ETV Bharat / bharat

તેલંગણામાં 7 મે સુધી લોકડાઉનની જાહેરાત, સરકારની અપીલ- રમઝાનની નમાજ ઘરમાં જ પઢો - ગૃહ પ્રધાન મહમૂદ અલી

તેલંગાણાના ગૃહપ્રધાન મહમૂદ અલીએ લોકોને ઘરમાં જ રહીને રમઝાનની નમાઝ પઢવાની અપીલ કરી છે. 24-25 એપ્રિલથી રમઝાનનો મહિનો શરૂ થઈ રહ્યો છે. ત્યારે તેલંગણામાં વધતા કોરોના વાઇરસના કેસને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન કે.ચંદ્રશેખરે મહત્વનો નિર્ણય લીધો છે. તેમણે રાજ્યમાં 7 મે સુધી લોકડાઉનનો સમય વધારવાની જાહેરાત કરી હતી.

તેલંગાણામાં રમઝાનના સમયે ઘરોમાં જ નમાજ વાંચે લોકો: ગૃહ પ્રધાન મહમૂદ અલી
તેલંગાણામાં રમઝાનના સમયે ઘરોમાં જ નમાજ વાંચે લોકો: ગૃહ પ્રધાન મહમૂદ અલી
author img

By

Published : Apr 19, 2020, 8:49 PM IST

Updated : Apr 19, 2020, 10:21 PM IST

તેલંગણા: રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવે મહત્વનો નિર્ણય કરતા જણાવ્યું કે, રાજ્યમાં 7 મે સુધી લોકડાઉન વધી શકે છે. જોકે કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ નિર્ણયને સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.

મુખ્યપ્રધાને કોવિડ-19ના ફેલાવાને રોકવા માટે, ખાદ્યવસ્તુઓ અને પાર્સલની ઓનલાઇન તથા ડોર ટુ ડોર ડિલીવરી પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. સૂચિત માર્ગદર્શિકા મુજબ મકાનમાલિક પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને તેમના ભાડૂઆતો પાસેથી ત્રણ મહિનાનું ભાડૂ નહીં માગે.

તેલંગણા: રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવે મહત્વનો નિર્ણય કરતા જણાવ્યું કે, રાજ્યમાં 7 મે સુધી લોકડાઉન વધી શકે છે. જોકે કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ નિર્ણયને સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.

મુખ્યપ્રધાને કોવિડ-19ના ફેલાવાને રોકવા માટે, ખાદ્યવસ્તુઓ અને પાર્સલની ઓનલાઇન તથા ડોર ટુ ડોર ડિલીવરી પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. સૂચિત માર્ગદર્શિકા મુજબ મકાનમાલિક પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને તેમના ભાડૂઆતો પાસેથી ત્રણ મહિનાનું ભાડૂ નહીં માગે.

Last Updated : Apr 19, 2020, 10:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.