ETV Bharat / bharat

પૂર્વ કેપ્ટન કપિલ દેવ 'મિશન ફતેહ'માં જોડાયા, સરકારના નિયમોનું પાલન કરવા લોકોને કરી અપીલ - પંજાબ સરકાર દ્વારા મિશન ફતેહ અભિયાન

કપિલદેવે લોકોને કોરોના વાઇરસ અંગે સંદેશ આપતા કહ્યું કે 'આપણે બધાએ હજારો વર્ષોથી સફળતા મેળવતા આવ્યા છીએ, પરંતુ આપણે હજુ એક સફળતા મેળવવાની બાકી છે. જેના માટે સરકારે આપણને હાથ સાફ રાખવા માટે, સોશિયલ ડિસ્ટન્સ માટે, માસ્ક લગાવવા માટે કહ્યું છે.

પૂર્વ કેપ્ટન કપિલ દેવએ કોરોનાને લઈને, સરકારના નિયમોનું પાલન કરવા લોકોને કરી અપીલ
પૂર્વ કેપ્ટન કપિલ દેવએ કોરોનાને લઈને, સરકારના નિયમોનું પાલન કરવા લોકોને કરી અપીલ
author img

By

Published : Jun 6, 2020, 11:29 PM IST

હૈદરાબાદ: ભારતમાં લોકડાઉન ભલે હટી ગયું હોય, પરંતુ કોરોના વાઇરસનું જોખમ હજુ પણ રહેલું છે. તેથી રામતજગતના દરેક દિગ્ગજ કોરોના વાઇરસને લઈને લોકોને જાગૃત કરી રહ્યા છે.

આ અભિયાનમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવ પણ પંજાબ સરકારના મિશન ફતેહના માધ્યમથી આ મહામારીથી બચવા લોકોને અપીલ કરી રહ્યા છે.

  • A simple and powerful message by Kapil Dev for all of us. This fight against #Covid19 can be won only if all of us realise our individual responsibility and follow all precautions. We must keep on fighting #Covid_19 with the same vigour and zeal in our #MissionFateh. pic.twitter.com/zjcAxWNrz6

    — CMO Punjab (@CMOPb) June 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

CMO પંજાબએ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો , જેમાં ભારતીય ટીમને પ્રથમવાર વિશ્વ કપ અપાવનારા પૂર્વ કેપ્ટન કપિલ દેવે પંજાબી ભાષામાં લોકોને અપીલ કરતા કહ્યું કે, આપણે બધા હજારો વર્ષોથી સફળતા મેળવતા આવ્યા છીએ, પરંતુ આપણે હજુ એક સફળતા મેળવવાની બાકી છે. જેના માટે સરકારે આપણને હાથ સાફ રાખવા માટે, સોશિયલ ડિસ્ટન્સ માટે, માસ્ક લગાવવા માટે કહ્યું છે. જેમાં આપણું કોઈ નુકસાન નથી. આ ફક્ત આપણા સારા જીવન માટે છે. જો આપણે 6 મહિના સુધી આ મહામારીથી પોતાને બચાવીશું, તો પછી એક વર્ષમાં આપણે બધા એકબીજાને ભેટી શકીશું.

પંજાબ સરકાર દ્વારા મિશન ફતેહ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેનો મુખ્ય હેતુ લોકોને કોવિડ-19 અંગે જાગૃત કરવાનો છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ લોકોને સલામતીનાં પગલાં અંગે જાગૃત કરવાનો છે.

હૈદરાબાદ: ભારતમાં લોકડાઉન ભલે હટી ગયું હોય, પરંતુ કોરોના વાઇરસનું જોખમ હજુ પણ રહેલું છે. તેથી રામતજગતના દરેક દિગ્ગજ કોરોના વાઇરસને લઈને લોકોને જાગૃત કરી રહ્યા છે.

આ અભિયાનમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવ પણ પંજાબ સરકારના મિશન ફતેહના માધ્યમથી આ મહામારીથી બચવા લોકોને અપીલ કરી રહ્યા છે.

  • A simple and powerful message by Kapil Dev for all of us. This fight against #Covid19 can be won only if all of us realise our individual responsibility and follow all precautions. We must keep on fighting #Covid_19 with the same vigour and zeal in our #MissionFateh. pic.twitter.com/zjcAxWNrz6

    — CMO Punjab (@CMOPb) June 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

CMO પંજાબએ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો , જેમાં ભારતીય ટીમને પ્રથમવાર વિશ્વ કપ અપાવનારા પૂર્વ કેપ્ટન કપિલ દેવે પંજાબી ભાષામાં લોકોને અપીલ કરતા કહ્યું કે, આપણે બધા હજારો વર્ષોથી સફળતા મેળવતા આવ્યા છીએ, પરંતુ આપણે હજુ એક સફળતા મેળવવાની બાકી છે. જેના માટે સરકારે આપણને હાથ સાફ રાખવા માટે, સોશિયલ ડિસ્ટન્સ માટે, માસ્ક લગાવવા માટે કહ્યું છે. જેમાં આપણું કોઈ નુકસાન નથી. આ ફક્ત આપણા સારા જીવન માટે છે. જો આપણે 6 મહિના સુધી આ મહામારીથી પોતાને બચાવીશું, તો પછી એક વર્ષમાં આપણે બધા એકબીજાને ભેટી શકીશું.

પંજાબ સરકાર દ્વારા મિશન ફતેહ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેનો મુખ્ય હેતુ લોકોને કોવિડ-19 અંગે જાગૃત કરવાનો છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ લોકોને સલામતીનાં પગલાં અંગે જાગૃત કરવાનો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.