ETV Bharat / bharat

સુપ્રીમ કોર્ટેના નિર્ણય બાદ સુશાંતના પિતરાઇ ભાઇએ ખુશી વ્યકત કરી

author img

By

Published : Aug 19, 2020, 7:30 PM IST

સીબીઆઈ હવે સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ કરશે. જેની પરવાનગી આજે સુપ્રીમ કોર્ટથી મળી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય અંગે સુશાંતના પિતરાઇ ભાઇ નીરજકુમાર બબલુએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, આ નિર્ણયે દિલાસો આપ્યો છે.

etv bharat
સુપ્રીમ કોર્ટેના નિર્ણય બાદ સુશાંતના કઝીને ખુશી વ્યકત કરી

પટના: સુશાંતના પિતરાઇ ભાઇ નીરજ કુમાર બબલુએ બુધવારે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યાના કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને તપાસ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે હવે આ કેસમાં ન્યાયની અપેક્ષા બાંધી છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ભાજપના ધારાસભ્ય નીરજ કુમારે પત્રકારો સાથે ચર્ચા કરતા કહ્યું કે, માત્ર એટલું જ નહીં અમે સુશાંતના ચાહકોને પણ ઇચ્છતા હતા. તેમણે કહ્યું કે આ નિર્ણય દિલાસો આપનાર છે.

તેમણે વધુમાં કહ્યું કે, હવે સીબીઆઈ આ મામલાની તપાસ કરશે, જેનાથી આપણા બધાને ન્યાયની આશા છે.

નોંધનીય છે કે, સુશાંતે 14 જૂનના રોજ તેમના મુંબઇ નિવાસસ્થાને આત્મહત્યા કરી હતી. આ પછી તેના પિતા કે.કે.સિંહે 25 જુલાઈએ પટનાના રાજીવનગરમાં કેસ નોંધાવ્યો હતો. એફઆઇઆર દાખલ કરવામાં એક્ટ્રેસ અને સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને મુખ્ય આરોપી બનાવવામાં આવી હતી.

બાદમાં, બિહાર સરકારે આ મામલે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. આ પછી, રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને પટનામાં નોંધાયેલા કેસને મુંબઇ મોકલવાની વિનંતી કરી હતી.

પટના: સુશાંતના પિતરાઇ ભાઇ નીરજ કુમાર બબલુએ બુધવારે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યાના કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને તપાસ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે હવે આ કેસમાં ન્યાયની અપેક્ષા બાંધી છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ભાજપના ધારાસભ્ય નીરજ કુમારે પત્રકારો સાથે ચર્ચા કરતા કહ્યું કે, માત્ર એટલું જ નહીં અમે સુશાંતના ચાહકોને પણ ઇચ્છતા હતા. તેમણે કહ્યું કે આ નિર્ણય દિલાસો આપનાર છે.

તેમણે વધુમાં કહ્યું કે, હવે સીબીઆઈ આ મામલાની તપાસ કરશે, જેનાથી આપણા બધાને ન્યાયની આશા છે.

નોંધનીય છે કે, સુશાંતે 14 જૂનના રોજ તેમના મુંબઇ નિવાસસ્થાને આત્મહત્યા કરી હતી. આ પછી તેના પિતા કે.કે.સિંહે 25 જુલાઈએ પટનાના રાજીવનગરમાં કેસ નોંધાવ્યો હતો. એફઆઇઆર દાખલ કરવામાં એક્ટ્રેસ અને સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને મુખ્ય આરોપી બનાવવામાં આવી હતી.

બાદમાં, બિહાર સરકારે આ મામલે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. આ પછી, રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને પટનામાં નોંધાયેલા કેસને મુંબઇ મોકલવાની વિનંતી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.