ETV Bharat / bharat

બીકાનેરના સેન્ડ આર્ટિસ્ટ મહાવીર રામાવતે ભગવાન શ્રીરામની આકૃતિ બનાવી - રેતીની માટીમાં ભગવાન રામની પ્રતિમાને બનાવી

ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના નિર્માણનો શિલાન્યાસ 5 ઓગસ્ટના રોજ અયોધ્યામાં કરવામાં આવશે. આ પ્રસંગે અયોધ્યાની સાથે દેશભરમાં ઉત્સાહનું વાતાવરણ છે અને દરેક લોકો મંદિર નિર્માણની રાહ જોઈ રહ્યા છે. ત્યારે, બીકાનેરના રેતી કલાકારે પણ રેતાળ વિસ્તારમાં ભગવાન રામની મૂર્તિ બનાવીને ખુશી વ્યક્ત કરી હતી.

બીકાનેરના રેતી કલાકાર મહાવીર રામાવતે રેતીની માટીમાં ભગવાન શ્રી રામની આકૃતિ બનાવી
બીકાનેરના રેતી કલાકાર મહાવીર રામાવતે રેતીની માટીમાં ભગવાન શ્રી રામની આકૃતિ બનાવી
author img

By

Published : Aug 4, 2020, 4:21 PM IST

બિકાનેર: 5 ઓગસ્ટના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ માટે બિકાનેર અનેક સદીઓથી રાહ જોઇ રહ્યો છે. ભગવાન રામના ભવ્ય મંદિર નિર્માણનો શિલાન્યાસના પ્રસંગે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે. કોરોનાના આ સમયગાળામાં પણ, દરેક વ્યક્તિ પોતાના અનુરૂપ ખુશી વ્યક્ત કરી રહ્યો છે અને આ પ્રસંગે ઘીના દીવડાઓ પ્રગટાવીને અને ઘરોમાં ધાર્મિક વિધિ કરીને, ભક્તિ કરી રહ્યા છે.

બીકાનેરના સેન્ડ (રેતી) આર્ટિસ્ટ મહાવીર રામાવતે પણ કાળઝાળ ગરમી વચ્ચે રેતીની માટીમાં ભગવાન રામની પ્રતિમાને બનાવીને પોતાની કલા દ્વારા લાગણી વ્યક્ત કરી હતી. કલાકાર મહાવીરે કહ્યું કે, આ આકૃતિ બનાવવામાં તેમને લગભગ 7 કલાકનો સમય લાગ્યો હતો. મહાવીરે તેના સાથી કલાકારો સાથે, રેતીની માટી અને પાણીથી બનેલા આ આકૃતિનું આર્ટવર્ક પૂર્ણ કર્યું હતું.

બીકાનેરના જેસલમેર બિકાનેરે હાઇવે પર રેતાળ રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકો આ આર્ટવર્કને જોવા માટે ઉમટ્યા હતા. બિકાનેરના રહેવાસી પંકજે કહ્યું કે, અયોધ્યામાં મંદિર નિર્માણનું સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે અને તે આપણા બધા માટે ખુશીની વાત છે અને આ પહેલા પણ મહાવીરે અનેક પ્રસંગોએ રેતીનું આર્ટવર્ક બનાવ્યુ છે.

બિકાનેર: 5 ઓગસ્ટના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ માટે બિકાનેર અનેક સદીઓથી રાહ જોઇ રહ્યો છે. ભગવાન રામના ભવ્ય મંદિર નિર્માણનો શિલાન્યાસના પ્રસંગે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે. કોરોનાના આ સમયગાળામાં પણ, દરેક વ્યક્તિ પોતાના અનુરૂપ ખુશી વ્યક્ત કરી રહ્યો છે અને આ પ્રસંગે ઘીના દીવડાઓ પ્રગટાવીને અને ઘરોમાં ધાર્મિક વિધિ કરીને, ભક્તિ કરી રહ્યા છે.

બીકાનેરના સેન્ડ (રેતી) આર્ટિસ્ટ મહાવીર રામાવતે પણ કાળઝાળ ગરમી વચ્ચે રેતીની માટીમાં ભગવાન રામની પ્રતિમાને બનાવીને પોતાની કલા દ્વારા લાગણી વ્યક્ત કરી હતી. કલાકાર મહાવીરે કહ્યું કે, આ આકૃતિ બનાવવામાં તેમને લગભગ 7 કલાકનો સમય લાગ્યો હતો. મહાવીરે તેના સાથી કલાકારો સાથે, રેતીની માટી અને પાણીથી બનેલા આ આકૃતિનું આર્ટવર્ક પૂર્ણ કર્યું હતું.

બીકાનેરના જેસલમેર બિકાનેરે હાઇવે પર રેતાળ રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકો આ આર્ટવર્કને જોવા માટે ઉમટ્યા હતા. બિકાનેરના રહેવાસી પંકજે કહ્યું કે, અયોધ્યામાં મંદિર નિર્માણનું સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે અને તે આપણા બધા માટે ખુશીની વાત છે અને આ પહેલા પણ મહાવીરે અનેક પ્રસંગોએ રેતીનું આર્ટવર્ક બનાવ્યુ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.