ETV Bharat / bharat

દિલ્હીથી ગોવા જઈ રહેલી ફ્લાઈટમાં પ્રવાસીએ આતંકી હોવાનો દાવો કરતા હોબાળો મચ્યો

એર ઈન્ડિયા દિલ્હી-ગોવા ફ્લાઈટમાં પ્રવાસીએ વિમાનમાં આતંકવાદી હોવાનો દાવો કર્યો હતો. ડાબોલિમ એરપોર્ટ પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રવાસી ઝિયા-ઉલ-હક (30) માનસિક રીતે અસ્વસ્થ હતો. તેમને વિમાનમાંથી ઉતર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

author img

By

Published : Oct 23, 2020, 10:35 AM IST

ગોવા
ગોવા
  • દિલ્હી-ગોવા ફ્લાઈટમાં પ્રવાસીએ વિમાનમાં આતંકવાદી હોવાનો દાવો કર્યો
  • પ્રવાસીની ધરપકડ કરાઇ

પણજી: એર ઈન્ડિયાની દિલ્હી-ગોવાની ફ્લાઈટમાં ગુરુવારે તે સમયે ખળભળાટ મચી ગયો હતો જ્યારે એક પ્રવાસીએ દાવો કર્યો હતો કે, વિમાનમાં 'આતંકી' છે. વિમાન એરપોર્ટ પર ઉતર્યા બાદ પોલીસે પ્રવાસીની ધરપકડ કરી હતી. આ માહિતી એક વરિષ્ઠ અધિકારીએ આપી હતી.

પ્રવાસીની ધરપકડ કરાઇ

ડાબોલીમ એરપોર્ટ પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રવાસી ઝિયા-ઉલ-હક (30) માનસિક રીતે અસ્વસ્થ હતો. તેમને વિમાનમાંથી ઉતર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, આરોપીઓએ પોતાને એક 'વિશેષ સેલ' ના અધિકારી હોવાનો દાવો કર્યો હતો અને તેણે પ્રવાસીઓને કહ્યું હતું કે, વિમાનમાં આતંકવાદીઓ છે. અધિકારીએ જણાવ્યું કે, આ વાત સાંભળીને પ્રવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.

પ્રવાસી માનસીક રીતે અસ્વસ્થ

અધિકારીએ જણાવ્યું કે, વિમાન ડાબોલિમ એરપોર્ટ પર ઉતર્યા પછી CRPFના જવાનોએ તેને એરપોર્ટ પોલીસને સોંપી દીધું હતું. પોલીસે જણાવ્યું કે, તેની સરકારી હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી છે અને બાદમાં એક સ્થાનિક મેજિસ્ટ્રેટ પાસેથી જરૂરી આદેશો મેળવ્યા બાદ, તેને પણજી નજીક સ્થિત મનોવિજ્ઞાનિક સંસ્થામાં દાખલ કરવામાં આવ્યા હતા.

  • દિલ્હી-ગોવા ફ્લાઈટમાં પ્રવાસીએ વિમાનમાં આતંકવાદી હોવાનો દાવો કર્યો
  • પ્રવાસીની ધરપકડ કરાઇ

પણજી: એર ઈન્ડિયાની દિલ્હી-ગોવાની ફ્લાઈટમાં ગુરુવારે તે સમયે ખળભળાટ મચી ગયો હતો જ્યારે એક પ્રવાસીએ દાવો કર્યો હતો કે, વિમાનમાં 'આતંકી' છે. વિમાન એરપોર્ટ પર ઉતર્યા બાદ પોલીસે પ્રવાસીની ધરપકડ કરી હતી. આ માહિતી એક વરિષ્ઠ અધિકારીએ આપી હતી.

પ્રવાસીની ધરપકડ કરાઇ

ડાબોલીમ એરપોર્ટ પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રવાસી ઝિયા-ઉલ-હક (30) માનસિક રીતે અસ્વસ્થ હતો. તેમને વિમાનમાંથી ઉતર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, આરોપીઓએ પોતાને એક 'વિશેષ સેલ' ના અધિકારી હોવાનો દાવો કર્યો હતો અને તેણે પ્રવાસીઓને કહ્યું હતું કે, વિમાનમાં આતંકવાદીઓ છે. અધિકારીએ જણાવ્યું કે, આ વાત સાંભળીને પ્રવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.

પ્રવાસી માનસીક રીતે અસ્વસ્થ

અધિકારીએ જણાવ્યું કે, વિમાન ડાબોલિમ એરપોર્ટ પર ઉતર્યા પછી CRPFના જવાનોએ તેને એરપોર્ટ પોલીસને સોંપી દીધું હતું. પોલીસે જણાવ્યું કે, તેની સરકારી હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી છે અને બાદમાં એક સ્થાનિક મેજિસ્ટ્રેટ પાસેથી જરૂરી આદેશો મેળવ્યા બાદ, તેને પણજી નજીક સ્થિત મનોવિજ્ઞાનિક સંસ્થામાં દાખલ કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.