ETV Bharat / bharat

ઔરેયા અકસ્માત પર માયાવતીએ કેન્દ્ર અને રાજ્ય સરકાર પર સાધ્યું નિશાન, ઉઠાવ્યા અનેક સવાલ - ઔરિયા માર્ગ અકસ્માત પર માયાવતી

કોવિડ-19ને લીધે લાગેલા લોકડાઉનમાં પરપ્રાંતિય શ્રમિકો પોતાના વતન તરફ પરત ફરી રહ્યા છે, ત્યારે શનિવારે વહેલી સવારે ઉત્તર પ્રદેશના ઔરેયામાં માર્ગ અકસ્માતમાં શ્રમિકોના મોત થયા હતા. જેના પર બસપા પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ દુઃખ વ્યક્ત કર્યું છે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સામે પ્રશ્નો ઉઠાવ્યા છે.

ઔરેયા અકસ્માત પર માયાવતીએ કેન્દ્ર અને રાજ્ય સરકાર પર સાધ્યું નિશાન
ઔરેયા અકસ્માત પર માયાવતીએ કેન્દ્ર અને રાજ્ય સરકાર પર સાધ્યું નિશાન
author img

By

Published : May 16, 2020, 10:05 AM IST

લખનઉઃ કોવિડ-19ને લીધે લાગેલા લોકડાઉનમાં પરપ્રાંતિય શ્રમિકો પોતાના વતન તરફ પરત ફરી રહ્યા છે, ત્યારે શનિવારે વહેલી સવારે ઉત્તર પ્રદેશના ઔરેયામાં માર્ગ અકસ્માતમાં શ્રમિકોના મોત થયા હતા. જેના પર બસપા પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ દુઃખ વ્યક્ત કર્યું છે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સામે પ્રશ્નો ઉઠાવ્યા છે.

બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીએ ઔરેયા માર્ગ અકસ્માતમાં શ્રમિકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે અને કેન્દ્ર અને રાજ્ય સરકાર પર પ્રશ્નોનો મારો ચલાવ્યો છે. માયાવતીએ કહ્યું કે, જ્યારે શ્રમિકોને રહેવા અને ખાવાની વ્યવસ્થા ત્યાંની સરકાર કરી રહી નથી, તેથી જ લોકો પોતાના ઘરે પરત ફરવા મજબુર બન્યા છે. જે ખૂબ જ દુઃખદ વાત છે.

માયાવતીએ કહ્યું કે, દુઃખની વાત એ છે કે, મજૂરોને ત્યાંની સરકાર રહેવા અને ખાવાની વ્યવસ્થા આપી રહી નથી. જેથી તેઓ પોતાના ગૃહ રાજ્ય પરત ફરી રહેવા મજબુર બન્યા છે. કેન્દ્ર અને રાજ્ય બંને સરકારોની જવાબદારી બને છે કે, તેના મુળ રાજ્ય સુધી મોકવાની જવાબદારીનું નિર્વાહન કરે. તેમને મોકલવાની વ્યવસ્થા પણ કરવામાં આવે.

માયાવતીએ વધુમાં કહ્યું કે, વારંવાર શ્રમિકોની સમસ્યાઓ વધી રહી છે. આ વાતને કહી રહી છું કે, જ્યારે શ્રમિક પોતાના ગૃહ રાજ્ય પર જવા ઇચ્છે છે, તો તેમને મોકલવા જોઇએ. કેન્દ્ર અને રાજ્ય સરકાર એ કહેતી રહી કે, તે શ્રમિકોને તેમના ગૃહ રાજ્ય મોકલવાનો પ્રબંધ કરી રહી છે, પરંતુ આ દરમિયાન તમામ વ્યવસ્થાઓ સામે આવી રહી છે. તેમની પાસેથી પૈસા વસુલવામાં આવે છે. કમાણી બંધ હોવા છતાં તેઓ પાસેથી પૈસા લેવામાં આવે છે. તેમનું જીવન પસાર કરવું પણ મુશ્કેલ બન્યું છે.

બસપા અધ્યક્ષનું કહેવું છે કે, જ્યારે તે શ્રમિક બેરોજગાર બન્યો છે અને તેના પૈસા ખર્ચાઇ ગયા છે. આ વચ્ચે તમામ અર્થવ્યવસ્થાઓને લીધે દેશમાં કેટલીય ઘટનાઓ બની રહી છે. સરકારે તેને ગંભીરતાથી લેવી જોઇએ.

લખનઉઃ કોવિડ-19ને લીધે લાગેલા લોકડાઉનમાં પરપ્રાંતિય શ્રમિકો પોતાના વતન તરફ પરત ફરી રહ્યા છે, ત્યારે શનિવારે વહેલી સવારે ઉત્તર પ્રદેશના ઔરેયામાં માર્ગ અકસ્માતમાં શ્રમિકોના મોત થયા હતા. જેના પર બસપા પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ દુઃખ વ્યક્ત કર્યું છે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સામે પ્રશ્નો ઉઠાવ્યા છે.

બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીએ ઔરેયા માર્ગ અકસ્માતમાં શ્રમિકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે અને કેન્દ્ર અને રાજ્ય સરકાર પર પ્રશ્નોનો મારો ચલાવ્યો છે. માયાવતીએ કહ્યું કે, જ્યારે શ્રમિકોને રહેવા અને ખાવાની વ્યવસ્થા ત્યાંની સરકાર કરી રહી નથી, તેથી જ લોકો પોતાના ઘરે પરત ફરવા મજબુર બન્યા છે. જે ખૂબ જ દુઃખદ વાત છે.

માયાવતીએ કહ્યું કે, દુઃખની વાત એ છે કે, મજૂરોને ત્યાંની સરકાર રહેવા અને ખાવાની વ્યવસ્થા આપી રહી નથી. જેથી તેઓ પોતાના ગૃહ રાજ્ય પરત ફરી રહેવા મજબુર બન્યા છે. કેન્દ્ર અને રાજ્ય બંને સરકારોની જવાબદારી બને છે કે, તેના મુળ રાજ્ય સુધી મોકવાની જવાબદારીનું નિર્વાહન કરે. તેમને મોકલવાની વ્યવસ્થા પણ કરવામાં આવે.

માયાવતીએ વધુમાં કહ્યું કે, વારંવાર શ્રમિકોની સમસ્યાઓ વધી રહી છે. આ વાતને કહી રહી છું કે, જ્યારે શ્રમિક પોતાના ગૃહ રાજ્ય પર જવા ઇચ્છે છે, તો તેમને મોકલવા જોઇએ. કેન્દ્ર અને રાજ્ય સરકાર એ કહેતી રહી કે, તે શ્રમિકોને તેમના ગૃહ રાજ્ય મોકલવાનો પ્રબંધ કરી રહી છે, પરંતુ આ દરમિયાન તમામ વ્યવસ્થાઓ સામે આવી રહી છે. તેમની પાસેથી પૈસા વસુલવામાં આવે છે. કમાણી બંધ હોવા છતાં તેઓ પાસેથી પૈસા લેવામાં આવે છે. તેમનું જીવન પસાર કરવું પણ મુશ્કેલ બન્યું છે.

બસપા અધ્યક્ષનું કહેવું છે કે, જ્યારે તે શ્રમિક બેરોજગાર બન્યો છે અને તેના પૈસા ખર્ચાઇ ગયા છે. આ વચ્ચે તમામ અર્થવ્યવસ્થાઓને લીધે દેશમાં કેટલીય ઘટનાઓ બની રહી છે. સરકારે તેને ગંભીરતાથી લેવી જોઇએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.