ETV Bharat / bharat

કોરોના ભારત અપડેટ, વાંચો રાજ્યવાર અપડેટ...

દેશમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. સરકાર પરિસ્થિતિને દૂર કરવા સતત પ્રયાસ કરી રહી છે. દેશભરના રાજ્યોના કોરોના સંબંધિત મોટા સમાચાર વાંચો...

author img

By

Published : Jun 25, 2020, 11:15 PM IST

કોવિડ
કોવિડ

હૈદરાબાદ: કોવિડ -19 રોગચાળો દેશના લગભગ તમામ રાજ્યોમાં ફેલાઇ રહ્યો છે. સંક્રમિતો વધતી સંખ્યા ચિંતાનો વિષય છે. જો કે, સંક્રમિતના રિકવરીના દરથી થોડી રાહત છે. છેલ્લા 24 કલાકમાં 17,000 થી વધુ નવા કેસો અને 418 મૃત્યુ સાથે, ભારતની COVID-19 ની સંખ્યા ગુરુવારે 4,73,105 પર પહોંચી ગઈ. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય (એમએચએફડબ્લ્યુ) દ્વારા તાજેતરના અપડેટ મુજબ, દેશમાં સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 14,894 મૃત્યુ નોંધાયા છે.

ભારતમાં કોરોના કેસની કુલ સંખ્યા
ભારતમાં કોરોના કેસની કુલ સંખ્યા

ગુજરાત

રાજ્યમાં 24 કલાકમાં 572 કેસ સામે આવ્યાં છે. જ્યારે કોરોના વાયરસના કારણે છેલ્લાં 24 કલાકમાં સારવાર લઈ રહેલાં સૌથી વધુ 18 દર્દીનાં મોત થયાં છે. રાજ્યમાં કોરોના વાયરસના કુલ 29578 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયાં છે. જોકે, છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાંથી આજે 410 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.

મહારાષ્ટ્ર

રાજ્યના પ્રધાન અસલમ શેખે ગુરુવારે જણાવ્યું હતું કે, કોરોના વાઇરસ કોવિડ -19 ના વધતા જતા કેસો વચ્ચે, મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં એક અઠવાડિયામાં જિમ અને સલુન્સ ફરીથી ખોલવાનો નિર્ણય કર્યો છે. તેમણે ઉમેર્યું કે આ માટેની માર્ગદર્શિકા જારી કરવામાં આવશે.

તેમણે એમ પણ ઉમેર્યું કે ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી સરકારે રાજ્યમાં ધાર્મિક મેળાવડાને મંજૂરી આપવા અંગે કોઈ નિર્ણય લીધો નથી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 142,900 કેસો અને 6,739 મૃત્યુ નોંધાયા છે.

રાજસ્થાન

રાજ્યમાં ગુરુવારે 76 કોરોના વાઇરસના કેસ નોંધાયા છે, જેની કુલ સંખ્યા 16,085 થઇ ગઇ છે. ગુરુવારે કોઈનું મોત નીપજ્યું નથી. અત્યાર સુધીમાં કુલ 12,646 દર્દીઓ સ્વસ્થ થયા છે અને તેમાંથી 12,386 ને રજા આપવામાં આવી છે. રાજ્યમાં હાલમાં 3,064 સક્રિય કેસ છે.

જયપુરમાં કોરોના વાઇરસના ફેલાવાને રોકવા માટે કર્ફયુ પણ લગાવવામાં આવ્યો છે અને તેનું પાલન થાય તે માટે પોલીસને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

બિહાર

ગુરુવારે કેનેરા બેન્કના એજીએમનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ 56 વર્ષના છે અને તેને પટનામાં એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તે તાજેતરમાં અલીગઢથી દિલ્હી ગયા હતા અને પછી પટણા પરત આવ્યા હતા.

દરમિયાન, 223 નવા કેસ સાથે, રાજ્યની સંખ્યા વધીને 8273 થઈ ગઈ છે, જ્યારે અત્યાર સુધીમાં 55 લોકોના મોત નોંધાયા છે.

હરિયાણા

હરિયાણા સરકાર ગુરુગ્રામમાં મર્યાદિત લોકડાઉન લાદવાની વિચારણા કરી રહી છે જે લગભગ 10 દિવસ સુધી ચાલશે.

હરિયાણામાં ગુરુવારે એક મૃત્યુ અને કોરોના વાઇરસના 13 નવા કેસ નોંધાયા છે, જેમાં રાજ્યના મૃત્યુની સંખ્યા 189 અને કેસની સંખ્યા 12,023 છે.

છત્તીસગઢ

બીએસએફના પંદર જવાનોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યાના એક દિવસ બાદ, 229 બટાલિયનના સીઆરપીએફ અધિકારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જિલ્લા કલેક્ટર રિતેશ અગ્રવાલે પુષ્ટિ આપી હતી કે જિલ્લામાં આ પ્રથમ કેસ નોંધાયો છે.

દરમિયાન, રાજ્યમાં કોવિડ -19 ના કારણે અત્યાર સુધીમાં કુલ 12 લોકોનાં મોત નીપજ્યાં છે.

દિલ્હી

અનિલ બૈજલની આગેવાનીવાળી દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ગુરુવારે તેના આદેશને રદ કરવાની સંમતિ આપી હતી કે મૂલ્યાંકન માટે તમામ COVID-19 દર્દીઓ માટે રાજ્ય સંચાલિત COVID સુવિધાઓની મુલાકાત લેવી ફરજિયાત છે. બૈજલે ટ્વિટર પર આ વિવાદિત નિયમને લઈને જાહેરાત કરી હતી, જેનાથી અરવિંદ કેજરીવાલ સરકારની વ્યાપક ટીકા થઈ છે.

COVID-19 કેસોમાં દિલ્હીએ મુંબઇને પાછળ છોડી દીધું, ત્યાંથી ભારતનું સૌથી ખરાબ અસરગ્રસ્ત શહેર બન્યું. એકંદરે, વાઇરસના 3,788 નવા કેસ નોંધાયા છે.

હૈદરાબાદ: કોવિડ -19 રોગચાળો દેશના લગભગ તમામ રાજ્યોમાં ફેલાઇ રહ્યો છે. સંક્રમિતો વધતી સંખ્યા ચિંતાનો વિષય છે. જો કે, સંક્રમિતના રિકવરીના દરથી થોડી રાહત છે. છેલ્લા 24 કલાકમાં 17,000 થી વધુ નવા કેસો અને 418 મૃત્યુ સાથે, ભારતની COVID-19 ની સંખ્યા ગુરુવારે 4,73,105 પર પહોંચી ગઈ. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય (એમએચએફડબ્લ્યુ) દ્વારા તાજેતરના અપડેટ મુજબ, દેશમાં સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 14,894 મૃત્યુ નોંધાયા છે.

ભારતમાં કોરોના કેસની કુલ સંખ્યા
ભારતમાં કોરોના કેસની કુલ સંખ્યા

ગુજરાત

રાજ્યમાં 24 કલાકમાં 572 કેસ સામે આવ્યાં છે. જ્યારે કોરોના વાયરસના કારણે છેલ્લાં 24 કલાકમાં સારવાર લઈ રહેલાં સૌથી વધુ 18 દર્દીનાં મોત થયાં છે. રાજ્યમાં કોરોના વાયરસના કુલ 29578 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયાં છે. જોકે, છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાંથી આજે 410 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.

મહારાષ્ટ્ર

રાજ્યના પ્રધાન અસલમ શેખે ગુરુવારે જણાવ્યું હતું કે, કોરોના વાઇરસ કોવિડ -19 ના વધતા જતા કેસો વચ્ચે, મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં એક અઠવાડિયામાં જિમ અને સલુન્સ ફરીથી ખોલવાનો નિર્ણય કર્યો છે. તેમણે ઉમેર્યું કે આ માટેની માર્ગદર્શિકા જારી કરવામાં આવશે.

તેમણે એમ પણ ઉમેર્યું કે ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી સરકારે રાજ્યમાં ધાર્મિક મેળાવડાને મંજૂરી આપવા અંગે કોઈ નિર્ણય લીધો નથી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 142,900 કેસો અને 6,739 મૃત્યુ નોંધાયા છે.

રાજસ્થાન

રાજ્યમાં ગુરુવારે 76 કોરોના વાઇરસના કેસ નોંધાયા છે, જેની કુલ સંખ્યા 16,085 થઇ ગઇ છે. ગુરુવારે કોઈનું મોત નીપજ્યું નથી. અત્યાર સુધીમાં કુલ 12,646 દર્દીઓ સ્વસ્થ થયા છે અને તેમાંથી 12,386 ને રજા આપવામાં આવી છે. રાજ્યમાં હાલમાં 3,064 સક્રિય કેસ છે.

જયપુરમાં કોરોના વાઇરસના ફેલાવાને રોકવા માટે કર્ફયુ પણ લગાવવામાં આવ્યો છે અને તેનું પાલન થાય તે માટે પોલીસને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

બિહાર

ગુરુવારે કેનેરા બેન્કના એજીએમનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ 56 વર્ષના છે અને તેને પટનામાં એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તે તાજેતરમાં અલીગઢથી દિલ્હી ગયા હતા અને પછી પટણા પરત આવ્યા હતા.

દરમિયાન, 223 નવા કેસ સાથે, રાજ્યની સંખ્યા વધીને 8273 થઈ ગઈ છે, જ્યારે અત્યાર સુધીમાં 55 લોકોના મોત નોંધાયા છે.

હરિયાણા

હરિયાણા સરકાર ગુરુગ્રામમાં મર્યાદિત લોકડાઉન લાદવાની વિચારણા કરી રહી છે જે લગભગ 10 દિવસ સુધી ચાલશે.

હરિયાણામાં ગુરુવારે એક મૃત્યુ અને કોરોના વાઇરસના 13 નવા કેસ નોંધાયા છે, જેમાં રાજ્યના મૃત્યુની સંખ્યા 189 અને કેસની સંખ્યા 12,023 છે.

છત્તીસગઢ

બીએસએફના પંદર જવાનોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યાના એક દિવસ બાદ, 229 બટાલિયનના સીઆરપીએફ અધિકારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જિલ્લા કલેક્ટર રિતેશ અગ્રવાલે પુષ્ટિ આપી હતી કે જિલ્લામાં આ પ્રથમ કેસ નોંધાયો છે.

દરમિયાન, રાજ્યમાં કોવિડ -19 ના કારણે અત્યાર સુધીમાં કુલ 12 લોકોનાં મોત નીપજ્યાં છે.

દિલ્હી

અનિલ બૈજલની આગેવાનીવાળી દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ગુરુવારે તેના આદેશને રદ કરવાની સંમતિ આપી હતી કે મૂલ્યાંકન માટે તમામ COVID-19 દર્દીઓ માટે રાજ્ય સંચાલિત COVID સુવિધાઓની મુલાકાત લેવી ફરજિયાત છે. બૈજલે ટ્વિટર પર આ વિવાદિત નિયમને લઈને જાહેરાત કરી હતી, જેનાથી અરવિંદ કેજરીવાલ સરકારની વ્યાપક ટીકા થઈ છે.

COVID-19 કેસોમાં દિલ્હીએ મુંબઇને પાછળ છોડી દીધું, ત્યાંથી ભારતનું સૌથી ખરાબ અસરગ્રસ્ત શહેર બન્યું. એકંદરે, વાઇરસના 3,788 નવા કેસ નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.