ETV Bharat / bharat

લોકડાઉનમાં ઉદયપુરનું 500 વર્ષ જૂનું બોહરા ગણેશ મંદિર ભક્તો વિના સૂનું

author img

By

Published : Apr 23, 2020, 11:10 AM IST

દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે, લોકો ઘરમાં રહેવા મજબૂર થયા છે. જેના કારણે ધાર્મિક સ્થળો પણ સૂમસામ વર્તાઈ રહ્યાં છે. જેમાં ઉદયપુરનું 500 વર્ષ જૂનું બોહરા ગણેશ મંદિર પણ સામેલ છે.

ઉદયપુર
udaipur

ઉદયપુરઃ ઉદયપુરના ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું છે, જ્યારે ભક્તોથી સતત ભરાયેલું રહેતું 500 વર્ષ જૂનું બોહરા ગણેશજી મંદિર આજે ખાલી અને નિર્જન વર્તાઈ રહ્યું છે. કારણકે લોકડાઉનને કારણે મંદિર સામાન્ય લોકો માટે બંધ કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, પુજારી પરિવારમાંથી કેટલાક પસંદ કરાયેલા લોકો જ ભગવાનની ઉપાસના કરી રહ્યા છે. હવે લાગે છે કે ભગવાન પણ તેમના ભક્તોની રાહ જોઈ રહ્યાં છે.

ભક્તો વિના સૂના ભગવાન

3 મે સુધી દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. તેથી તમામ ધાર્મિક સ્થળો પણ 3 મે સુધી સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યા છે. એટલે ધાર્મિક સ્થળોએ પણ હવે ભક્તો વિના સંપૂર્ણ ખાલી દેખાઈ રહ્યા છે. આવી જ સ્થિતિ ઉદયપુરમાં પણ જોવા મળી રહી છે.

કોરોનાને નાબૂદ કરવાની પ્રાર્થના

લેક સિટીના બોહરા ગણેશજી મંદિરમાં સામાન્ય દિવસોમાં ભક્તોની ભીડ જોવા મળતી હતી. પગ રાખવા માટે પણ કોઈ જગ્યા નહોતી રહેતી. પરંતુ કોરોના ચેપ અને લોકડાઉનને કારણે મંદિર લાંબા સમયથી સામાન્ય ભક્તો માટે બંધ છે. અહીં આવતા ભક્તોએ પણ ભગવાનથી કોરોના ચેપ નાબૂદ કરવા માટે પ્રાર્થના શરૂ કરી રહ્યાં છે.

મંદિરની માન્યતા...

ભક્તોનું કહેવું છે કે, તેઓ નાનપણથી વર્ષોથી અહીં આવે છે. આવી પરિસ્થિતિ પહેલીવાર જોઈ છે ત્યારે ભગવાનનું મંદિર સૂમસામ વર્તાઈ રહ્યું છે. આ મંદિરમાં ઉદયપુર અને નજીકના જિલ્લામાં રહેતા લોકો દરેક શુભ કાર્ય કરતા પહેલા અહીં આવતા હતા. હવે કોરોનાને કારણે ફક્ત પૂજારી પરિવારના પસંદ કરેલા સભ્યો જ મંદિરમાં પૂજા કરવા આવે છે.

ઉદયપુરઃ ઉદયપુરના ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું છે, જ્યારે ભક્તોથી સતત ભરાયેલું રહેતું 500 વર્ષ જૂનું બોહરા ગણેશજી મંદિર આજે ખાલી અને નિર્જન વર્તાઈ રહ્યું છે. કારણકે લોકડાઉનને કારણે મંદિર સામાન્ય લોકો માટે બંધ કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, પુજારી પરિવારમાંથી કેટલાક પસંદ કરાયેલા લોકો જ ભગવાનની ઉપાસના કરી રહ્યા છે. હવે લાગે છે કે ભગવાન પણ તેમના ભક્તોની રાહ જોઈ રહ્યાં છે.

ભક્તો વિના સૂના ભગવાન

3 મે સુધી દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. તેથી તમામ ધાર્મિક સ્થળો પણ 3 મે સુધી સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યા છે. એટલે ધાર્મિક સ્થળોએ પણ હવે ભક્તો વિના સંપૂર્ણ ખાલી દેખાઈ રહ્યા છે. આવી જ સ્થિતિ ઉદયપુરમાં પણ જોવા મળી રહી છે.

કોરોનાને નાબૂદ કરવાની પ્રાર્થના

લેક સિટીના બોહરા ગણેશજી મંદિરમાં સામાન્ય દિવસોમાં ભક્તોની ભીડ જોવા મળતી હતી. પગ રાખવા માટે પણ કોઈ જગ્યા નહોતી રહેતી. પરંતુ કોરોના ચેપ અને લોકડાઉનને કારણે મંદિર લાંબા સમયથી સામાન્ય ભક્તો માટે બંધ છે. અહીં આવતા ભક્તોએ પણ ભગવાનથી કોરોના ચેપ નાબૂદ કરવા માટે પ્રાર્થના શરૂ કરી રહ્યાં છે.

મંદિરની માન્યતા...

ભક્તોનું કહેવું છે કે, તેઓ નાનપણથી વર્ષોથી અહીં આવે છે. આવી પરિસ્થિતિ પહેલીવાર જોઈ છે ત્યારે ભગવાનનું મંદિર સૂમસામ વર્તાઈ રહ્યું છે. આ મંદિરમાં ઉદયપુર અને નજીકના જિલ્લામાં રહેતા લોકો દરેક શુભ કાર્ય કરતા પહેલા અહીં આવતા હતા. હવે કોરોનાને કારણે ફક્ત પૂજારી પરિવારના પસંદ કરેલા સભ્યો જ મંદિરમાં પૂજા કરવા આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.