લુધિયાણામાં ત્યજાયેલી હાલતમાં નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. સ્થાનીક લોકોએ મૃતદેહ જોઈ આ વાતની જાણકારી પોલીસને આપી હતી. જેથી PSI હરભજન સિંહ ઘટના સ્થળે આવી પહોચ્યા હતા. તેમને જણાવ્યું કે, બાળકી માત્ર એક કે બે દિવસની જ હતી. આ પ્લોટના માલિક અહીં રહેતા નથી અને એક માણસ આ પ્લોટની સંભાળ રાખે છે.
પોલીસને જાણ કરનાર મહિલાએ જણાવ્યું કે, મૃતદેહને સૌપ્રથમ એક બાળકે જોઈ હતી, ત્યારબાદ તેને આ અંગે વિસ્તારના અન્ય લોકોને જાણ કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.