ETV Bharat / bharat

ઈન્ડિયા કોરોના અપડેટઃ દેશભરમાં કેસનો કુલ આંકડો 19 લાખને પાર, કુલ મૃત્યુઆંક 39,795

author img

By

Published : Aug 5, 2020, 10:41 PM IST

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશભરમાં કોવિડ-19 કેસનો કુલ આંકડો 19 લાખને પાર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 52 હજારથી વધુ લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે 12 લાખથી વધુ લોકો રિકવર થયાં છે.

COVID-19 news from across the nation
ઈન્ડિયા કોરોના અપડેટ

હૈદરાબાદઃ આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશભરમાં કોવિડ-19 કેસનો કુલ આંકડો 19 લાખને પાર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 52 હજારથી વધુ લોકોનો ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે 12 લાખથી વધુ લોકો રિકવર થયાં છે.

COVID-19 news from across the nation
ઈન્ડિયા કોરોના અપડેટ

નવી દિલ્હી

  • દિલ્હી ગવર્નરે 1 ઓગસ્ટથી હોટલ અને સાપ્તાહિક બજારોની કામગીરીની મંજૂરી આપવાના રાજ્ય સરકારના નિર્ણયને પલટાવ્યો હતો. જેમાં શેરી વિક્રેતાઓને 1 ઓગસ્ટથી લાંબા સમય સુધી કાર્યરત રહેવાની મંજૂરી આપવાના પ્રસ્તાવને અનલોક-3 હેઠળ મંજૂરી આપવામાં આવી હતી.
  • ઈઝરાઈલમાં વિકસીત થયેલી રેપિડ ટેસ્ટ કીટ મંગળવારે દિલ્હી પહોંચી હતી.
  • શહેરની 6 જગ્યાએ લગભગ 20 હજાર લોકોનો ટેસ્ટ કરવામાં આવશે.
  • જેમાં ડીઆરડીઓ સંચાલિત સુવિધા ઉપરાંત લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજ, રામ મનોહર લોહિયા (આરએમએલ), લોક નાયક, સર ગંગા રામ અને આકાશ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોનો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્ર

  • મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસોમાં સ્થિરતા આવી છે.
  • રાજ્ય સરકારે 'મિશન બિગીન અગેઈન' (Mission Begin Again) હેઠળ પ્રતિબંધ મર્યાદિત કરવા માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.
  • રાજ્યના 10 હજાર પોલીસકર્મીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા.
  • કોવિડ-19થી 107 પોલીસકર્મીઓના મોત થયા છે.

મધ્ય પ્રદેશ

  • મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણને આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
  • મુખ્યપ્રધાન કોરોનાથી સંક્રમિત થયા હતા. તેઓ 11 દિવસ સુધી હોસ્પિટલમાં હતા.
  • ડૉક્ટરે મુખ્યપ્રધાનને હોમ ક્વૉરન્ટીન રહેવા કહ્યું છે.

તેલંગણા

  • મંગળવારે તેલંગણામાં 2012 નવા કોવિડ-19 કેસ નોંધાયા હતા, 13ના મોત થયા હતા.
  • રાજ્યના હેલ્થ બુલેટિન પ્રમાણે, રાજ્યામાં કોરોના કેસને આંકડો અત્યારે 70,958 પર છે.
  • રાજ્યમાં કોવિડ-19ના કારણે કુલ 576 લોકોના મોત થયા છે.

ઉત્તરાખંડ

  • ઉત્તરાખંડમાં અલમોરા જેલ પ્રશાસને મુખ્ય જેલના કેદીઓને કોવિડ -19 દ્વારા ચેપ ન આવે તે ધ્યાને રાખીને, નવા કેદીઓ માટે જિલ્લાના આકાશવાણી કેન્દ્રના સ્ટાફ ક્વાર્ટર્સ ખાતે હંગામી જેલની સ્થાપના કરી છે.

ઓડિશા

  • મુખ્યપ્રધાન નવીન પટનાયકે એમ.સી.સી.જી. મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (MCH) બરહામપુર અને વિમસર એમસીએચ બુર્લા ખાતે બે પ્લાઝ્મા બેંકોનું કોવિડ -19 સારવાર માટે ઉદ્ઘાટન કર્યું હતું.

જમ્મુ-કાશ્મીર

  • ITBP અને BSFના DG એસ.એસ.દેસવાલે જણાવ્યું હતું કે,"જમ્મુ અને કાશ્મીર યુવકો માટે બીએસએફ અને સીઆઈએસએફની 1,356 જગ્યાઓની ભરતી પ્રક્રિયા 2019માં શરૂ થઈ હતી. જો કે, કોવિડ -19 મહામારીને કારણે, લેખિત પરીક્ષા લેવામાં આવી નથી. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં રોગચાળાની સ્થિતિ સામાન્ય થશે ત્યારે આ પરીક્ષા લેવામાં આવશે."

હૈદરાબાદઃ આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશભરમાં કોવિડ-19 કેસનો કુલ આંકડો 19 લાખને પાર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 52 હજારથી વધુ લોકોનો ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે 12 લાખથી વધુ લોકો રિકવર થયાં છે.

COVID-19 news from across the nation
ઈન્ડિયા કોરોના અપડેટ

નવી દિલ્હી

  • દિલ્હી ગવર્નરે 1 ઓગસ્ટથી હોટલ અને સાપ્તાહિક બજારોની કામગીરીની મંજૂરી આપવાના રાજ્ય સરકારના નિર્ણયને પલટાવ્યો હતો. જેમાં શેરી વિક્રેતાઓને 1 ઓગસ્ટથી લાંબા સમય સુધી કાર્યરત રહેવાની મંજૂરી આપવાના પ્રસ્તાવને અનલોક-3 હેઠળ મંજૂરી આપવામાં આવી હતી.
  • ઈઝરાઈલમાં વિકસીત થયેલી રેપિડ ટેસ્ટ કીટ મંગળવારે દિલ્હી પહોંચી હતી.
  • શહેરની 6 જગ્યાએ લગભગ 20 હજાર લોકોનો ટેસ્ટ કરવામાં આવશે.
  • જેમાં ડીઆરડીઓ સંચાલિત સુવિધા ઉપરાંત લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજ, રામ મનોહર લોહિયા (આરએમએલ), લોક નાયક, સર ગંગા રામ અને આકાશ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોનો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્ર

  • મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસોમાં સ્થિરતા આવી છે.
  • રાજ્ય સરકારે 'મિશન બિગીન અગેઈન' (Mission Begin Again) હેઠળ પ્રતિબંધ મર્યાદિત કરવા માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.
  • રાજ્યના 10 હજાર પોલીસકર્મીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા.
  • કોવિડ-19થી 107 પોલીસકર્મીઓના મોત થયા છે.

મધ્ય પ્રદેશ

  • મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણને આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
  • મુખ્યપ્રધાન કોરોનાથી સંક્રમિત થયા હતા. તેઓ 11 દિવસ સુધી હોસ્પિટલમાં હતા.
  • ડૉક્ટરે મુખ્યપ્રધાનને હોમ ક્વૉરન્ટીન રહેવા કહ્યું છે.

તેલંગણા

  • મંગળવારે તેલંગણામાં 2012 નવા કોવિડ-19 કેસ નોંધાયા હતા, 13ના મોત થયા હતા.
  • રાજ્યના હેલ્થ બુલેટિન પ્રમાણે, રાજ્યામાં કોરોના કેસને આંકડો અત્યારે 70,958 પર છે.
  • રાજ્યમાં કોવિડ-19ના કારણે કુલ 576 લોકોના મોત થયા છે.

ઉત્તરાખંડ

  • ઉત્તરાખંડમાં અલમોરા જેલ પ્રશાસને મુખ્ય જેલના કેદીઓને કોવિડ -19 દ્વારા ચેપ ન આવે તે ધ્યાને રાખીને, નવા કેદીઓ માટે જિલ્લાના આકાશવાણી કેન્દ્રના સ્ટાફ ક્વાર્ટર્સ ખાતે હંગામી જેલની સ્થાપના કરી છે.

ઓડિશા

  • મુખ્યપ્રધાન નવીન પટનાયકે એમ.સી.સી.જી. મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (MCH) બરહામપુર અને વિમસર એમસીએચ બુર્લા ખાતે બે પ્લાઝ્મા બેંકોનું કોવિડ -19 સારવાર માટે ઉદ્ઘાટન કર્યું હતું.

જમ્મુ-કાશ્મીર

  • ITBP અને BSFના DG એસ.એસ.દેસવાલે જણાવ્યું હતું કે,"જમ્મુ અને કાશ્મીર યુવકો માટે બીએસએફ અને સીઆઈએસએફની 1,356 જગ્યાઓની ભરતી પ્રક્રિયા 2019માં શરૂ થઈ હતી. જો કે, કોવિડ -19 મહામારીને કારણે, લેખિત પરીક્ષા લેવામાં આવી નથી. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં રોગચાળાની સ્થિતિ સામાન્ય થશે ત્યારે આ પરીક્ષા લેવામાં આવશે."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.