ETV Bharat / bharat

CAA વિરોધ: જામિયાના પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ ખોલ્યું ડિટેન્શન સેન્ટર

author img

By

Published : Jan 10, 2020, 1:22 PM IST

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા અને NRCના વિરોધમાં જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીમાં પ્રદર્શન થઈ રહ્યું છે. છેલ્લા 28 દિવસોથી આ વિરોધ પ્રદર્શન વચ્ચે ત્યા ડિટેન્શન સેન્ટર ખોલાયું છે. આ ઉત્તર ભારતનું પહેલુ ડિટેન્શન સેન્ટર છે.

detention center opened in jamia university
જામિયાના પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ ખોલ્યું ડિટેશન સેન્ટર

જામિયા મિલ્લિયા ઈસ્લામિયા યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. આ પ્રદર્શન વચ્ચે ત્યા એક ડિટેન્શન સેન્ટર ખોલવામાં આવ્યું છે.

શા માટે ખોલવામાં આવ્યું છે ડિટેન્શન સેન્ટર?

જામિયા યુનિવર્સિટીમાં ખોલાયેલુ આ ડિટેન્શન સેન્ટર સરકાર દ્વારા ખોલાયું નથી. આ ડિટેન્શન સેન્ટર વિદ્યાર્થીઓએ ખોલ્યુ છે. જેને તેઓ હિરાસત કેન્દ્ર પણ કહી રહ્યા છે. આ કેન્દ્રમાં કેદ થઈને પ્રદર્શનકારીઓ CAA અને NRCનો વિરોધ કરે છે.

નાગરિકતા સંશોધન કાયદો નાબૂદ કરવા માગ

ડિટેન્શન સેન્ટરમાં રહેલા PHDના વિદ્યાર્થીએ કહ્યું કે, આ કાયદો સંવિધાન વિરોધી છે. વડા પ્રધાન મોદી અને અમિત શાહ દેશને તોડવાનું કામ કરી રહ્યા છે. કંઈપણ થઈ જાય અમે આ ડિટેન્શન સેન્ટરમાં રહીને વિરોધ કરતા રહેશુ. જામિયા અને શાહિન બાગમાં 15 ડિસેમ્બર, 2019થી સતત વિરોધ થઈ રહ્યો છે.

ઉત્તર ભારતનું પહેલું ડિટેશન સેન્ટર

આ ડિટેન્શન સેન્ટર વિદ્યાર્થીઓએ ભલે વિરોધ પ્રદર્શન કરવા બનાવ્યું છે, પરંતું આ ડિટેન્શન સેન્ટરને ઉત્તર ભારતનું પહેલું ડિટેન્શન સેન્ટર માનવામાં આવે છે. કેમ કે આ પહેલા સરકારે આસામમાં ઘણા ડિટેન્શન સેન્ટર ખોલ્યા છે. જો કે, વડા પ્રધાને પોતાના ભાષણમાં કહ્યું હતું કે, દેશમાં એક પણ ડિટેન્શન સેન્ટર નથી.

જામિયા મિલ્લિયા ઈસ્લામિયા યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. આ પ્રદર્શન વચ્ચે ત્યા એક ડિટેન્શન સેન્ટર ખોલવામાં આવ્યું છે.

શા માટે ખોલવામાં આવ્યું છે ડિટેન્શન સેન્ટર?

જામિયા યુનિવર્સિટીમાં ખોલાયેલુ આ ડિટેન્શન સેન્ટર સરકાર દ્વારા ખોલાયું નથી. આ ડિટેન્શન સેન્ટર વિદ્યાર્થીઓએ ખોલ્યુ છે. જેને તેઓ હિરાસત કેન્દ્ર પણ કહી રહ્યા છે. આ કેન્દ્રમાં કેદ થઈને પ્રદર્શનકારીઓ CAA અને NRCનો વિરોધ કરે છે.

નાગરિકતા સંશોધન કાયદો નાબૂદ કરવા માગ

ડિટેન્શન સેન્ટરમાં રહેલા PHDના વિદ્યાર્થીએ કહ્યું કે, આ કાયદો સંવિધાન વિરોધી છે. વડા પ્રધાન મોદી અને અમિત શાહ દેશને તોડવાનું કામ કરી રહ્યા છે. કંઈપણ થઈ જાય અમે આ ડિટેન્શન સેન્ટરમાં રહીને વિરોધ કરતા રહેશુ. જામિયા અને શાહિન બાગમાં 15 ડિસેમ્બર, 2019થી સતત વિરોધ થઈ રહ્યો છે.

ઉત્તર ભારતનું પહેલું ડિટેશન સેન્ટર

આ ડિટેન્શન સેન્ટર વિદ્યાર્થીઓએ ભલે વિરોધ પ્રદર્શન કરવા બનાવ્યું છે, પરંતું આ ડિટેન્શન સેન્ટરને ઉત્તર ભારતનું પહેલું ડિટેન્શન સેન્ટર માનવામાં આવે છે. કેમ કે આ પહેલા સરકારે આસામમાં ઘણા ડિટેન્શન સેન્ટર ખોલ્યા છે. જો કે, વડા પ્રધાને પોતાના ભાષણમાં કહ્યું હતું કે, દેશમાં એક પણ ડિટેન્શન સેન્ટર નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.