ETV Bharat / bharat

ઈન્ડિયા કોરોના અપડેટઃ દેશમાં કુલ કેસ 30 લાખને પાર, જ્યારે કુલ 22,80,566 લોકો થયા સ્વસ્થ

author img

By

Published : Aug 24, 2020, 12:48 AM IST

દેશમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે, ત્યારે રવિવારના રોજ કોરોનાના કેસનો આંકડો 30 લાખને પાર કર્યો છે. જ્યારે 16 દિવસ પહેલા આ આકડો 20 લાખની પાર પહોચ્યો હતો. જો કે દેશમાં કોરોનાને કારણે મૃત્યુ થનાર લોકોનો મૃત્યુદર ઘટીને 1.86 ટકા રહ્યો છે.

ઈન્ડિયા કોરોના અપડેટઃ દેશમાં કુલ કેસ 30 લાખને પાર, જ્યારે કુલ 22,80,566 લોકો થયા સ્વસ્થ
ઈન્ડિયા કોરોના અપડેટઃ દેશમાં કુલ કેસ 30 લાખને પાર, જ્યારે કુલ 22,80,566 લોકો થયા સ્વસ્થ

હૈદરાબાદઃ ભારતમાં કોરોના વાઇરસના કેસ 30 લાખના આંકડાને પાર કર્યો છે. જ્યારે દેશમાં અત્યાર સુધી 22,80,566 લોકો સ્વસ્થ થયા છે. જો કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસના નવા 69,239 કેસ નોંધાયા છે. જ્યારે 912 લોકોના મોત થયા છે. હાલ દેશમાં કોરોનાથી સંક્રમીત 7,07,668 લોકોને સારવાર અપાઇ રહી છે.

  • દિલ્હી

દેશની રાજધાનીમાં છેલ્લા 24 કલાકમાં 1450 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 1250 લોકો સ્વસ્થ થયા છે અને 16 લોકોના મોત થયા છે.

  • મધ્ય પ્રદેશ

મધ્ય પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 1263 નવા કેસ નોંધાયા છે, જ્યારે 23 લોકોના મોત થયા છે. જ્યારે રવિવારના રોજ રાજ્યમાં 991 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે રાજ્યનો કુલ આંકડો 40,390 પર પહોચ્યો છે.

  • મણીપુર

મણીપુરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 114 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના 1608 એક્ટિવ કેસ છે અને 3616 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. જ્યારે 22 લોકોના મોત થયા છે.

ઈન્ડિયા કોરોના અપડેટ
ઈન્ડિયા કોરોના અપડેટ
  • કેરલા

કેરલામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1908 નવા કેસ નોંધાયા છે, જ્યારે 1110 લોકો સ્વસ્થ થયા છે અને રાજ્યમાં સ્વસ્થ થનાર લોકોનો આંકડો 37649 પર પહોચ્યો છે.

  • કર્ણાટક

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 5938 કેસ નોંધાયા છે. જ્યારે 4996 લોકો સ્વસ્થ થયા છે. જો કે 68 લોકોના મોત પણ થયા છે. રાજ્યમાં કુલ કેસોની વાત કરવામાં આવે તો કુલ સંક્રમિત કેસની સંખ્યા 2,77,814 પર પહોચી છે. જ્યારે 1,89,564 લોકો સ્વસ્થ થયા છે અને 4683 લોકોના મોત થયા છે.

  • પંજાબ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1136 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કુલ સંક્રમિત કેસોની વાત કરવામાં આવે તો 41,779 પર આંકડો પહોચ્યો છે. જેમાં 14,165 એક્ટિવ કેસ છે. જ્યારે 26,528 લોકો સ્વસ્થ થયા છે અને 1086 લોકોના મોત થયા છે.

હૈદરાબાદઃ ભારતમાં કોરોના વાઇરસના કેસ 30 લાખના આંકડાને પાર કર્યો છે. જ્યારે દેશમાં અત્યાર સુધી 22,80,566 લોકો સ્વસ્થ થયા છે. જો કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસના નવા 69,239 કેસ નોંધાયા છે. જ્યારે 912 લોકોના મોત થયા છે. હાલ દેશમાં કોરોનાથી સંક્રમીત 7,07,668 લોકોને સારવાર અપાઇ રહી છે.

  • દિલ્હી

દેશની રાજધાનીમાં છેલ્લા 24 કલાકમાં 1450 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 1250 લોકો સ્વસ્થ થયા છે અને 16 લોકોના મોત થયા છે.

  • મધ્ય પ્રદેશ

મધ્ય પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 1263 નવા કેસ નોંધાયા છે, જ્યારે 23 લોકોના મોત થયા છે. જ્યારે રવિવારના રોજ રાજ્યમાં 991 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે રાજ્યનો કુલ આંકડો 40,390 પર પહોચ્યો છે.

  • મણીપુર

મણીપુરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 114 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના 1608 એક્ટિવ કેસ છે અને 3616 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. જ્યારે 22 લોકોના મોત થયા છે.

ઈન્ડિયા કોરોના અપડેટ
ઈન્ડિયા કોરોના અપડેટ
  • કેરલા

કેરલામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1908 નવા કેસ નોંધાયા છે, જ્યારે 1110 લોકો સ્વસ્થ થયા છે અને રાજ્યમાં સ્વસ્થ થનાર લોકોનો આંકડો 37649 પર પહોચ્યો છે.

  • કર્ણાટક

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 5938 કેસ નોંધાયા છે. જ્યારે 4996 લોકો સ્વસ્થ થયા છે. જો કે 68 લોકોના મોત પણ થયા છે. રાજ્યમાં કુલ કેસોની વાત કરવામાં આવે તો કુલ સંક્રમિત કેસની સંખ્યા 2,77,814 પર પહોચી છે. જ્યારે 1,89,564 લોકો સ્વસ્થ થયા છે અને 4683 લોકોના મોત થયા છે.

  • પંજાબ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1136 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કુલ સંક્રમિત કેસોની વાત કરવામાં આવે તો 41,779 પર આંકડો પહોચ્યો છે. જેમાં 14,165 એક્ટિવ કેસ છે. જ્યારે 26,528 લોકો સ્વસ્થ થયા છે અને 1086 લોકોના મોત થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.