નોબલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીની સાથેની મુલાકાત બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યુ હતુ. તેમણે પોતાના અધિકારીક ટ્વિટર એકાઉન્ટ પર એક ફોટો પણ શેર કર્યો છે. એટલું જ નહીં, પીએમ મોદીએ કહ્યું કે તેમની સાથે અનેક વિષયો પર વિસ્તારથી વાત થઈ હતી.
ટ્વિટર પર વડાપ્રધાન મોદીએ લખ્યું, 'નોબલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જીની સાથે ખાસ બેઠક થઈ. માનવ સશક્તિકરણને માટેનું તેમનું જૂનુન છલકાઈ રહ્યું છે. અમે અનેક વિષયો પર એક સ્વસ્થ અને વ્યાપક વાતચીત કરી છે. ભારતને તેમની ઉપલબ્ધિઓ પર ગર્વ છે. તેમના ભવિષ્યના પ્રયાસો માટે તેમને શુભકામનાઓ.'