્તાન અને ભારત માતાને નુકસાન થયું છે.

આ પ્રતિનિધિમંડળમાં રાહુલ ગાંધી સિવાય કેસી વેણુગોપાલ, મુકુલ વાસનિક, કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા, સાંસદ કે. સુરેશ અને ગૌરવ ગોગોઈ સહિત અન્ય લોકો પણ સામેલ થયા હતા. રાહુલ ગાંધીના પ્રતિનિધિમંડળ સિવાય કોંગ્રેસ સાંસદોનું વધુ એક અન્ય પ્રતિનિધિમંડળ પણ હિસાં પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા પહોંચ્યું હતું. જેમાં અબ્દુલ ખાલિક, ગુરજીત ઓજલા, બેન્ની બેનન, હિબી ઈડેન અને અન્ય સાંસદો પણ સામેલ હતા.

ઉલ્લેખનીય છે કે, લોકસભા અને રાજ્યસભામાં દિલ્હી હિંસા મુદ્દે વિપક્ષ ચર્ચા કરવાની માગ કરી રહ્યું છે. નોંધનીય છે કે, ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ત્રણ દિવસ હિંસા થઇ હતી. જેમાં IB અધિકારી અંકિત શર્મા અને પોલીસ હેડ કોન્સટેબલ રતનલાલ સહિત 48 લોકોના મોત થયા હતાં. જ્યારે 200થી વધારે લોકો ઘાયલ થયાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.