ETV Bharat / bharat

ચૂંટણીની તૈયારીઓ શરૂ, આજે ચૂંટણી પંચ અને અધિકારીઓની બેઠક

નવી દિલ્હી: ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી માટે તૈયારીઓની સમીક્ષાને લઈ આજે રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ તથા નિરીક્ષકોની સાથે બેઠક યોજાશે.

author img

By

Published : Mar 14, 2019, 11:39 AM IST

file photo


આ બેઠકમાં ચૂંટણી દરમિયાન કાળાનાણાં અને અન્ય ગેરકાયદેસર સામગ્રીની વહેંચણી પર નજર રાખનારા અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. આ બેઠકની અધ્યક્ષતા મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોડા કરશે. જેમાં ચૂંટણી કમિશ્નર અશોક લવાસા તથા સુનીલ ચંદ્રા સહિત પંચના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહેશે.

આ બેઠકમાં નિરીક્ષકોને સોંપવામાં આવેલી જવાબદારીઓ વિશે ચર્ચા કરવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે, 10 માર્ચના રોજ અરોડા દ્વારા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ ચૂંટણી પંચની આ પ્રથમ બેઠક છે.

ચૂંટણી પંચે લોકસભાની 543 સીટો માટે 11 એપ્રિલથી શરૂ થનારી ચૂંટણીમાં બાજનજર રાખવા માટે 800થી વધુ નિરીક્ષકો તૈનાત કરવામાં આવશે. જેમાં નિરીક્ષકો, પોલીસ સેવાના અધિકારીઓ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ સામેલ થશે.

પ્રથમ તબક્કા માટે 11 એપ્રિલના રોજ થનારા મતદાન માટે 18 માર્ચના રોજ અધિસૂચના જાહેર કરવામાં આવશે. લોકસભા ચૂંટણીની સાથે ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ થશે.


આ બેઠકમાં ચૂંટણી દરમિયાન કાળાનાણાં અને અન્ય ગેરકાયદેસર સામગ્રીની વહેંચણી પર નજર રાખનારા અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. આ બેઠકની અધ્યક્ષતા મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોડા કરશે. જેમાં ચૂંટણી કમિશ્નર અશોક લવાસા તથા સુનીલ ચંદ્રા સહિત પંચના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહેશે.

આ બેઠકમાં નિરીક્ષકોને સોંપવામાં આવેલી જવાબદારીઓ વિશે ચર્ચા કરવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે, 10 માર્ચના રોજ અરોડા દ્વારા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ ચૂંટણી પંચની આ પ્રથમ બેઠક છે.

ચૂંટણી પંચે લોકસભાની 543 સીટો માટે 11 એપ્રિલથી શરૂ થનારી ચૂંટણીમાં બાજનજર રાખવા માટે 800થી વધુ નિરીક્ષકો તૈનાત કરવામાં આવશે. જેમાં નિરીક્ષકો, પોલીસ સેવાના અધિકારીઓ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ સામેલ થશે.

પ્રથમ તબક્કા માટે 11 એપ્રિલના રોજ થનારા મતદાન માટે 18 માર્ચના રોજ અધિસૂચના જાહેર કરવામાં આવશે. લોકસભા ચૂંટણીની સાથે ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ થશે.

Intro:Body:

મેનકા ગાંધી લોકસભા ચૂંટણી લડવા તો માંગે છે પણ કઈ સીટ પર 



ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણીનો શંખનાદ થઈ ગયો છે. ભાજપ તરફથી મેનકા ગાંધી હરિયાણાની કરનાલ લોકસભા સીટથી ચૂંટણી લડવા માંગે છે.



મેનકા ગાંધી પોતાના દાદા સરદાર દાતાર સિંહની વિરાસતને સંભાળવા માટે હવે કરનાલ આવી રહી છે. મેનકાની કરનાલથી લોકસભા સીટની ઉમ્મેદવારી લગભગ નક્કી છે. જણાવી દઈએ કે મેનકા ગાંધી 7 વખત સાંસદ રહી ચૂક્યા છે.



વરૂણ ગાંધી પીલીભીતથી સંભાળશે વિરાસત

તો મેનકા ગાંધીના પુત્ર વરૂણ ગાંધી પીલીભીતમાં વિરાસતને સંભાળશે. જણાવી દઈએ કે મેનકા ગાંધીના કરનાલથી જૂના સંબંધો છે. મેનકા ગાંધી આ સીટ પરથી ભાજપ માટે ચૂંટણી લડી શકે છે. આ વખતે લોકસભા ચૂંટણીમાં રોહતક બાદ કરનાલ આ વિસ્તારની હોટ સીટ માનવામાં આવે છે. આ બેઠક પર અનેક ઉમેદવારો લાઈનમાં ઉભા છે.



કોણ છે મેનકા ગાંધી ?

મેનકા ગાંધી કેન્દ્રમાં મહિલા તથા બાળ કલ્યાણ વિકાસ પ્રધાન છે. પીલીભીતમાં ઘણી વખત ભાજપ માથી સાંસદ રહી ચૂક્યા છે. મેનકા ગાંધી દેશની રાજનીતિમાં એક મોટું નામ છે. એક તો તેઓ કેન્દ્રીય પ્રધાન છે, બીજુ કે તેઓ સંજય ગાંધીના પત્નિ છે.



લોકસભા માટે કરનાલ જ કેમ ?

મેનકાના કરનાલ કનેક્શન વિશે ધણા ઓછા લોકોને જાણ હશે. કારણ કે લોકો જાણે છે કે તેઓ દિલ્હીમાં રહે છે. પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીથી તેમના સંબંધો સારા ન હોવાથી તેઓ છૂટા પડી ગયા અને ભાજપમાં જોડાઈ ગયા. હવે પ્રશ્ન એ છે કે, તેમણે લોકસભા માટે કરનાલની સીટ કેમ પસંદ કરી?



મનેકા ગાંધીના નાના સરદાર દાતાર સિંહ એ શખ્સ હતા, જેમણે સાયવાલ ગાયની નસ્લ વિકસિત કરી હતી. પાંચ ભાઈઓમાં દાતાર સિંહ ત્રીજા નંબરના હતા. હિન્દુસ્તાન-પાકિસ્તાનના ભાગલા દરમિયાન બધા કરનાલ આવી ગયા હતા.





મેનકા ગાંધીનો કરનાલ કનેક્શન

મેનકા ગાંધીના નાના સરદાર દાતાર સિંહ લહભગ 2 વર્ષ કરનાલમાં રહ્યા હતા. તે બાદ તેઓ દિલ્હી જતા રહ્યા હતા. 

દાતાર સિંહના બે પુત્ર તથા દિકરી હતી. જેમાંથી એક પુત્ર અમ્તેશ્વર આનંદના લગ્ન મેનકાના પિતા કર્ણલ આનંદ સાથે થયા હતા. જેમના ત્રણ બાળકો હતા. જેમાં 2 પુત્રી અને એક પુત્ર હતો. જણાવી દઇએ કે મેનકાના ભાઇનું મૃત્યું થઈ ગયું છે. મેનકાએ પોતાનો અભ્યાસ દિલ્હીમાં જ પૂર્ણ કર્યો છે.





આપને જણાવી દઈએ કે, હરિયાણામાં લોકસભાની 10 બેઠકો છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને હરિયાણાની 10 માંથી 7 બેઠકો પર વિજય મળ્યો હતો.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.