અલીગઢ મુ્સ્લિમ યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ આ નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને પોલીસે રોકવાવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારપછી વિદ્યાર્થીઓએ પથ્થરમારો શરૂ કર્યો હતો. જેમાં 6 પોલીસ કર્મીઓને ઈજા પહોંચી હતી. બે કલાક સુધી પથ્થરમારો ચાલ્યો હતો.
પોલીસે ટીયર ગેસ છોડી પ્રદર્શનકારીઓને હટાવ્યા હતા. ડીજીપીએ આગરાના એડિશનલ ડીજીને ઘટના સ્થળે પહોંચવા સુચના આપી છે. આ સાથે હાથરસ અને કાસગંજના અધિકારીઓને પણ ઘટના સ્થળે બોલાવી લેવાયા છે.
સ્થિતિ વધુ સ્ફોટક ન બને અને અફવાઓ ન ફેલાય તે માટે અલીગઢના કલેક્ટર ચંદ્રભુષણસિંહ દ્વારા 24 કલાક માટે ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. અલીગઢમાં રવિવાર રાત્રે 10 વાગ્યાથી સોમવારના રાત્રીના 10 સુધી ઈન્ટરનેટ બંધ રહેશે તેવો આદેશ આપ્યો છે.