કર્ણાટકની એક રેલી સંબોધતા રાહુલ ગાંધીએ દરેક ચોરનું નામ મોદી હોવાનું જણાવ્યું હતું. તેમનો ઈશારો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નીરવ મોદી અને IPLના પુર્વ કમિશ્નર લલિત મોદી તરફ હતો. જેને લઈબિહારના નાયબ મુખ્યપ્રધાન સુશિલ કુમાર મોદીએ રાહુલ વિરુદ્ધ આ માનહાનીનો કેસ દાખલ કરાવ્યો હતો. જે મામલે શનિવારે પટના કોર્ટે રાહુલ ગાંધીની જામીન મંજુર કર્યા છે.
પટના કોર્ટમાં હાજરી આપ્યા બાદ રાહુલ ગાંધી મુઝફ્ફરપુર જવા પણ ઈચ્છતા હતા. પરંતુ પ્રશાસને તેની પરવાનગી આપી નહીં. આ અંગે સવાલ કરતાં પ્રશાસનને પુછતાં તેમણે જણાવ્યું હતું કે, આનાથી ચમકી તાવથી અસરગ્રસ્ત બાળકો અને તેના પરિવારને સમસ્યા થઈ શકે છે.