નવી દિલ્હી: ઇન્ટર મિનિસ્ટ્રિયલ સેન્ટ્રલ ટીમ (IMCT) કોલકાતાની કોવિડ 19 હોસ્પિટલોની મુલાકાત પછી પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવને પત્ર લખ્યો છે. જેમાં 'ડૉક્ટર્સ કમિટી' દ્વારા કોરોનાથી સંક્રમિત લોકોના મોતનું કારણ શોધવા વાળી પદ્ધતિ જણાવો અને તે પણ જુઓ કે તે આઇસીએમઆર માર્ગદર્શિકાને પૂર્ણ કરે છે કે નહીં.
તેમણે કહ્યું કે, કેટલાક દર્દીઓ પાંચ દિવસથી કોવિડ-19ના પરિણામોની રાહ જોઈ રહ્યાં છે. આ ઉપરાંત તેમણે તપાસની સંખ્યા વધારીને 2500-5000 / દિવસ કરવાની ભલામણ કરી છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારો IMCT ટીમને લઇને આમને સામને છે, જેનું નિર્માણ ગૃહ મંત્રાલય દ્વારા IMCTના વિવિધ હોટસ્પોટ્સની મુલાકાત લેવા અને ત્યાંની પરિસ્થિતિઓનું આકલન કરવા માટે કરવામાં આવ્યું છે.