ETV Bharat / bharat

ઈન્ડિચા કોરોના અપડેટઃ કુલ એક્ટિવ કેસ 6 લાખ 61 હજારથી વધુ, કુલ મૃત્યુઆંક 48,040

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ડોકટરો, નર્સો અને અન્ય આરોગ્ય કર્મચારીઓના યોગદાનની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, તેઓ સતત રોગચાળા સામે લડી રહ્યાં છે અને દેશ તેમનો ઋણી છે. રાષ્ટ્રપતિએ સંબોધનમાં કહ્યું કે, "તમામ કોરોના લડવૈયાઓ ઉચ્ચ પ્રશંસાને પાત્ર છે."

author img

By

Published : Aug 14, 2020, 10:34 PM IST

COVID-19 news from across the nation
ઈન્ડિચા કોરોના અપડેટ

હૈદરાબાદઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ડોકટરો, નર્સો અને અન્ય આરોગ્ય કર્મચારીઓના યોગદાનની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, તેઓ સતત રોગચાળા સામે લડી રહ્યાં છે અને દેશ તેમનો ઋણી છે. રાષ્ટ્રપતિએ સંબોધનમાં કહ્યું કે, "તમામ કોરોના લડવૈયાઓ ઉચ્ચ પ્રશંસાને પાત્ર છે." દેશભરમાં અત્યારે કોરોના વાઈરસના 6 લાખ 61 હજારથી વધુ એક્ટિવ કેસ છે, જ્યારે 48,040 લોકોના મોત નીપજ્યાં છે. કોરોના કેસનો કુલ આંકડો 24.5 લાખને પાર કરી ગયો છે.

COVID-19 news from across the nation
ઈન્ડિચા કોરોના અપડેટ

દિલ્હી

  • છેલ્લા 24 કલાકમાં 1192 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. કુલ આંકડો 1 લાખ 50 હજાર પર પહોંચ્યો છે.
  • છેલ્લા 24 કલાકમાં 11 મોત નીપજ્યાં છે. કુલ મૃત્યુદર 4178 પર પહોંચ્યો છે.
  • 790 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
  • કોવિડ કેર સેન્ટર અને કોવિડ હોસ્પિટલમાં 16,500 બેડ ખાલી છે.

બિહાર

  • શુક્રવારે JDUના પૂર્વ એમએલસી રવિન્દ્ર તાંતીનું પટveમાં કોરોના વાઈરસથી નિધન થયું હતું. છેલ્લા 10 દિવસથી તેમને પટનાના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પૂર્વ બ્યૂરોક્રેટ સહિત 10 વધુ કોરોના દર્દીઓનું મોત નીપજ્યું હતું. રાજ્યમાં મૃત્યુઆંક 484 પર પહોંચી ગયો છે.

ઝારખંડ

  • કોરોના વાઈરસના ફેલાવા અંગે વધી રહેલી ચિંતા વચ્ચે રાજ્ય વહીવટીતંત્રે એક ખાસ ઝુંબેશ શરૂ કરી હતી, જે મુજબ માસ્ક પહેર્યા વિના જાહેર સ્થળોએ દેખાતા લોકોને રૂ.500નો દંડ ફટકારવામાં આવશે. પરિવહન સચિવે આ પગલાના સાપ્તાહિક અહેવાલ માંગ્યા છે.
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 20,950 પોઝિટિવ કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 209 પર પહોંચ્યો છે.

રાજસ્થાન

  • કોરોના મહામારીએ વિશ્વને સ્થિર કરી દીધું છે. એક તરફ વૈજ્ઞાનિકો અને સંશોધનકારો ચોવીસ કલાક વેક્સિન માટે કામ કરી રહ્યાં છે, તો બીજી તરફ જીવલેણ વાઈરસ સામે લડવા માટે રાજકારણીઓ અને નેતાઓ સહિત ઘણા લોકો દ્વારા અસામાન્ય અને વિચિત્ર ઉપાય સૂચવવામાં આવ્યા છે.
  • તાજેતરની ઘટનામાં રાજસ્થાનના ભાજપના સાંસદ સુખબીરસિંહ જૌનાપુરિયાએ દાવો કર્યો છે કે કાદવનો ઉપયોગ કરવાથી અને શંખ ફૂંકવાથી કોરોના વાઈરસ સામે લડવામાં મદદ મળી શકે છે.
  • દરમિયાન શુક્રવારે બાડમેર જિલ્લાના બાલતોરા શહેરમાં 10 જેટલા પોલીસ કોન્સ્ટેબલ કોરોના પોઝિટિવ આવ્યા હતા.

ઓડિશા

  • કોવિડ-19ના વધતા કેસોને કારણે ઓડિશા સરકાર નિર્ધારિત માર્ગદર્શિકાના પાલન ન કરવા બદલ દંડ વધારવા માટે રોગચાળાના કાયદામાં સુધારો કરવા માટે વટહુકમ લાવવાની યોજના બનાવી છે.
  • મુખ્ય સચિવ અસિત ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, રોગચાળાના રોગ અધિનિયમ, 1897ની કલમ-3 માં જેલની સજા વધારવા માટે સુધારો કરવામાં આવશે જેની મુદત બે વર્ષ અથવા દંડ હોઈ શકે છે જે રૂ.1 લાખ સુધી હોઈ શકે છે.
  • વિધાનસભા અધિવેશનમાં ન હોવાથી કાયદામાં સુધારા વટહુકમ માર્ગ દ્વારા કરવામાં આવશે તેમ મુખ્ય સચિવે જણાવ્યું હતું.
  • રાજ્યમાં કુલ 54,630 કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુઆંક 324 પર પહોંચ્યો છે.

ઉત્તરાખંડ

  • કુલ 11,615 કોવિડ-19ના કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુઆંક 147 પર પહોંચ્યો છે.
  • કુલ 7544 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
  • 3924 દર્દીઓ સારવાર હેઠળ છે.

હૈદરાબાદઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ડોકટરો, નર્સો અને અન્ય આરોગ્ય કર્મચારીઓના યોગદાનની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, તેઓ સતત રોગચાળા સામે લડી રહ્યાં છે અને દેશ તેમનો ઋણી છે. રાષ્ટ્રપતિએ સંબોધનમાં કહ્યું કે, "તમામ કોરોના લડવૈયાઓ ઉચ્ચ પ્રશંસાને પાત્ર છે." દેશભરમાં અત્યારે કોરોના વાઈરસના 6 લાખ 61 હજારથી વધુ એક્ટિવ કેસ છે, જ્યારે 48,040 લોકોના મોત નીપજ્યાં છે. કોરોના કેસનો કુલ આંકડો 24.5 લાખને પાર કરી ગયો છે.

COVID-19 news from across the nation
ઈન્ડિચા કોરોના અપડેટ

દિલ્હી

  • છેલ્લા 24 કલાકમાં 1192 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. કુલ આંકડો 1 લાખ 50 હજાર પર પહોંચ્યો છે.
  • છેલ્લા 24 કલાકમાં 11 મોત નીપજ્યાં છે. કુલ મૃત્યુદર 4178 પર પહોંચ્યો છે.
  • 790 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
  • કોવિડ કેર સેન્ટર અને કોવિડ હોસ્પિટલમાં 16,500 બેડ ખાલી છે.

બિહાર

  • શુક્રવારે JDUના પૂર્વ એમએલસી રવિન્દ્ર તાંતીનું પટveમાં કોરોના વાઈરસથી નિધન થયું હતું. છેલ્લા 10 દિવસથી તેમને પટનાના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પૂર્વ બ્યૂરોક્રેટ સહિત 10 વધુ કોરોના દર્દીઓનું મોત નીપજ્યું હતું. રાજ્યમાં મૃત્યુઆંક 484 પર પહોંચી ગયો છે.

ઝારખંડ

  • કોરોના વાઈરસના ફેલાવા અંગે વધી રહેલી ચિંતા વચ્ચે રાજ્ય વહીવટીતંત્રે એક ખાસ ઝુંબેશ શરૂ કરી હતી, જે મુજબ માસ્ક પહેર્યા વિના જાહેર સ્થળોએ દેખાતા લોકોને રૂ.500નો દંડ ફટકારવામાં આવશે. પરિવહન સચિવે આ પગલાના સાપ્તાહિક અહેવાલ માંગ્યા છે.
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 20,950 પોઝિટિવ કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 209 પર પહોંચ્યો છે.

રાજસ્થાન

  • કોરોના મહામારીએ વિશ્વને સ્થિર કરી દીધું છે. એક તરફ વૈજ્ઞાનિકો અને સંશોધનકારો ચોવીસ કલાક વેક્સિન માટે કામ કરી રહ્યાં છે, તો બીજી તરફ જીવલેણ વાઈરસ સામે લડવા માટે રાજકારણીઓ અને નેતાઓ સહિત ઘણા લોકો દ્વારા અસામાન્ય અને વિચિત્ર ઉપાય સૂચવવામાં આવ્યા છે.
  • તાજેતરની ઘટનામાં રાજસ્થાનના ભાજપના સાંસદ સુખબીરસિંહ જૌનાપુરિયાએ દાવો કર્યો છે કે કાદવનો ઉપયોગ કરવાથી અને શંખ ફૂંકવાથી કોરોના વાઈરસ સામે લડવામાં મદદ મળી શકે છે.
  • દરમિયાન શુક્રવારે બાડમેર જિલ્લાના બાલતોરા શહેરમાં 10 જેટલા પોલીસ કોન્સ્ટેબલ કોરોના પોઝિટિવ આવ્યા હતા.

ઓડિશા

  • કોવિડ-19ના વધતા કેસોને કારણે ઓડિશા સરકાર નિર્ધારિત માર્ગદર્શિકાના પાલન ન કરવા બદલ દંડ વધારવા માટે રોગચાળાના કાયદામાં સુધારો કરવા માટે વટહુકમ લાવવાની યોજના બનાવી છે.
  • મુખ્ય સચિવ અસિત ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, રોગચાળાના રોગ અધિનિયમ, 1897ની કલમ-3 માં જેલની સજા વધારવા માટે સુધારો કરવામાં આવશે જેની મુદત બે વર્ષ અથવા દંડ હોઈ શકે છે જે રૂ.1 લાખ સુધી હોઈ શકે છે.
  • વિધાનસભા અધિવેશનમાં ન હોવાથી કાયદામાં સુધારા વટહુકમ માર્ગ દ્વારા કરવામાં આવશે તેમ મુખ્ય સચિવે જણાવ્યું હતું.
  • રાજ્યમાં કુલ 54,630 કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુઆંક 324 પર પહોંચ્યો છે.

ઉત્તરાખંડ

  • કુલ 11,615 કોવિડ-19ના કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુઆંક 147 પર પહોંચ્યો છે.
  • કુલ 7544 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
  • 3924 દર્દીઓ સારવાર હેઠળ છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.