તિરૂવનંતપુરમઃ કોરોના વાયરસના કારણે ઘણા દેશો વચ્ચે હવાઈ સેવા સ્થગિત કરવામાં આવી છે, જેથી ભારતીય બીજા દેશમાં ફસાયા છે. જેમાં મોટા ભાગના માછીમારો છે.
કેરળના મત્સ્ય ઉદ્યોગના પ્રધાન જે. મર્સીકુટ્ટીએ કહ્યું કે, 'કેરળના 17 માછીમારો ઈરાનમાં ફસાયા છે, જે ત્યાં લાગૂ કરવામાં આવેલા પ્રતિબંધોને કારણે બહાર નીકળી શકતા નથી, પરંતુ અમે તેમની માહિતી ભારતીય એમ્બેસીને આપશું.'
આ ઉપરાંત તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર આ મુદ્દો કેન્દ્ર સરકાર પાસે પણ ઉઠાવશે.