આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલી વિમાનીની કંપની જેટ એરવેઝના ઉપમુખ્ય કાર્યકારી અધિકારી(સીઈઓ) અને મુખ્ય વિત્તીય અધઇકારી(સીએફઓ) અમિત અગ્રવાલે રાજીનામું આપ્યું છે. વિમાન કંપનીએ મંગળવારે જણાવ્યું કે, અગ્રવાલનું રાજીનામું 13 મેથી પ્રભાવિત છે. જેટ એરવેઝ દ્વારા એક નિયમન દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું કે, "અમે જણાવવા માંગીએ છીએ કે, કંપનીના ઉપમુખ્ય કાર્યકારી અધિકારી અને સીએફઓ અમિત અગ્રવાલે વ્યક્તિગત કારણોથી પોતાના પદ પરથી રાજીનામું આપ્યુ છે, જે 13 મેથી પ્રભાવિત છે."
વિમાનની કંપનીએ મધ્ય એપ્રિલમાં રોકડની સમસ્યાના કારણે અસ્થાયી રીતે ઓપરેશન બંધ કર્યું હતું. ગત એક મહિનાથી કંપનીના ઘણા સદસ્યોએ રાજીનામું આપી દીધું છે.