ઉલ્લેખનીય છે કે, PM મોદી ફાની વાવાઝોડાથી પ્રભાવિત રાજ્યોની સમીક્ષા બેઠક કરવા ઈચ્છે છે. તેમણે ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકની સાથે બેઠક કરી હતી. બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ PM મોદીની સાથે મુલાકાત કરવાની ના પાડી હતી.
મીડિયા રિપોર્ટસમાં PMના બંગાળમાં ફોન ન કરવાની વાત પ્રસારિત કરવામાં આવી હતી. બાદમાં PMOએ નિવેદન જાહેર કરીને આ વાતનું ખંડન કર્યું હતું. અગાઉ PM મોદીએ ફાની વાવાઝોડાથી પ્રભાવિત રાજ્યમાં ઓડિશામાં હવાઈ નિરીક્ષણ કરી મદદ માટે ફંડ આપ્યું હતું.