બુધવારે આંતરરાષ્ટ્રીય અદાલતે જાધવની બાબતે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. સાથે જ કુલભૂષણ જાધવની ફાંસી પર રોક લગાવતા પાકિસ્તાનને ઘટના અંગે પુનઃવિચાર કરવા જણાવ્યું હતું.
![આંતરરાષ્ટ્રીય કૉર્ટનો ચુકાદો, વિદેશ પ્રધાન સંસદમાં કરશે સંબોધન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3871703_a.jpg)
ઉપરાંત આંતરરાષ્ટ્રીય કૉર્ટે પાકિસ્તાન દ્વારા વિયના કન્વેંશનનું ઉલ્લંઘન કર્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ત્યારે ભારત અને કુલભૂષણ જાધવના પક્ષે ચુકાદો આવ્યા બાદ વિદેશ પ્રધાન આજે સંસદમાં આ મુદ્દે સંબોધન કરનાર છે. જેમાં તેઓ વિસ્તાર પૂર્વક આ ઘટનાને દેશની સંસદ સમક્ષ રજૂ કરશે.