ETV Bharat / bharat

1200 પ્રવાસી મજૂરો માટે તેલંગાણાથી ઝારખંડ રવાના થઇ પહેલી સ્પેશિયલ ટ્રેન

author img

By

Published : May 1, 2020, 2:55 PM IST

શુક્રવારે સવારે સાડા ચાર કલાકે તેલંગાણાના લિંગમપલ્લી સ્ટેશનથી ઝારખંડના રાંચી સ્થિત હટિયા સ્ટેશન માટે એક ટ્રેન રવાના થઇ હતી. 24 કૉચવાળી આ ટ્રેનમાં 1200 લોકો સવાર હતા.

Etv Bharat, Gujarati News, Covid 19
Hyderabad News

હૈદરાબાદઃ લૉકડાઉનને લીધે બીજા રાજ્યમાં ફસાયેલા લોકોને પોતાના ગૃહ રાજ્યમાં મોકલવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ ક્રમમાં શુક્રવારે સવારે સાડા ચાર કલાકે તેલંગાણાના લિંગમપલ્લી સ્ટેશનથી ઝારખંડના રાંચી સ્થિત હટિયા સ્ટેશન માટે એક ટ્રેન રવાના થઇ હતી. 24 કૉચવાળી આ ટ્રેનમાં 1200 લોકો સવાર હતા.

વધુમાં જણાવીએ તો બુધવારે કેન્દ્ર સરકારે મજૂરોને ઘરે મોકલવા માટે લીલી ઝંડી આપી હતી. જે બાદ બીજા રાજ્યોમાંથી મજૂરોને ઘર મોકલવામાં આવી રહ્યા છે.

Etv Bharat, Gujarati News, Covid 19
હૈદરાબાદથી ઝારખંડ વિશેષ ટ્રેન

રેલવે સુરક્ષા બળના મહાનિર્દેશક અરુણ કુમારે કહ્યું કે, 1200 પ્રવાસીઓને લઇને તેલંગાણાથી ઝારખંડ માટે રવાના થયેલી સ્પેશિયલ નૉન સ્ટોપ ટ્રેન શુક્રવારે રાત્રે 11 કલાકે હટિયા પહોંચશે.

ઝારખંડમાં અધિકારીઓએ કહ્યું કે, રાજ્ય સરકારે વિશેષ નૉન સ્ટૉપ ટ્રેનથી રાજ્યમાં પરત ફરતા પ્રવાસીઓની તપાસ અને ક્વોરન્ટાઇનની ખાસ વ્યવસ્થા કરી છે.

વધુમાં તમને જણાવીએ તો કોરોના મહામારીને ધ્યાને રાખીને ભારતીય રેલવેએ પોતાની તમામ યાત્રી, મેલ અને એક્સપ્રેસ ટ્રેન સેવાઓ બંધ કરી છે.

મહત્વનું છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જારી કરેલી માર્ગદર્શિકા અનુસાર, દરેક રાજ્યને બસો દ્વારા પોતાના કામદારોને પરત લાવવાની કામગીરી શરૂ કરવી પડશે. આ સમય દરમિયાન, સામાજિક અંતર, સામાજિક અંતર, સેનિટાઇઝેશન, સ્ક્રીનિંગ સહિતના દરેક નિયમનું પાલન કરવું જરૂરી રહેશે.

હૈદરાબાદઃ લૉકડાઉનને લીધે બીજા રાજ્યમાં ફસાયેલા લોકોને પોતાના ગૃહ રાજ્યમાં મોકલવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ ક્રમમાં શુક્રવારે સવારે સાડા ચાર કલાકે તેલંગાણાના લિંગમપલ્લી સ્ટેશનથી ઝારખંડના રાંચી સ્થિત હટિયા સ્ટેશન માટે એક ટ્રેન રવાના થઇ હતી. 24 કૉચવાળી આ ટ્રેનમાં 1200 લોકો સવાર હતા.

વધુમાં જણાવીએ તો બુધવારે કેન્દ્ર સરકારે મજૂરોને ઘરે મોકલવા માટે લીલી ઝંડી આપી હતી. જે બાદ બીજા રાજ્યોમાંથી મજૂરોને ઘર મોકલવામાં આવી રહ્યા છે.

Etv Bharat, Gujarati News, Covid 19
હૈદરાબાદથી ઝારખંડ વિશેષ ટ્રેન

રેલવે સુરક્ષા બળના મહાનિર્દેશક અરુણ કુમારે કહ્યું કે, 1200 પ્રવાસીઓને લઇને તેલંગાણાથી ઝારખંડ માટે રવાના થયેલી સ્પેશિયલ નૉન સ્ટોપ ટ્રેન શુક્રવારે રાત્રે 11 કલાકે હટિયા પહોંચશે.

ઝારખંડમાં અધિકારીઓએ કહ્યું કે, રાજ્ય સરકારે વિશેષ નૉન સ્ટૉપ ટ્રેનથી રાજ્યમાં પરત ફરતા પ્રવાસીઓની તપાસ અને ક્વોરન્ટાઇનની ખાસ વ્યવસ્થા કરી છે.

વધુમાં તમને જણાવીએ તો કોરોના મહામારીને ધ્યાને રાખીને ભારતીય રેલવેએ પોતાની તમામ યાત્રી, મેલ અને એક્સપ્રેસ ટ્રેન સેવાઓ બંધ કરી છે.

મહત્વનું છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જારી કરેલી માર્ગદર્શિકા અનુસાર, દરેક રાજ્યને બસો દ્વારા પોતાના કામદારોને પરત લાવવાની કામગીરી શરૂ કરવી પડશે. આ સમય દરમિયાન, સામાજિક અંતર, સામાજિક અંતર, સેનિટાઇઝેશન, સ્ક્રીનિંગ સહિતના દરેક નિયમનું પાલન કરવું જરૂરી રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.