ETV Bharat / bharat

દિલ્હીના રમખાણો સંબંધિત 3 કેસમાં આજે ચાર્જશીટ દાખલ કરાશે

author img

By

Published : Jun 9, 2020, 3:43 PM IST

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચ ઉત્તર પૂર્વ દિલ્હીમાં થયેલા રમખાણોને લઈને સતત ચાર્જશીટ દાખલ કરી રહી છે. ત્રણ મામલે ચાર્જશીટ દાખલ કરવામાં આવી રહી છે. તેમાંથી પહેલો કેસ મૌજપુર ચોક ખાતે તોફાનો થયા હતા. બીજો કેસ કર્દમપુરી પુલિયામાં હત્યાનો હતો અને ત્રીજો કેસ કર્દમપુરી પુલિયા પાસેની સરકારી દવાખાના પાસે હત્યાનો હતો.

દિલ્હી: રમખાણો સંબંધિત ત્રણ કેસમાં આજે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે
દિલ્હી: રમખાણો સંબંધિત ત્રણ કેસમાં આજે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે

નવી દિલ્હી: ક્રાઈમ બ્રાંચ દ્વારા આજે મંગળવારે દાખલ કરવામાં આવેલી પ્રથમ ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે, 24 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે, મૌજપુર ચોક ખાતે બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ જૂથમાંથી એક સીએએના સમર્થનમાં હતો. જ્યારે બીજો વિરોધમાં હતો. બંને બાજુથી પથ્થરમારો થયો હતો અને ગોળીઓ ચલાવવામાં આવી હતી. જેમાં પોલીસકર્મીઓ સહિત ઘણા લોકો ઘાયલ થયા હતા. આ ઘટનામાં વિનોદ નામનો યુવાન ઘાયલ થયો હતો, જેનું બાદમાં મોત નીપજ્યું હતું. આ કેસમાં શાહરૂખ પઠાણ સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આમાં સામેલ અન્ય લોકોની ઓળખ હજુ કરવામાં આવી રહી છે.

દિલ્હી: રમખાણો સંબંધિત ત્રણ કેસમાં આજે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે
દિલ્હી: રમખાણો સંબંધિત ત્રણ કેસમાં આજે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે
બીજા કિસ્સામાં, 24 ફેબ્રુઆરીના રોજ સાંજે 4:30 વાગ્યે કર્દમપુરી પુલિયા નજીક રમખાણો થયા હતા. આ પુલ નજીક મોહમ્મદ ફુરકાન હાજર હતો. જ્યાં લોકો પથ્થરમારો કરી રહ્યા હતા. આ સ્થળે મોહમ્મદ ફુરકાન અને અન્ય ચાર લોકોને ગોળી વાગી હતી. આ ઘટનામાં ફુરકાન માર્યો ગયો. પથ્થરમારો દરમિયાન 17 પોલીસ જવાન ઘાયલ પણ થયા હતા. અહીંના સીસીટીવીને 23 અને 24 ફેબ્રુઆરીના રોજ નુકશાન કરવામાં આવ્યું હતું. હત્યા અને રમખાણોના કેસમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.ત્રીજો કેસ સરકારી દવાખાના પાસે રિક્ષા ચાલક દીપકની હત્યાનો છે. 25 ફેબ્રુઆરીએ બપોરે 1:30 વાગ્યે, આંબેડકર કોલેજ પાછળની સરકારી દવાખાના પાસે ફરી એકવાર રમખાણો થયા હતા. અહીં આરોપીઓએ પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોને આગ ચાંપી દીધી હતી. તે જ સમયે, 32 વર્ષીય દિપકને માર મારી હત્યા કરવામાં આવી હતી. તે બેટરી રિક્ષા ચલાવતો હતો. હત્યાના આ કેસમાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ચાર્જશીટમાં ક્રાઈમ બ્રાંચ તરફથી કહેવામાં આવ્યું છે કે, આ રમખાણો કાવતરું હેઠળ કરવામાં આવ્યા હતા.

નવી દિલ્હી: ક્રાઈમ બ્રાંચ દ્વારા આજે મંગળવારે દાખલ કરવામાં આવેલી પ્રથમ ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે, 24 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે, મૌજપુર ચોક ખાતે બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ જૂથમાંથી એક સીએએના સમર્થનમાં હતો. જ્યારે બીજો વિરોધમાં હતો. બંને બાજુથી પથ્થરમારો થયો હતો અને ગોળીઓ ચલાવવામાં આવી હતી. જેમાં પોલીસકર્મીઓ સહિત ઘણા લોકો ઘાયલ થયા હતા. આ ઘટનામાં વિનોદ નામનો યુવાન ઘાયલ થયો હતો, જેનું બાદમાં મોત નીપજ્યું હતું. આ કેસમાં શાહરૂખ પઠાણ સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આમાં સામેલ અન્ય લોકોની ઓળખ હજુ કરવામાં આવી રહી છે.

દિલ્હી: રમખાણો સંબંધિત ત્રણ કેસમાં આજે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે
દિલ્હી: રમખાણો સંબંધિત ત્રણ કેસમાં આજે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે
બીજા કિસ્સામાં, 24 ફેબ્રુઆરીના રોજ સાંજે 4:30 વાગ્યે કર્દમપુરી પુલિયા નજીક રમખાણો થયા હતા. આ પુલ નજીક મોહમ્મદ ફુરકાન હાજર હતો. જ્યાં લોકો પથ્થરમારો કરી રહ્યા હતા. આ સ્થળે મોહમ્મદ ફુરકાન અને અન્ય ચાર લોકોને ગોળી વાગી હતી. આ ઘટનામાં ફુરકાન માર્યો ગયો. પથ્થરમારો દરમિયાન 17 પોલીસ જવાન ઘાયલ પણ થયા હતા. અહીંના સીસીટીવીને 23 અને 24 ફેબ્રુઆરીના રોજ નુકશાન કરવામાં આવ્યું હતું. હત્યા અને રમખાણોના કેસમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.ત્રીજો કેસ સરકારી દવાખાના પાસે રિક્ષા ચાલક દીપકની હત્યાનો છે. 25 ફેબ્રુઆરીએ બપોરે 1:30 વાગ્યે, આંબેડકર કોલેજ પાછળની સરકારી દવાખાના પાસે ફરી એકવાર રમખાણો થયા હતા. અહીં આરોપીઓએ પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોને આગ ચાંપી દીધી હતી. તે જ સમયે, 32 વર્ષીય દિપકને માર મારી હત્યા કરવામાં આવી હતી. તે બેટરી રિક્ષા ચલાવતો હતો. હત્યાના આ કેસમાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ચાર્જશીટમાં ક્રાઈમ બ્રાંચ તરફથી કહેવામાં આવ્યું છે કે, આ રમખાણો કાવતરું હેઠળ કરવામાં આવ્યા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.