મેનકા ગાંધીએ સવારે કલોલ ખાતે પીપલ ફોર એનિમલ કે જે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઈઝેશન છે, તેના દ્વારા આજે એનિમલ માટેની એક ફીચર હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે, તેનું ભૂમિપૂજન કરવા માટે તેઓ ગાંધીનગરના કલોલ ખાતે આવ્યા હતા.
અહીં તેમણે રાજકીય બાબતે કંઇપણ બોલવાનો ઇન્કાર કર્યો હતો. ચૂંટણીપંચ દ્વારા અગાઉ મેનકા ગાંધીના વિવાદિત નિવેદનને પગલે તેમના પર પ્રચારનો બૅન લગાવવામાં આવ્યો હતો. જે બાદ મેનકા ગાંધીએ રાજકીય સ્ટેટમેન્ટ આપવાનું ટાળ્યું હતું.