ETV Bharat / bharat

રાષ્ટ્રીય શિક્ષણ નીતિઓ અને સમિતિઓ અને ભારતમાં શિક્ષણ પરના આયોગ

ભારતમાં શિક્ષણ નીતિની ઉત્ક્રાંતિ: રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ દેશમાં શિક્ષણના વિકાસને માર્ગદર્શન આપવા માટેનું માળખું છે.

author img

By

Published : Jul 31, 2020, 8:49 PM IST

National Education Policies and committees and commissions on Education In India
રાષ્ટ્રીય શિક્ષણ નીતિઓ અને સમિતિઓ અને ભારતમાં શિક્ષણ પરના આયોગ

ન્યૂઝ ડેસ્કઃ ભારતમાં શિક્ષણ નીતિની ઉત્ક્રાંતિ: રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ દેશમાં શિક્ષણના વિકાસને માર્ગદર્શન આપવા માટેનું માળખું છે.

ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિઓ

• કોંગ્રેસના સાંસદે 1 મે 1964 ના રોજ લોકસભામાં એક ઠરાવ રજૂ કર્યો કે સરકાર શિક્ષણ પર પૂરતું ધ્યાન આપી રહી નથી અને તે કેન્દ્રમાં શિક્ષણ માટે દ્રષ્ટિ અને ચોક્કસ દર્શનનો અભાવ છે. તેમણે સૂચવ્યું હતું કે સાંસદો ની સમિતિએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ની રચના પર ધ્યાન આપવું જોઈએ.

શિક્ષણ પ્રધાન એમ.સી. છગલાએ સંમત કર્યું કે શિક્ષણ અંગે રાષ્ટ્રીય સંકલિત નીતિ હોવી જોઈએ. તેમણે જાહેરાત કરી કે સરકાર રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરશે.

યુજીસી અધ્યક્ષ ડી એસ કોઠારી ની અધ્યક્ષતા માં 17-સભ્યોના શિક્ષણ આયોગની સ્થાપના 1964 માં કરવામાં આવી હતી

આ કમિશન ના સૂચનો ને આધારે સંસદે 1968 માં પ્રથમ એન.ઇ.પી પસાર કરી.

1976 માં, બંધારણ 42 મા સુધારા દ્વારા શિક્ષણ ને રાજ્યમાંથી સમકાલીન સૂચિ માં ખસેડવામાં આવ્યું.

જનતા પાર્ટી, જેમાં થી જનસંઘ – જે ભાજપનું પુરોગામી સંગઠન હતું, તેણે 1979 માં નીતિ તૈયાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ફોર એજ્યુકેશન (સીએબીઇ) જે શિક્ષણ ક્ષેત્રે સરકારનું

સૌથી મહત્વપૂર્ણ સલાહકાર મંડળ છે તેના દ્રારા મંજૂરી આપવામાં આવી ન હતી

શિક્ષણ પર બીજી રાષ્ટ્રીય નીતિ, 1986 માં જ્યારે રાજીવ ગાંધી ભારતના વડા પ્રધાન હતા ત્યારે લાવવામાં આવી હતી.

1992 માં: 1986 ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માં સુધારો 1992 માં કરવામાં આવ્યો હતો જ્યારે પી વી નરસિંહ રાવ વડા પ્રધાન હતા.

શિક્ષણ પર પ્રથમ રાષ્ટ્રીય નીતિ 1968

પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968ની મુખ્ય લાક્ષણિકતાઓ

10 + 2 + 3 (10 વર્ષ માધ્યમિક શાળા + 2 વર્ષ ની હાઇ સ્કૂલ + 3 વર્ષ અંડરગ્રેજ્યુએટ એજ્યુકેશન ની) શિક્ષણની રચના, જેને આપણે આજે જાણીએ છીએ, અને મોટાભાગ ની શાળાઓ દ્વારા અનુસરવામાં આવતી ત્રણ ભાષામાં શિક્ષણ પદ્વતિ જે ખૂબ લાંબા સુધી ટકેલ પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો વારસો છે .

શિક્ષણમાં વિજ્ઞાન અને ગણિતનું પ્રાધાન્યતા બીજું લક્ષણ છે.

• આ નીતિમાં પ્રારંભિક શાળાના વર્ષોમાં માતૃભાષા ના શિક્ષણ ના માધ્યમ તરીકે ઉપયોગ કરવાની પણ હિમાયત કરી હતી. યુનિવર્સિટી પદ્વતિ માં સંશોધન ને મજબૂત બનાવવું એ બીજી મોટી ભલામણ હતી.

1986 ની બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુખ્ય લાક્ષણિકતાઓ

1986 ની નીતિમાં રાજીવના આધુનિકીકરણ પ્રોજેક્ટને પ્રતિબિંબિત કરાયો, અને શિક્ષણ માં માહિતી ટેકનોલોજી ની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

સર્વ શિક્ષા અભિયાન, મધ્યાહન ભોજન યોજના, નવોદય વિદ્યાલય (એનવીએસ શાળાઓ), કેન્દ્રીય વિદ્યાલય (કે.વી શાળાઓ) અને શિક્ષણમાં આઇ.ટી નો ઉપયોગ 1986 ની એન.ઇ.પી નું પરિણામ છે.

શિક્ષકોના શિક્ષણનું પુનર્ગઠન, બાળપણ ની શરૂઆત ની સંભાળ, સશક્તિકરણ અને પુખ્ત સાક્ષરતામાં સુધારો કરવા પર વધુ ધ્યાન આપ્યું હતું.

• આ નીતિમાં કેટલાક એવા વિચારો ને પણ સ્વીકાર્યા જેનો ભૂતકાળમાં પ્રતિકાર થયો હતો, જેમ કે શૈક્ષણિક સંસ્થાઓનો પસંદગીયુક્ત વિકાસ અને યુનિવર્સિટીઓ અને કોલેજો ની સ્વાયતતા.

1992: જ્યારે પી વી નરસિંહરાવ વડા પ્રધાન હતા ત્યારે 1992 માં 1986 ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માં સુધારો કરવામાં આવ્યો હતો. જોકે તે મોટા ભાગે પાછલા જેવું જ હતું.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિઓ નું અમલીકરણ

1968 માં શિક્ષણ એ રાજ્ય નો વિષય હતો, અને નીતિઓ કેવી રીતે લાગુ કરવામાં આવશે તે અંગે કેન્દ્રની ભૂમિકા ઓછી હતી.

પ્રથમ નીતિ માટે, કાર્યવાહીનો યોગ્ય કાર્યક્રમ લાવવામાં સરકાર નિષ્ફળ ગઈ, અને ભંડોળ ની અછત દ્વારા અમલીકરણ અટકાવવા માં આવ્યું.

બીજો એન.ઇ.પી 1976 ના બંધારણીય સુધારણા પછી આવ્યો - અને કેન્દ્ર એ વ્યાપક જવાબદારી સ્વીકારી અને નીતિ ને અનુરૂપ ઘણા કાર્યક્રમો રજૂ કર્યા.

• એન.ઇ.પી 1986 વધુ સારી રીતે લાગુ કરવામાં આવી હતી.

શિક્ષણ અંગેના વિવિધ કમિશન અને સમિતિઓ ની નોંધ

યુનિવર્સિટી એજ્યુકેશન કમિશન (1948-49): 1948 માં રાધાકૃષ્ણન કમિશન તરીકે જાણીતા યુનિવર્સિટી એજ્યુકેશન કમિશન ની સ્થાપના એ સ્વતંત્ર ભારતમાં ઉચ્ચ શિક્ષણના લક્ષ્યો અને ઉદ્દેશોને સ્પષ્ટ કરવા માટે નું એક મુખ્ય સીમાચિહ્ન હતું.

માધ્યમિક શિક્ષણ પંચ (1952-53): 23 સપ્ટેમ્બર, 1952 ના રોજ ભારત સરકારે માધ્યમિક શિક્ષણ પંચ રચના ડ Dr. એ.એલ. સ્વામી મુદાલીઅર અધ્યક્ષતામાં કરી. તેનું નામ પછી મુદાલીઅર કમિશન તરીકે પણ ઓળખાયુ. આયોગે દેશમાં માધ્યમિક શિક્ષણની વિવિધ સમસ્યાઓ નો અભ્યાસ કર્યો હતો અને તેનો પ્રસ્તાવ 29 ઑગસ્ટ, 1953 ના રોજ 15 પ્રકરણો ધરાવતા 240 પાના માં આપ્યો હતો

માધ્યમિક શિક્ષણ પર નરેન્દ્રદેવ સમિતિઓ

માધ્યમિક શિક્ષણમાં સુધારા સૂચવવા માટે બે નરેન્દ્રદેવ સમિતિઓ ની રચના કરવામાં આવી હતી.

યુ.પી.માં પ્રથમ કોંગ્રેસ મંત્રાલય દરમિયાન 1939 માં પ્રથમ નરેન્દ્રદેવ સમિતિ ની રચના કરવામાં આવી હતી.

સમિતિ એ હિન્દુસ્તાની ને 7 થી 14 વર્ષની વયના બાળકોને સૂચનાના માધ્યમ તરીકે ભલામણ કરી હતી. તેમાં મૂળભૂત શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ માટે 7 સૂચનો આપ્યા હતા.

1952-53માં બીજી નરેન્દ્રદેવ સમિતિની રચના કરવામાં આવી હતી. યુ.પી.માં માધ્યમિક શિક્ષણની વર્તમાન પદ્ધતિ આ સમિતિ નું યોગદાન છે.

રામ મૂર્તિ રિપોર્ટ 1990

1990 ની શરૂઆત માં કેન્દ્રમાં રાષ્ટ્રીય મોરચા ની સરકાર ઉભી થઈ અને સર્વોદય નેતા પ્રો રામ મૂર્તિ

ની અધ્યક્ષતામાં શિક્ષણ સમિતિની રચના કરવામાં આવી

• આ સમીતિ નો હેતુ જૂની શિક્ષણ નીતિઓ ની તપાસ કરવાનો હતો અને દેશના ગ્રામીણ વિસ્તારો ના ઑદ્યોગિકરણ અને વિકાસને પ્રોત્સાહન આપવા માટેના નવા પગલા સૂચવવાનો હતો. તેમ જ, શૈક્ષણિક પ્રણાલીના વિકેન્દ્રીકરણ અને 1986 ની ઑપરેશન બ્લેક બોર્ડ યોજનાને વધુ સફળ બનાવવા માટે યોગ્ય પગલાં સૂચવ્યા હતા . સમિતિએ આગળ ઉચ્ચ શિક્ષણને પુન: નિર્માણ માટેના માર્ગો અને નિર્દેશ આપવાની સલાહ આપી

જનાર્દન રેડ્ડી રિપોર્ટ, 1992

સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન હેઠળ 1990 માં , જનાર્દન રેડ્ડી કમિટી ની નિમણૂક 1992 માં પ્રો. રામ મૂર્તિ દ્વારા રજૂ કરાયેલા અહેવાલની વિગતવાર પરીક્ષા કરવા માટે કરવામાં આવી હતી.

• રેડ્ડી સમિતિ એ આગળ ભલામણ કરી કે દેશની તમામ રાજ્ય સરકારે અનુસૂચિત જાતિ અને આદિજાતિ લોકોને શક્ય તેટલા શિક્ષિત કરવા માટે તેમના અલગ અધિકારક્ષેત્રો માં સમાન સમિતિઓ ની નિમણૂક કરવી જોઈએ.

• સમિતિ દેશના દરેક રાજ્યના તમામ જિલ્લાઓમાં નવોદય વિદ્યાલય શાળાની સ્થાપના કરવી જોઈએ એ વિચાર પર ભાર મૂકયો હતો .

ટી.એસ.આર. સુબ્રમણ્યમ સમિતિ અહેવાલ (27 મે, 2016)

પેનલ દ્વારા શિક્ષણના અધિકાર (આર.ટી.ઇ) કાયદામાં પાંચમા ધોરણ પછી વિદ્યાર્થીઓ ની અટકાયત નિતીને પાછી લાવવા, અને લઘુમતી શાળાઓને આર્થિક રીતે નબળા વર્ગ (EWS) ના ઉમેદવારો માટે 25% બેઠકો અનામત બનાવવા જેવા નોંધપાત્ર હસ્તક્ષેપો ની ભલામણ કરવામાં આવી છે.

• તેણે કેમ્પસના રાજકારણ પર પ્રતિબંધ મૂકવાની હાકલ કરી છે, અને પૂર્વ-શાળા શિક્ષણ ને આવરી લેવા માટે આર.ટી.ઇ નો વિસ્તાર અને માધ્યમિક ભોજન યોજના માધ્યમિક શિક્ષણ સુધી વધારવા ની ભલામણ કરી છે.

અહેવાલમાં મહત્વપૂર્ણ નિમણૂકોમાં ખાસ કરીને કુલપતિઓની નિમણૂકોમાં દખલ બદલ સરકારોની ટીકા કરવામાં આવી છે.

ન્યૂઝ ડેસ્કઃ ભારતમાં શિક્ષણ નીતિની ઉત્ક્રાંતિ: રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ દેશમાં શિક્ષણના વિકાસને માર્ગદર્શન આપવા માટેનું માળખું છે.

ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિઓ

• કોંગ્રેસના સાંસદે 1 મે 1964 ના રોજ લોકસભામાં એક ઠરાવ રજૂ કર્યો કે સરકાર શિક્ષણ પર પૂરતું ધ્યાન આપી રહી નથી અને તે કેન્દ્રમાં શિક્ષણ માટે દ્રષ્ટિ અને ચોક્કસ દર્શનનો અભાવ છે. તેમણે સૂચવ્યું હતું કે સાંસદો ની સમિતિએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ની રચના પર ધ્યાન આપવું જોઈએ.

શિક્ષણ પ્રધાન એમ.સી. છગલાએ સંમત કર્યું કે શિક્ષણ અંગે રાષ્ટ્રીય સંકલિત નીતિ હોવી જોઈએ. તેમણે જાહેરાત કરી કે સરકાર રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરશે.

યુજીસી અધ્યક્ષ ડી એસ કોઠારી ની અધ્યક્ષતા માં 17-સભ્યોના શિક્ષણ આયોગની સ્થાપના 1964 માં કરવામાં આવી હતી

આ કમિશન ના સૂચનો ને આધારે સંસદે 1968 માં પ્રથમ એન.ઇ.પી પસાર કરી.

1976 માં, બંધારણ 42 મા સુધારા દ્વારા શિક્ષણ ને રાજ્યમાંથી સમકાલીન સૂચિ માં ખસેડવામાં આવ્યું.

જનતા પાર્ટી, જેમાં થી જનસંઘ – જે ભાજપનું પુરોગામી સંગઠન હતું, તેણે 1979 માં નીતિ તૈયાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ફોર એજ્યુકેશન (સીએબીઇ) જે શિક્ષણ ક્ષેત્રે સરકારનું

સૌથી મહત્વપૂર્ણ સલાહકાર મંડળ છે તેના દ્રારા મંજૂરી આપવામાં આવી ન હતી

શિક્ષણ પર બીજી રાષ્ટ્રીય નીતિ, 1986 માં જ્યારે રાજીવ ગાંધી ભારતના વડા પ્રધાન હતા ત્યારે લાવવામાં આવી હતી.

1992 માં: 1986 ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માં સુધારો 1992 માં કરવામાં આવ્યો હતો જ્યારે પી વી નરસિંહ રાવ વડા પ્રધાન હતા.

શિક્ષણ પર પ્રથમ રાષ્ટ્રીય નીતિ 1968

પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968ની મુખ્ય લાક્ષણિકતાઓ

10 + 2 + 3 (10 વર્ષ માધ્યમિક શાળા + 2 વર્ષ ની હાઇ સ્કૂલ + 3 વર્ષ અંડરગ્રેજ્યુએટ એજ્યુકેશન ની) શિક્ષણની રચના, જેને આપણે આજે જાણીએ છીએ, અને મોટાભાગ ની શાળાઓ દ્વારા અનુસરવામાં આવતી ત્રણ ભાષામાં શિક્ષણ પદ્વતિ જે ખૂબ લાંબા સુધી ટકેલ પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો વારસો છે .

શિક્ષણમાં વિજ્ઞાન અને ગણિતનું પ્રાધાન્યતા બીજું લક્ષણ છે.

• આ નીતિમાં પ્રારંભિક શાળાના વર્ષોમાં માતૃભાષા ના શિક્ષણ ના માધ્યમ તરીકે ઉપયોગ કરવાની પણ હિમાયત કરી હતી. યુનિવર્સિટી પદ્વતિ માં સંશોધન ને મજબૂત બનાવવું એ બીજી મોટી ભલામણ હતી.

1986 ની બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુખ્ય લાક્ષણિકતાઓ

1986 ની નીતિમાં રાજીવના આધુનિકીકરણ પ્રોજેક્ટને પ્રતિબિંબિત કરાયો, અને શિક્ષણ માં માહિતી ટેકનોલોજી ની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

સર્વ શિક્ષા અભિયાન, મધ્યાહન ભોજન યોજના, નવોદય વિદ્યાલય (એનવીએસ શાળાઓ), કેન્દ્રીય વિદ્યાલય (કે.વી શાળાઓ) અને શિક્ષણમાં આઇ.ટી નો ઉપયોગ 1986 ની એન.ઇ.પી નું પરિણામ છે.

શિક્ષકોના શિક્ષણનું પુનર્ગઠન, બાળપણ ની શરૂઆત ની સંભાળ, સશક્તિકરણ અને પુખ્ત સાક્ષરતામાં સુધારો કરવા પર વધુ ધ્યાન આપ્યું હતું.

• આ નીતિમાં કેટલાક એવા વિચારો ને પણ સ્વીકાર્યા જેનો ભૂતકાળમાં પ્રતિકાર થયો હતો, જેમ કે શૈક્ષણિક સંસ્થાઓનો પસંદગીયુક્ત વિકાસ અને યુનિવર્સિટીઓ અને કોલેજો ની સ્વાયતતા.

1992: જ્યારે પી વી નરસિંહરાવ વડા પ્રધાન હતા ત્યારે 1992 માં 1986 ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માં સુધારો કરવામાં આવ્યો હતો. જોકે તે મોટા ભાગે પાછલા જેવું જ હતું.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિઓ નું અમલીકરણ

1968 માં શિક્ષણ એ રાજ્ય નો વિષય હતો, અને નીતિઓ કેવી રીતે લાગુ કરવામાં આવશે તે અંગે કેન્દ્રની ભૂમિકા ઓછી હતી.

પ્રથમ નીતિ માટે, કાર્યવાહીનો યોગ્ય કાર્યક્રમ લાવવામાં સરકાર નિષ્ફળ ગઈ, અને ભંડોળ ની અછત દ્વારા અમલીકરણ અટકાવવા માં આવ્યું.

બીજો એન.ઇ.પી 1976 ના બંધારણીય સુધારણા પછી આવ્યો - અને કેન્દ્ર એ વ્યાપક જવાબદારી સ્વીકારી અને નીતિ ને અનુરૂપ ઘણા કાર્યક્રમો રજૂ કર્યા.

• એન.ઇ.પી 1986 વધુ સારી રીતે લાગુ કરવામાં આવી હતી.

શિક્ષણ અંગેના વિવિધ કમિશન અને સમિતિઓ ની નોંધ

યુનિવર્સિટી એજ્યુકેશન કમિશન (1948-49): 1948 માં રાધાકૃષ્ણન કમિશન તરીકે જાણીતા યુનિવર્સિટી એજ્યુકેશન કમિશન ની સ્થાપના એ સ્વતંત્ર ભારતમાં ઉચ્ચ શિક્ષણના લક્ષ્યો અને ઉદ્દેશોને સ્પષ્ટ કરવા માટે નું એક મુખ્ય સીમાચિહ્ન હતું.

માધ્યમિક શિક્ષણ પંચ (1952-53): 23 સપ્ટેમ્બર, 1952 ના રોજ ભારત સરકારે માધ્યમિક શિક્ષણ પંચ રચના ડ Dr. એ.એલ. સ્વામી મુદાલીઅર અધ્યક્ષતામાં કરી. તેનું નામ પછી મુદાલીઅર કમિશન તરીકે પણ ઓળખાયુ. આયોગે દેશમાં માધ્યમિક શિક્ષણની વિવિધ સમસ્યાઓ નો અભ્યાસ કર્યો હતો અને તેનો પ્રસ્તાવ 29 ઑગસ્ટ, 1953 ના રોજ 15 પ્રકરણો ધરાવતા 240 પાના માં આપ્યો હતો

માધ્યમિક શિક્ષણ પર નરેન્દ્રદેવ સમિતિઓ

માધ્યમિક શિક્ષણમાં સુધારા સૂચવવા માટે બે નરેન્દ્રદેવ સમિતિઓ ની રચના કરવામાં આવી હતી.

યુ.પી.માં પ્રથમ કોંગ્રેસ મંત્રાલય દરમિયાન 1939 માં પ્રથમ નરેન્દ્રદેવ સમિતિ ની રચના કરવામાં આવી હતી.

સમિતિ એ હિન્દુસ્તાની ને 7 થી 14 વર્ષની વયના બાળકોને સૂચનાના માધ્યમ તરીકે ભલામણ કરી હતી. તેમાં મૂળભૂત શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ માટે 7 સૂચનો આપ્યા હતા.

1952-53માં બીજી નરેન્દ્રદેવ સમિતિની રચના કરવામાં આવી હતી. યુ.પી.માં માધ્યમિક શિક્ષણની વર્તમાન પદ્ધતિ આ સમિતિ નું યોગદાન છે.

રામ મૂર્તિ રિપોર્ટ 1990

1990 ની શરૂઆત માં કેન્દ્રમાં રાષ્ટ્રીય મોરચા ની સરકાર ઉભી થઈ અને સર્વોદય નેતા પ્રો રામ મૂર્તિ

ની અધ્યક્ષતામાં શિક્ષણ સમિતિની રચના કરવામાં આવી

• આ સમીતિ નો હેતુ જૂની શિક્ષણ નીતિઓ ની તપાસ કરવાનો હતો અને દેશના ગ્રામીણ વિસ્તારો ના ઑદ્યોગિકરણ અને વિકાસને પ્રોત્સાહન આપવા માટેના નવા પગલા સૂચવવાનો હતો. તેમ જ, શૈક્ષણિક પ્રણાલીના વિકેન્દ્રીકરણ અને 1986 ની ઑપરેશન બ્લેક બોર્ડ યોજનાને વધુ સફળ બનાવવા માટે યોગ્ય પગલાં સૂચવ્યા હતા . સમિતિએ આગળ ઉચ્ચ શિક્ષણને પુન: નિર્માણ માટેના માર્ગો અને નિર્દેશ આપવાની સલાહ આપી

જનાર્દન રેડ્ડી રિપોર્ટ, 1992

સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન હેઠળ 1990 માં , જનાર્દન રેડ્ડી કમિટી ની નિમણૂક 1992 માં પ્રો. રામ મૂર્તિ દ્વારા રજૂ કરાયેલા અહેવાલની વિગતવાર પરીક્ષા કરવા માટે કરવામાં આવી હતી.

• રેડ્ડી સમિતિ એ આગળ ભલામણ કરી કે દેશની તમામ રાજ્ય સરકારે અનુસૂચિત જાતિ અને આદિજાતિ લોકોને શક્ય તેટલા શિક્ષિત કરવા માટે તેમના અલગ અધિકારક્ષેત્રો માં સમાન સમિતિઓ ની નિમણૂક કરવી જોઈએ.

• સમિતિ દેશના દરેક રાજ્યના તમામ જિલ્લાઓમાં નવોદય વિદ્યાલય શાળાની સ્થાપના કરવી જોઈએ એ વિચાર પર ભાર મૂકયો હતો .

ટી.એસ.આર. સુબ્રમણ્યમ સમિતિ અહેવાલ (27 મે, 2016)

પેનલ દ્વારા શિક્ષણના અધિકાર (આર.ટી.ઇ) કાયદામાં પાંચમા ધોરણ પછી વિદ્યાર્થીઓ ની અટકાયત નિતીને પાછી લાવવા, અને લઘુમતી શાળાઓને આર્થિક રીતે નબળા વર્ગ (EWS) ના ઉમેદવારો માટે 25% બેઠકો અનામત બનાવવા જેવા નોંધપાત્ર હસ્તક્ષેપો ની ભલામણ કરવામાં આવી છે.

• તેણે કેમ્પસના રાજકારણ પર પ્રતિબંધ મૂકવાની હાકલ કરી છે, અને પૂર્વ-શાળા શિક્ષણ ને આવરી લેવા માટે આર.ટી.ઇ નો વિસ્તાર અને માધ્યમિક ભોજન યોજના માધ્યમિક શિક્ષણ સુધી વધારવા ની ભલામણ કરી છે.

અહેવાલમાં મહત્વપૂર્ણ નિમણૂકોમાં ખાસ કરીને કુલપતિઓની નિમણૂકોમાં દખલ બદલ સરકારોની ટીકા કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.