આઈએમડી ગોવાના અધિકારી રાહુલ એમ એ જણાવ્યુ હતું કે, આવનારા પાંચ દિવસોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જેથી 24 કલાક સુધી માછીમારોને માછીમારી નહીં કરવાની સલાહ અપાઈ છે.
હવામાન વિભાગ અનુસાર આ ચક્રવાત ઓમાન તરફ આગળ વધી રહ્યુ છે. જેથી તે નબળુ પડ્યુ છે.
તોફાનના કારણે ભારતીય તટરક્ષક દળે પૂરતી તૈયારી કરી છે. આ ઉપરાંત કેટલાક જિલ્લાઓમાં NDRFની ટીમને પણ તૈનાત કરાઈ છે. ઉલ્લેખનિય છે કે, ક્યાર વાવાઝોડાના પગલે દક્ષિણ ભારતના કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.