ETV Bharat / bharat

કોંગ્રેસ નેતાએ RSS ચીફ મોહન ભાગવત પર હૈદરાબાદમાં FIR નોંધાવી - hyderabad latest news

હૈદરાબાદ: કોંગ્રેસ નેતા વી હનુમંત રાવે સોમવારના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, ભાગવતે લોકોની ભાવનાને ઠેસ પહોંચાડી છે. ભાગવતે 25 ડિસેમ્બરના રોજ એક જાહેરસભામાં કહ્યું હતું કે, ધર્મ અને સંસ્કૃતિ પર ધ્યાન આપ્યા વગર જ જે લોકો રાષ્ટ્રવાદી ભાવના રાખે છે અને ભારતની સંસ્કૃતિ તથા તેની વિરાસતનું સન્માન કરે છે, તે હિન્દુ છે અને આરએસએસ દેશના તમામ 130 કરોડ લોકોને હિન્દુ માને છે.

complaint against rss chief
complaint against rss chief
author img

By

Published : Dec 30, 2019, 7:33 PM IST

રાજ્યસભાના પૂર્વ સાંસદ રાવે પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, ભાગવતના નિવેદનથી ફક્ત મુસ્લિમો જ નહીં પણ ઈસાઈ, શિખ, પારસી આ તમામની ભાવનાઓ અને આસ્થાને ઠેસ પહોંચી છે, ઉપરાંત તે ભારતીય સંવિધાનની ભાવનાની વિરુદ્ધમાં છે. તેમણે કહ્યું છે કે, આવા નિવેદનથી દેશમાં તણાવ વધશે અને હૈદરાબાદમાં કાયદો અને વ્યવસ્થા કથળી શકે છે.

એલબી નગર પોલીસના નિરીક્ષક અશોક રેડ્ડી સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે, તેમણે કોંગ્રેસ નેતા તરફથી ફરિયાદ મળી છે તથા આ અંગે કાયદાકીય સલાહ લેવામાં આવી રહી છે કે, આવો કોઈ કેસ બને છે કે કેમ.

રાજ્યસભાના પૂર્વ સાંસદ રાવે પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, ભાગવતના નિવેદનથી ફક્ત મુસ્લિમો જ નહીં પણ ઈસાઈ, શિખ, પારસી આ તમામની ભાવનાઓ અને આસ્થાને ઠેસ પહોંચી છે, ઉપરાંત તે ભારતીય સંવિધાનની ભાવનાની વિરુદ્ધમાં છે. તેમણે કહ્યું છે કે, આવા નિવેદનથી દેશમાં તણાવ વધશે અને હૈદરાબાદમાં કાયદો અને વ્યવસ્થા કથળી શકે છે.

એલબી નગર પોલીસના નિરીક્ષક અશોક રેડ્ડી સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે, તેમણે કોંગ્રેસ નેતા તરફથી ફરિયાદ મળી છે તથા આ અંગે કાયદાકીય સલાહ લેવામાં આવી રહી છે કે, આવો કોઈ કેસ બને છે કે કેમ.

Intro:Body:

હૈદરાબાદ: કોંગ્રેસ નેતા વી હનુમંત રાવે સોમવારના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, ભાગવતે લોકોની ભાવનાને ઠેસ પહોંચાડી છે. ભાગવતે 25 ડિસેમ્બરના રોજ એક જાહેરસભામાં કહ્યું હતું કે, ધર્મ અને સંસ્કૃતિ પર ધ્યાન આપ્યા વગર જ જે લોકો રાષ્ટ્રવાદી ભાવના રાખે છે અને ભારતની સંસ્કૃતિ તથા તેની વિરાસતનું સન્માન કરે છે, તે હિન્દુ છે અને આરએસએસ દેશના તમામ 130 કરોડ લોકોને હિન્દુ માને છે.



રાજ્યસભાના પૂર્વ સાંસદ રાવે પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, ભાગવતના નિવેદનથી ફક્ત મુસ્લિમો જ નહીં પણ ઈસાઈ, શિખ, પારસી આ તમામની ભાવનાઓ અને આસ્થાને ઠેસ પહોંચી છે, ઉપરાંત તે ભારતીય સંવિધાનની ભાવનાની વિરુદ્ધમાં છે. તેમણે કહ્યું છે કે, આવા નિવેદનથી દેશમાં તણાવ વધશે અને હૈદરાબાદમાં કાયદો અને વ્યવસ્થા કથળી શકે છે.



એલબી નગર પોલીસના નિરીક્ષક અશોક રેડ્ડી સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે, તેમણે કોંગ્રેસ નેતા તરફથી ફરિયાદ મળી છે તથા આ અંગે કાયદાકીય સલાહ લેવામાં આવી રહી છે કે, આવો કોઈ કેસ બને છે કે કેમ.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.