બેંગલુરુ: કોરોના વાઈરસની મહામારીને કારણે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે કર્ણાટકના પૂર્વ સીએમ કુમારસ્વામીના પુત્ર નિખિલ કુમારસ્વામી અને રેવતીનો લગ્ન સમારોહ 17 એપ્રિલે યોજાયો હતો. આ સમારોહમાં નિખિલ અને રેવતી સહિત 42 લોકો સામેલ થયાં હતા.
કુમારસ્વામીએ ટ્વિટ કર્યું હતું કે, "દેશભરમાં લોકડાઉન છે. આ સંકટની ઘડીમાં આ સમારોહ સરકારના દિશાનિર્દશોના આધારે તેમજ સામાજિક અંતર જાળવીને વ્યવસ્થિત રીતે લગ્ન સમારોહનું સમાપન કરવામાં આવ્યું છે."
આ ઉપરાંત ટ્વિટમાં કહ્યું કે, "લાખો લોકોએ નવયુગલોને આશિર્વાદ આપ્યા હતા. તેમજ તેમણે મારા પરિવારે કરેલી વિનંતીને સ્વીકારી તે માટે હું તમારા સૌનો આભારી છું. આભાર "